Gujratના ખેડૂતોને માત્ર આટલા કલાક અપાય છે વીજળી, વિધાનસભામાં સરકારે કરી કબૂલાત કે 24 કલાક નહીં પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-07 12:23:02

વિધાનસભામાં જ્યારે સત્ર ચાલતું હોય તે દરમિયાન અનેક રાજ સામે આવતા હોય છે! સરકાર માટે રાખેલી અનેક ભ્રમણાઓ દૂર થતી હોય છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવતા હોય છે. જવાબમાં અનેક એવા આંકડા રજૂ કરવામાં આવે છે જે સાંભળીને, વાંચીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે! આ વાત અમે ખેડૂતને મળતી વીજળીને લઈ આપવામાં આવેલા જવાબ પર કહી રહ્યા છીએ. એવું લાગતું હતું કે ખેડૂતોને અનેક કલાકો સુધી વીજળી આપવામાં આવતી હશે પરંતુ વિધાનસભામાં સરકારે પોતે કબૂલ્યું કે ખેડૂતોને 15 કલાક નહીં પરંતુ માત્ર 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. 


અનેક વખત ખેડૂતોને આવે છે રડવાનો વારો! 

ખેડૂતો જેમની મહેનતને કારણે આપણા ઘર સુધી અન્ન પહોંચે છે પરંતુ અનેક વખત ખેડૂતો જ ભૂખ્યા રહેતા હોય છે! કોઈ વખત ઓછો વરસાદ આવવાને કારણે તો કોઈ વખત જરૂરત કરતા વધારે વરસાદ આવવાને કારણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. કોઈ વખત તેમનો તૈયાર કરવામાં આવેલો પાક નિષ્ફળ થઈ જતો હોય છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે.


24 કલાક વીજળી આપવાના વાયદા કરાય છે પરંતુ.... 

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવતી હોય છે! એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે! માની પણ લેવામાં આવે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરશે, તેમને કામ કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વીજળી અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલાત કરી કે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી આપવામાં આવે છે. 15 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. 


ખેડૂતોને માત્ર 8 કલાક આપવામાં આવે છે વીજળી!

વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી.  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે માટે રાહ જોવી પડશે...! 


ખેડતો અનેક વખત થઈ જતા હોય છે દેવાદાર! 

મહત્વનું છે કે ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર રહેલું છે. દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ખેતીમાંથી આવે છે. જે લોકો પર દેશનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે તેમની જ આર્થિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતનું નથી! જગતના તાતને અનેક વખત ભોગવવાનો વારો આવે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.