Farmers Protest: ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્શનને વિરામ આપ્યો, કહ્યું- કાલે ફરી દિલ્હી તરફ કૂચ કરીશું


  • Published By :
  • Published Date : 2024-02-13 21:40:56

પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો ફરી એકવાર તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમના પ્રદર્શનને જોતા રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણોને ઝડપથી લાગુ કરે, અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી માટે કાયદો બનાવે. ખેડૂતો તેમની આ માંગણીઓને લઈ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.






2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ કૂચ

 

ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા છે. હરિયાણામાં તેમને રોકવા માટે બે સ્ટેડિયમમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. ખેડૂતોના વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને CJIને એક પત્ર લખીને આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવા જણાવ્યું છે. તેના પર CJIએ કહ્યું કે જો કોઈને ટ્રાફિક જામની સમસ્યા હોય તો અમને જણાવો.


મંત્રી અર્જુન મુંડાએ શું કહ્યું?


આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકારે ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે. સરકાર MSP ગેરંટી સંબંધિત માંગ પર ચર્ચા કરવા તૈયાર છે. લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો વિચાર-વિમર્સ વિના ઉતાવળમાં લાવી શકાય નહીં. 


ખેડૂતો સાથેની ચર્ચા નિષ્ફળ રહી


ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા. પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છતા હતા. આના પર મામલો વધુ વણસી ગયો હતો. તે પછી, ખેડૂત નેતાઓએ આરપારની જંગની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી તરફ કૂચ કરશે... ગાઝીપુર, સિંઘુ, સંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયાઃ સરવન સિંહ પંઢેર


ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહેલા પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયા છે. તેમણે કહ્યું કે ખેડૂતો શાંતિ જાળવી રહ્યા હતા, પરંતુ ડ્રોનથી અમારા પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.


ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે શું કહ્યું? 


અમે જે કહી રહ્યા છીએ તે નવી માંગ નથી. તે સરકાર દ્વારા અમને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી. અમે વારંવાર તે પ્રતિબદ્ધતાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારે આજદિન સુધી કોઈ ગંભીરતા દાખવી નથી.


ખેડૂતોને છે અમારૂ સમર્થન-રાકેશ ટિકૈત


ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે MSP ગેરંટી એક્ટ અને સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ, વીજળી સુધારા બિલ અને લોન માફી દેશભરના ખેડૂતોના મુદ્દા છે. દેશમાં ઘણા ખેડૂત સંગઠનો છે અને તેમની પાસે અલગ-અલગ મુદ્દા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતો માટે જો સરકાર કોઈ મુશ્કેલી ઊભી કરશે તો અમે તેમને સમર્થન આપીશું.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .