Farmers protest: ખનૌરી બોર્ડર પર ગોળી વાગતાં ખેડૂતનું મોત, CM ભગવંત માને કહ્યું દોષિતો સામે નોંધાશે FIR


  • Published By :
  • Published Date : 2024-02-21 22:30:28

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર બુધવારે 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.


ગામમાં શોકનો માહોલ


હરિયાણાના સંગરુરની ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 21 વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું છે. આ યુવાન ભટિંડાના જિલ્લાના બાલો ગામનો વતની હતો અને તેના પિતાનું નામ ચરણજીત સિંહ છે.મૃતકના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગોળી વાગવાથી યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. શુભકરણ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. બુધવારે તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ગામમાં શોકનો માહોલ છવાયો હતો.


ખેડૂત નેતાએ કરી મોતની પુષ્ટી


ખેડૂત નેતા બલદેવ સિરસાના જણાવ્યા અનુસાર, ભટિંડાના રહેવાસી 21 વર્ષીય શુભકરણ સિંહનું સંગરુર-જીંદને જોડતી ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. પટિયાલાની રાજીન્દર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીનું કહેવું છે કે ત્રણ લોકોને ખનૌરીથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. રેખીનું કહેવું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના માથા પર ઈજાના નિશાન હતા જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓએ હજુ સુધી સરહદ પર કોઈ વિરોધ કરનારના મોતની જાણકારી મળી નથી.  


CM ભગવંત માને શું કહ્યું?


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન 21 વર્ષના ખેડૂતના મોત પર એક વીડિયો જાહેર કરીને શોક વ્યક્ત કર્યો છે. ભગવંત માને કહ્યું કે આજે ખનૌરી બોર્ડર પર એક ઘટના બની, 21 વર્ષના શુભકરણનું મોત થયું. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મને હંસ થઈ ગયો. હું ખૂબ જ દુઃખી છું કે શુભકરણનું 21 વર્ષની વયે અવસાન થયું. તેની માતાનું અવસાન થયું હતું અને તેની દાદીએ તેને ઉછેર્યો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.


'દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાશે'


મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે શુભકરણ આંદોલનમાં કોઈ ફોટો પડાવવા ગયો નહોતો. તે પોતાના પાકના વાજબી ભાવની માંગ કરવા માટે ત્યાં ગયો હતો. શુભકરણના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસના આદેશ આપવામાં આવશે. શુભકરણના મોત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ પણ કરશે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.