Gujratના ખેડૂતોને માત્ર આટલા કલાક અપાય છે વીજળી, વિધાનસભામાં સરકારે કરી કબૂલાત કે 24 કલાક નહીં પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-07 12:23:02

વિધાનસભામાં જ્યારે સત્ર ચાલતું હોય તે દરમિયાન અનેક રાજ સામે આવતા હોય છે! સરકાર માટે રાખેલી અનેક ભ્રમણાઓ દૂર થતી હોય છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવતા હોય છે. જવાબમાં અનેક એવા આંકડા રજૂ કરવામાં આવે છે જે સાંભળીને, વાંચીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે! આ વાત અમે ખેડૂતને મળતી વીજળીને લઈ આપવામાં આવેલા જવાબ પર કહી રહ્યા છીએ. એવું લાગતું હતું કે ખેડૂતોને અનેક કલાકો સુધી વીજળી આપવામાં આવતી હશે પરંતુ વિધાનસભામાં સરકારે પોતે કબૂલ્યું કે ખેડૂતોને 15 કલાક નહીં પરંતુ માત્ર 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. 


અનેક વખત ખેડૂતોને આવે છે રડવાનો વારો! 

ખેડૂતો જેમની મહેનતને કારણે આપણા ઘર સુધી અન્ન પહોંચે છે પરંતુ અનેક વખત ખેડૂતો જ ભૂખ્યા રહેતા હોય છે! કોઈ વખત ઓછો વરસાદ આવવાને કારણે તો કોઈ વખત જરૂરત કરતા વધારે વરસાદ આવવાને કારણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. કોઈ વખત તેમનો તૈયાર કરવામાં આવેલો પાક નિષ્ફળ થઈ જતો હોય છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે.


24 કલાક વીજળી આપવાના વાયદા કરાય છે પરંતુ.... 

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવતી હોય છે! એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે! માની પણ લેવામાં આવે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરશે, તેમને કામ કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વીજળી અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલાત કરી કે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી આપવામાં આવે છે. 15 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. 


ખેડૂતોને માત્ર 8 કલાક આપવામાં આવે છે વીજળી!

વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી.  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે માટે રાહ જોવી પડશે...! 


ખેડતો અનેક વખત થઈ જતા હોય છે દેવાદાર! 

મહત્વનું છે કે ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર રહેલું છે. દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ખેતીમાંથી આવે છે. જે લોકો પર દેશનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે તેમની જ આર્થિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતનું નથી! જગતના તાતને અનેક વખત ભોગવવાનો વારો આવે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.