Gujaratના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતિત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-24 13:32:46

શિયાળાની શરૂઆત ધીમે ધીમે રાજ્યમાં થઈ રહી હતી. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારાનો અહેસાસ થતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. બેવડી ઋતુથી તો હતી જ પરંતુ હવે તો ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એન્ટ્રી લેશે, એટલે કે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતીઓને થવાનો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ 24 તારીખથી લઈ 28 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક ભાગોમાં આવશે વરસાદ 

એક તરફ લોકોને લાગતું હતું કે ઠંડી આવી રહી છે એટલે સ્વેટર કાઢવું પડશે અને રેઈનકોર્ટ અંદર મૂકી દેવો પડશે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે બંન્ને સાથે રાખવા પડશે! શિયાળામાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતનું ચોમાસું એમ પણ અનિયમિત હતું. ચોમાસામાં પહેલા વરસાદ પડ્યો નહીં પરંતુ જ્યારે પડ્યો ત્યારે અતિશય પડ્યો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25થી 28 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


ક્યાં અને ક્યારે થશે આફતનો વરસાદ?

25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હમણાં એવી સિઝન ચાલી રહી છે જે લોકોને બિમાર પાડી રહી છે. રોગચાળો વધ્યો છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.