Gujratના ખેડૂતોને માત્ર આટલા કલાક અપાય છે વીજળી, વિધાનસભામાં સરકારે કરી કબૂલાત કે 24 કલાક નહીં પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-02-07 12:23:02

વિધાનસભામાં જ્યારે સત્ર ચાલતું હોય તે દરમિયાન અનેક રાજ સામે આવતા હોય છે! સરકાર માટે રાખેલી અનેક ભ્રમણાઓ દૂર થતી હોય છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવતા હોય છે. જવાબમાં અનેક એવા આંકડા રજૂ કરવામાં આવે છે જે સાંભળીને, વાંચીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે! આ વાત અમે ખેડૂતને મળતી વીજળીને લઈ આપવામાં આવેલા જવાબ પર કહી રહ્યા છીએ. એવું લાગતું હતું કે ખેડૂતોને અનેક કલાકો સુધી વીજળી આપવામાં આવતી હશે પરંતુ વિધાનસભામાં સરકારે પોતે કબૂલ્યું કે ખેડૂતોને 15 કલાક નહીં પરંતુ માત્ર 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. 


અનેક વખત ખેડૂતોને આવે છે રડવાનો વારો! 

ખેડૂતો જેમની મહેનતને કારણે આપણા ઘર સુધી અન્ન પહોંચે છે પરંતુ અનેક વખત ખેડૂતો જ ભૂખ્યા રહેતા હોય છે! કોઈ વખત ઓછો વરસાદ આવવાને કારણે તો કોઈ વખત જરૂરત કરતા વધારે વરસાદ આવવાને કારણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. કોઈ વખત તેમનો તૈયાર કરવામાં આવેલો પાક નિષ્ફળ થઈ જતો હોય છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે.


24 કલાક વીજળી આપવાના વાયદા કરાય છે પરંતુ.... 

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવતી હોય છે! એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે! માની પણ લેવામાં આવે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરશે, તેમને કામ કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વીજળી અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલાત કરી કે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી આપવામાં આવે છે. 15 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. 


ખેડૂતોને માત્ર 8 કલાક આપવામાં આવે છે વીજળી!

વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી.  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે માટે રાહ જોવી પડશે...! 


ખેડતો અનેક વખત થઈ જતા હોય છે દેવાદાર! 

મહત્વનું છે કે ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર રહેલું છે. દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ખેતીમાંથી આવે છે. જે લોકો પર દેશનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે તેમની જ આર્થિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતનું નથી! જગતના તાતને અનેક વખત ભોગવવાનો વારો આવે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.