Gujaratના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતિત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-24 13:32:46

શિયાળાની શરૂઆત ધીમે ધીમે રાજ્યમાં થઈ રહી હતી. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારાનો અહેસાસ થતો હતો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થતો હતો. બેવડી ઋતુથી તો હતી જ પરંતુ હવે તો ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એન્ટ્રી લેશે, એટલે કે માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતીઓને થવાનો છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ 24 તારીખથી લઈ 28 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક ભાગોમાં આવશે વરસાદ 

એક તરફ લોકોને લાગતું હતું કે ઠંડી આવી રહી છે એટલે સ્વેટર કાઢવું પડશે અને રેઈનકોર્ટ અંદર મૂકી દેવો પડશે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે બંન્ને સાથે રાખવા પડશે! શિયાળામાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતનું ચોમાસું એમ પણ અનિયમિત હતું. ચોમાસામાં પહેલા વરસાદ પડ્યો નહીં પરંતુ જ્યારે પડ્યો ત્યારે અતિશય પડ્યો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25થી 28 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


ક્યાં અને ક્યારે થશે આફતનો વરસાદ?

25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. મહત્વનું છે કે હમણાં એવી સિઝન ચાલી રહી છે જે લોકોને બિમાર પાડી રહી છે. રોગચાળો વધ્યો છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.