અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો, 14 લોકોની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 21:09:43

અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આખી રાત શહેરની પોલીસ એલર્ટ મોડમાં રહેતી હોય છે પણ બેફામ બનેલા કેટલાક અસામાજીક તત્વો આપણી સુરક્ષા કરતી પોલીસ પર જ હુમલાઓ કરે છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પર હુમલાના 3 બનાવ બન્યા છે. આજે  વહેલી સવારે ચાલી રહેલા ગરબા બંધ કરાવવા પોલીસની ટીમ પહોંચી ત્યારે 14 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. 


વહેલી સવાર સુધી ગરબા ચાલુ રહેતા કાર્યવાહી


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં નોકરી કરતા ASI અરવિંદસિંહ ચાવડા ડ્રાઈવર સાથે કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ માટે હીરાલાલની ચાલી પાસે ગરબા બંધ કરાવવા ગયા હતા. ગરબા બંધ કરવા પરમિશન લેનાર શૈલેષ ઠાકોરને લાઉડ સ્પીકર બંધ કરવા જાણ કરી ત્યારે ગરબા રમતા મહિલા અને પુરુષો પોલીસની ગાડી પાસે બહાર આવી ગયા હતા. બધા બહાર આવતા ASI અરવિંદસિંહે પોલીસની અન્ય ગાડીઓ પણ બોલાવી હતી. જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરાવવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


ટોળાએ પોલીસ પર કર્યો હુમલો


શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. શાહીબાગ પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા પહોંચી ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળામાંથી ભાવના નામની મહિલાએ કહ્યું કે, ‘આ પોલીસવાળાઓને અહીંથી જવા દેવા નથી. આજે તો પૂરા જ કરી દેવા છે’ આ દરમિયાન ચિરાગ નામના યુવકે લાકડાના દંડાથી જાનથી મારી નાખવાના ઈરાદે માથા પર એક ફટકો માર્યો અને બીજો ફટકો મારવા જતા ASI અરવિંદસિંહે હાથ આગળ કરતા હાથ પર દંડો માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ભેગા મળીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ છોડવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. અરવિંદસિંહને માથાના ભાગે દંડો વાગ્યો હોવાથી લોહી નીકળી રહ્યું હતું જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


14 લોકો સામે કાર્યવાહી


પોલીસ પર હુમલા બાદ પોલીસે ગરબા આયોજક, ચાર મહિલાઓ સહિત 14 લોકો સામે પોલીસ પર હુમલો કરવા બદલ કલમ 307, 332, 353, 186, 143, 147, 149, 135(1) મુજબ ગુનો નોધોવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી 14 આરોપીઓ પૈકી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


શાહીબાગમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના


ઉલ્લેખનિય છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને તે ગંભીર બાબત કહીં શકાય.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.