મહીસાગરમાં સાવ નજીવી બાબતે દલિત પર જીવલેણ હુમલો, હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-06-12 11:08:05

ગુજરાતમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહીસાગર જિલ્લામાં નજીવી બાબતે એક દલિત પર જીવલેણ હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની બાબતને લઈને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં માથામાં ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દલિત મણીભાઈ વણકર પર હુમલા બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


શા માટે થયો હુમલો?


દલિત પર હુમલા અંગે સ્થાનિક લોકો પાસેથી મળતી જાણકારી મુજબ કોયડમ ગામમાં મણીભાઈ વણકર નિવૃત્ત બેંક મેનેજર તરીકે જીવન ગુજારે છે અને તેમનું ખેતર ગામ નજીક  આવેલું છે. આ ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડની માલિકીનો બાજુના ખેતર માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનો દ્વારા ઝાડના માલિકી હકનો નિકાલ કરીને તે મણીભાઈના હોવાનું કહેવાયું હતું. સમાધાન થયાના બીજા દિવસે મણીભાઈ ઝાડ વેચાણે આપવા માટે ઝાડ રાખનારને બતાવવા ગયા. ત્યારે દાંતીયા ગામના અને પડોશી ખેતરના માલિક બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદાએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને કહેતા હતા કે આ શેઢા વચ્ચે આવેલા ઝાડ અમારી માલીકીના છે અને ગામના માણસોએ જે ન્યાય કર્યો છે તે ખોટો છે. તેમ કહીં બાબુ બારીયા જાતિવિષયક ગાળો બોલવા લાગ્યો હતો. જો કે મણીભાઈએ જાતિ વિશે ગમે તેમ નહીં બોલવાનું કહેતા બાબુ પ્રતાપ બારીયા એકદમ ઉશ્કેરાઇ ગયો અને લોખંડની પાઇપ વડે નિવૃત્ત બેંક મેનેજર પર હુમલો કરતા ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. તેમજ પાઇપનો બીજો ફટકો માથાના ભાગે મારવા જતા વૃદ્ધ નમી જતા માથાના પાછળના ડાબી બાજુના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બાબુ બારીયા ત્યાંથી ભાગી ગયો. જોકે તેની માતા અને પત્નીએ ધમકી આપી કે હવે ઝાડ લેવા આવીશ તો જાનથી મારી નાખીશું. તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી જતા રહ્યા હતા


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


હુમલા બાદ ઘાયલ મણીલાલ વણકરને તાત્કાલિક 108 મારફતે વિરપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં દલિત પ્રૌઢની સારવાર ચાલી રહી છે. જે બાદ વૃદ્ધે હુમલો કરનાર બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ હુમલો કરાનારા  બાબુ પ્રતાપ બારીયાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.