Gujratના ખેડૂતોને માત્ર આટલા કલાક અપાય છે વીજળી, વિધાનસભામાં સરકારે કરી કબૂલાત કે 24 કલાક નહીં પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-07 12:23:02

વિધાનસભામાં જ્યારે સત્ર ચાલતું હોય તે દરમિયાન અનેક રાજ સામે આવતા હોય છે! સરકાર માટે રાખેલી અનેક ભ્રમણાઓ દૂર થતી હોય છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવતા હોય છે. જવાબમાં અનેક એવા આંકડા રજૂ કરવામાં આવે છે જે સાંભળીને, વાંચીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે! આ વાત અમે ખેડૂતને મળતી વીજળીને લઈ આપવામાં આવેલા જવાબ પર કહી રહ્યા છીએ. એવું લાગતું હતું કે ખેડૂતોને અનેક કલાકો સુધી વીજળી આપવામાં આવતી હશે પરંતુ વિધાનસભામાં સરકારે પોતે કબૂલ્યું કે ખેડૂતોને 15 કલાક નહીં પરંતુ માત્ર 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. 


અનેક વખત ખેડૂતોને આવે છે રડવાનો વારો! 

ખેડૂતો જેમની મહેનતને કારણે આપણા ઘર સુધી અન્ન પહોંચે છે પરંતુ અનેક વખત ખેડૂતો જ ભૂખ્યા રહેતા હોય છે! કોઈ વખત ઓછો વરસાદ આવવાને કારણે તો કોઈ વખત જરૂરત કરતા વધારે વરસાદ આવવાને કારણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. કોઈ વખત તેમનો તૈયાર કરવામાં આવેલો પાક નિષ્ફળ થઈ જતો હોય છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે.


24 કલાક વીજળી આપવાના વાયદા કરાય છે પરંતુ.... 

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવતી હોય છે! એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે! માની પણ લેવામાં આવે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરશે, તેમને કામ કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વીજળી અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલાત કરી કે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી આપવામાં આવે છે. 15 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. 


ખેડૂતોને માત્ર 8 કલાક આપવામાં આવે છે વીજળી!

વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી.  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે માટે રાહ જોવી પડશે...! 


ખેડતો અનેક વખત થઈ જતા હોય છે દેવાદાર! 

મહત્વનું છે કે ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર રહેલું છે. દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ખેતીમાંથી આવે છે. જે લોકો પર દેશનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે તેમની જ આર્થિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતનું નથી! જગતના તાતને અનેક વખત ભોગવવાનો વારો આવે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે