Farmers Protest: ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શનને વિરામ આપ્યો, કહ્યું- કાલે ફરી દિલ્હી તરફ કૂચ કરીશું


  • Published By :
  • Published Date : 2024-02-13 21:40:56

પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો ફરી એકવાર તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમના પ્રદર્શનને જોતા રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણોને ઝડપથી લાગુ કરે, અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી માટે કાયદો બનાવે. ખેડૂતો તેમની આ માંગણીઓને લઈ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.






2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ કૂચ

 

ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા છે. હરિયાણામાં તેમને રોકવા માટે બે સ્ટેડિયમમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. ખેડૂતોના વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને CJIને એક પત્ર લખીને આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવા જણાવ્યું છે. તેના પર CJIએ કહ્યું કે જો કોઈને ટ્રાફિક જામની સમસ્યા હોય તો અમને જણાવો.


મંત્રી અર્જુન મુંડાએ શું કહ્યું?


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકારે ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે. સરકાર MSP ગેરંટી સંબંધિત માંગ પર ચર્ચા કરવા તૈયાર છે. લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો વિચાર-વિમર્સ વિના ઉતાવળમાં લાવી શકાય નહીં. 


ખેડૂતો સાથેની ચર્ચા નિષ્ફળ રહી


ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા. પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છતા હતા. આના પર મામલો વધુ વણસી ગયો હતો. તે પછી, ખેડૂત નેતાઓએ આરપારની જંગની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી તરફ કૂચ કરશે... ગાઝીપુર, સિંઘુ, સંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયાઃ સરવન સિંહ પંઢેર


ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહેલા પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયા છે. તેમણે કહ્યું કે ખેડૂતો શાંતિ જાળવી રહ્યા હતા, પરંતુ ડ્રોનથી અમારા પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.


ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે શું કહ્યું? 


અમે જે કહી રહ્યા છીએ તે નવી માંગ નથી. તે સરકાર દ્વારા અમને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી. અમે વારંવાર તે પ્રતિબદ્ધતાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારે આજદિન સુધી કોઈ ગંભીરતા દાખવી નથી.


ખેડૂતોને છે અમારૂ સમર્થન-રાકેશ ટિકૈત


ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે MSP ગેરંટી એક્ટ અને સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ, વીજળી સુધારા બિલ અને લોન માફી દેશભરના ખેડૂતોના મુદ્દા છે. દેશમાં ઘણા ખેડૂત સંગઠનો છે અને તેમની પાસે અલગ-અલગ મુદ્દા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતો માટે જો સરકાર કોઈ મુશ્કેલી ઊભી કરશે તો અમે તેમને સમર્થન આપીશું.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.