Gujaratના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતિત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-24 13:32:46

શિયાળાની શરૂઆત ધીમે ધીમે રાજ્યમાં થઈ રહી હતી. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારાનો અહેસાસ થતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. બેવડી ઋતુથી તો હતી જ પરંતુ હવે તો ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એન્ટ્રી લેશે, એટલે કે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતીઓને થવાનો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ 24 તારીખથી લઈ 28 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક ભાગોમાં આવશે વરસાદ 

એક તરફ લોકોને લાગતું હતું કે ઠંડી આવી રહી છે એટલે સ્વેટર કાઢવું પડશે અને રેઈનકોર્ટ અંદર મૂકી દેવો પડશે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે બંન્ને સાથે રાખવા પડશે! શિયાળામાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતનું ચોમાસું એમ પણ અનિયમિત હતું. ચોમાસામાં પહેલા વરસાદ પડ્યો નહીં પરંતુ જ્યારે પડ્યો ત્યારે અતિશય પડ્યો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25થી 28 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


ક્યાં અને ક્યારે થશે આફતનો વરસાદ?

25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હમણાં એવી સિઝન ચાલી રહી છે જે લોકોને બિમાર પાડી રહી છે. રોગચાળો વધ્યો છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.