અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો, 14 લોકોની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 21:09:43

અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આખી રાત શહેરની પોલીસ એલર્ટ મોડમાં રહેતી હોય છે પણ બેફામ બનેલા કેટલાક અસામાજીક તત્વો આપણી સુરક્ષા કરતી પોલીસ પર જ હુમલાઓ કરે છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પર હુમલાના 3 બનાવ બન્યા છે. આજે  વહેલી સવારે ચાલી રહેલા ગરબા બંધ કરાવવા પોલીસની ટીમ પહોંચી ત્યારે 14 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. 


વહેલી સવાર સુધી ગરબા ચાલુ રહેતા કાર્યવાહી


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં નોકરી કરતા ASI અરવિંદસિંહ ચાવડા ડ્રાઈવર સાથે કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ માટે હીરાલાલની ચાલી પાસે ગરબા બંધ કરાવવા ગયા હતા. ગરબા બંધ કરવા પરમિશન લેનાર શૈલેષ ઠાકોરને લાઉડ સ્પીકર બંધ કરવા જાણ કરી ત્યારે ગરબા રમતા મહિલા અને પુરુષો પોલીસની ગાડી પાસે બહાર આવી ગયા હતા. બધા બહાર આવતા ASI અરવિંદસિંહે પોલીસની અન્ય ગાડીઓ પણ બોલાવી હતી. જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરાવવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


ટોળાએ પોલીસ પર કર્યો હુમલો


શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. શાહીબાગ પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા પહોંચી ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળામાંથી ભાવના નામની મહિલાએ કહ્યું કે, ‘આ પોલીસવાળાઓને અહીંથી જવા દેવા નથી. આજે તો પૂરા જ કરી દેવા છે’ આ દરમિયાન ચિરાગ નામના યુવકે લાકડાના દંડાથી જાનથી મારી નાખવાના ઈરાદે માથા પર એક ફટકો માર્યો અને બીજો ફટકો મારવા જતા ASI અરવિંદસિંહે હાથ આગળ કરતા હાથ પર દંડો માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ભેગા મળીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ છોડવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. અરવિંદસિંહને માથાના ભાગે દંડો વાગ્યો હોવાથી લોહી નીકળી રહ્યું હતું જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


14 લોકો સામે કાર્યવાહી


પોલીસ પર હુમલા બાદ પોલીસે ગરબા આયોજક, ચાર મહિલાઓ સહિત 14 લોકો સામે પોલીસ પર હુમલો કરવા બદલ કલમ 307, 332, 353, 186, 143, 147, 149, 135(1) મુજબ ગુનો નોધોવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી 14 આરોપીઓ પૈકી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


શાહીબાગમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના


ઉલ્લેખનિય છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને તે ગંભીર બાબત કહીં શકાય.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી