Farmers protest: ખનૌરી બોર્ડર પર ગોળી વાગતાં ખેડૂતનું મોત, CM ભગવંત માને કહ્યું દોષિતો સામે નોંધાશે FIR


  • Published By :
  • Published Date : 2024-02-21 22:30:28

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર બુધવારે 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.


ગામમાં શોકનો માહોલ


હરિયાણાના સંગરુરની ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 21 વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું છે. આ યુવાન ભટિંડાના જિલ્લાના બાલો ગામનો વતની હતો અને તેના પિતાનું નામ ચરણજીત સિંહ છે.મૃતકના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગોળી વાગવાથી યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. શુભકરણ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. બુધવારે તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ગામમાં શોકનો માહોલ છવાયો હતો.


ખેડૂત નેતાએ કરી મોતની પુષ્ટી


ખેડૂત નેતા બલદેવ સિરસાના જણાવ્યા અનુસાર, ભટિંડાના રહેવાસી 21 વર્ષીય શુભકરણ સિંહનું સંગરુર-જીંદને જોડતી ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. પટિયાલાની રાજીન્દર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીનું કહેવું છે કે ત્રણ લોકોને ખનૌરીથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. રેખીનું કહેવું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના માથા પર ઈજાના નિશાન હતા જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓએ હજુ સુધી સરહદ પર કોઈ વિરોધ કરનારના મોતની જાણકારી મળી નથી.  


CM ભગવંત માને શું કહ્યું?


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન 21 વર્ષના ખેડૂતના મોત પર એક વીડિયો જાહેર કરીને શોક વ્યક્ત કર્યો છે. ભગવંત માને કહ્યું કે આજે ખનૌરી બોર્ડર પર એક ઘટના બની, 21 વર્ષના શુભકરણનું મોત થયું. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મને હંસ થઈ ગયો. હું ખૂબ જ દુઃખી છું કે શુભકરણનું 21 વર્ષની વયે અવસાન થયું. તેની માતાનું અવસાન થયું હતું અને તેની દાદીએ તેને ઉછેર્યો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.


'દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાશે'


મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે શુભકરણ આંદોલનમાં કોઈ ફોટો પડાવવા ગયો નહોતો. તે પોતાના પાકના વાજબી ભાવની માંગ કરવા માટે ત્યાં ગયો હતો. શુભકરણના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસના આદેશ આપવામાં આવશે. શુભકરણના મોત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ પણ કરશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.