Bharuchના ખેડૂતો આંદોલનના રસ્તે, આવેદનપત્ર આપીને ખેડૂતો કંટાળ્યા, કલેક્ટર કચેરી બહાર કર્યા ધરણા, આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-06 11:33:24

લોકસભા ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે અને આ બધા વચ્ચે ભરૂચ ગામના લોકોએ, ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમની જમીનને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોની જમીન જતી રહી છે અને તેનું વળતર પણ નથી મળ્યું. લાંબા સમયથી વળતર આપવાની માગ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું  નિરાકરણ નથી આવી રહ્યું. ત્યારે ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પડતર માગને સ્વીકારવામાં આવે તેવી માગ કરી હતી. 

આ માગોને લઈ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ!

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે જો માગ નથી સંતોષવામાં આવતી તો પોતાની માગ સાથે લોકો આંદોલનનો રસ્તો અપનાવતા હોય છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આંદોલન કરી સરકાર પર, નેતાઓ પર દબાણ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોતાની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પરિવારોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરરને આવદેનપત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ભરૂચના ખેડૂતોને ઓછું વળતર મળ્યું છે બીજા જિલ્લાઓની તુલનામાં. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે જેમ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વગેરે વગેરે... આ પ્રોજેક્ટને લઈ ખેડૂતોની જમીન લેવામાં આવી છે. છેલ્લા અનેક વર્ષો સુધી ખેડૂતોએ અનેક વખત આવેદનપત્ર આપ્યું. 55 વાર આવેદન પત્ર તેમણે પાઠવ્યું છે પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. 


કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ કર્યું આંદોલન, મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર!

પોતાના વાતની રજૂઆત તેમણે નીતિન ગડકરી, સી.આર.પાટીલ સહિત સ્થાનિક નેતાઓને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમના સવાલોનું નિરાકરણ નથી આવ્યું. રજૂઆત કરવા છતાંય તેમની માગને ધ્યાનમાં લેવાતી નથી. ન માત્ર વળતરની પરંતુ અનેક એવી સમસ્યાઓ છે જેનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. કલેક્ટર કચેરી બહાર કરવામાં આવેલા વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેને કારણે ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.     



યથા રાજા તથા પ્રજા!

મહત્વનું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું જેને કારણે ચૂંટણી સમયનો લાભ લેવાનો ખેડૂતોએ વિચાર્યું છે. ચૂંટણી સમયે સરકાર દ્વારા અનેક વાયદા કરવામાં આવતા હોય છે, મતદાતાઓને રિઝવવા માટે અલગ અલગ વાયદા કરાય છે પરંતુ વાસ્તવિક્તામાં તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા આંદોલન કરી રહેલા લોકોની વાતોને અમુક હદ સુધી માની લેવામાં આવે છે પરંતુ આંદોલન ખતમ થઈ જાય છે પરંતુ જે માટે તેમણે આંદોલન કર્યું હોય છે તેને પૂર્ણ નથી કરવામાં આવતી. જો સરકાર પણ હોંશિયાર છે તો લોકો પણ હોંશિયાર છે કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા..!         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.