મહીસાગરમાં સાવ નજીવી બાબતે દલિત પર જીવલેણ હુમલો, હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-06-12 11:08:05

ગુજરાતમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહીસાગર જિલ્લામાં નજીવી બાબતે એક દલિત પર જીવલેણ હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની બાબતને લઈને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં માથામાં ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દલિત મણીભાઈ વણકર પર હુમલા બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


શા માટે થયો હુમલો?


દલિત પર હુમલા અંગે સ્થાનિક લોકો પાસેથી મળતી જાણકારી મુજબ કોયડમ ગામમાં મણીભાઈ વણકર નિવૃત્ત બેંક મેનેજર તરીકે જીવન ગુજારે છે અને તેમનું ખેતર ગામ નજીક  આવેલું છે. આ ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડની માલિકીનો બાજુના ખેતર માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનો દ્વારા ઝાડના માલિકી હકનો નિકાલ કરીને તે મણીભાઈના હોવાનું કહેવાયું હતું. સમાધાન થયાના બીજા દિવસે મણીભાઈ ઝાડ વેચાણે આપવા માટે ઝાડ રાખનારને બતાવવા ગયા. ત્યારે દાંતીયા ગામના અને પડોશી ખેતરના માલિક બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદાએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને કહેતા હતા કે આ શેઢા વચ્ચે આવેલા ઝાડ અમારી માલીકીના છે અને ગામના માણસોએ જે ન્યાય કર્યો છે તે ખોટો છે. તેમ કહીં બાબુ બારીયા જાતિવિષયક ગાળો બોલવા લાગ્યો હતો. જો કે મણીભાઈએ જાતિ વિશે ગમે તેમ નહીં બોલવાનું કહેતા બાબુ પ્રતાપ બારીયા એકદમ ઉશ્કેરાઇ ગયો અને લોખંડની પાઇપ વડે નિવૃત્ત બેંક મેનેજર પર હુમલો કરતા ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. તેમજ પાઇપનો બીજો ફટકો માથાના ભાગે મારવા જતા વૃદ્ધ નમી જતા માથાના પાછળના ડાબી બાજુના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બાબુ બારીયા ત્યાંથી ભાગી ગયો. જોકે તેની માતા અને પત્નીએ ધમકી આપી કે હવે ઝાડ લેવા આવીશ તો જાનથી મારી નાખીશું. તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી જતા રહ્યા હતા


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


હુમલા બાદ ઘાયલ મણીલાલ વણકરને તાત્કાલિક 108 મારફતે વિરપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં દલિત પ્રૌઢની સારવાર ચાલી રહી છે. જે બાદ વૃદ્ધે હુમલો કરનાર બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ હુમલો કરાનારા  બાબુ પ્રતાપ બારીયાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.