Farmers protest: ખનૌરી બોર્ડર પર ગોળી વાગતાં ખેડૂતનું મોત, CM ભગવંત માને કહ્યું દોષિતો સામે નોંધાશે FIR


  • Published By :
  • Published Date : 2024-02-21 22:30:28

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર બુધવારે 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.


ગામમાં શોકનો માહોલ


હરિયાણાના સંગરુરની ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 21 વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું છે. આ યુવાન ભટિંડાના જિલ્લાના બાલો ગામનો વતની હતો અને તેના પિતાનું નામ ચરણજીત સિંહ છે.મૃતકના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગોળી વાગવાથી યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. શુભકરણ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. બુધવારે તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ગામમાં શોકનો માહોલ છવાયો હતો.


ખેડૂત નેતાએ કરી મોતની પુષ્ટી


ખેડૂત નેતા બલદેવ સિરસાના જણાવ્યા અનુસાર, ભટિંડાના રહેવાસી 21 વર્ષીય શુભકરણ સિંહનું સંગરુર-જીંદને જોડતી ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. પટિયાલાની રાજીન્દર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીનું કહેવું છે કે ત્રણ લોકોને ખનૌરીથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. રેખીનું કહેવું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના માથા પર ઈજાના નિશાન હતા જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓએ હજુ સુધી સરહદ પર કોઈ વિરોધ કરનારના મોતની જાણકારી મળી નથી.  


CM ભગવંત માને શું કહ્યું?


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન 21 વર્ષના ખેડૂતના મોત પર એક વીડિયો જાહેર કરીને શોક વ્યક્ત કર્યો છે. ભગવંત માને કહ્યું કે આજે ખનૌરી બોર્ડર પર એક ઘટના બની, 21 વર્ષના શુભકરણનું મોત થયું. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મને હંસ થઈ ગયો. હું ખૂબ જ દુઃખી છું કે શુભકરણનું 21 વર્ષની વયે અવસાન થયું. તેની માતાનું અવસાન થયું હતું અને તેની દાદીએ તેને ઉછેર્યો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.


'દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાશે'


મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે શુભકરણ આંદોલનમાં કોઈ ફોટો પડાવવા ગયો નહોતો. તે પોતાના પાકના વાજબી ભાવની માંગ કરવા માટે ત્યાં ગયો હતો. શુભકરણના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસના આદેશ આપવામાં આવશે. શુભકરણના મોત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ પણ કરશે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .