અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો, 14 લોકોની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 21:09:43

અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આખી રાત શહેરની પોલીસ એલર્ટ મોડમાં રહેતી હોય છે પણ બેફામ બનેલા કેટલાક અસામાજીક તત્વો આપણી સુરક્ષા કરતી પોલીસ પર જ હુમલાઓ કરે છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પર હુમલાના 3 બનાવ બન્યા છે. આજે  વહેલી સવારે ચાલી રહેલા ગરબા બંધ કરાવવા પોલીસની ટીમ પહોંચી ત્યારે 14 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. 


વહેલી સવાર સુધી ગરબા ચાલુ રહેતા કાર્યવાહી


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં નોકરી કરતા ASI અરવિંદસિંહ ચાવડા ડ્રાઈવર સાથે કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ માટે હીરાલાલની ચાલી પાસે ગરબા બંધ કરાવવા ગયા હતા. ગરબા બંધ કરવા પરમિશન લેનાર શૈલેષ ઠાકોરને લાઉડ સ્પીકર બંધ કરવા જાણ કરી ત્યારે ગરબા રમતા મહિલા અને પુરુષો પોલીસની ગાડી પાસે બહાર આવી ગયા હતા. બધા બહાર આવતા ASI અરવિંદસિંહે પોલીસની અન્ય ગાડીઓ પણ બોલાવી હતી. જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરાવવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


ટોળાએ પોલીસ પર કર્યો હુમલો


શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. શાહીબાગ પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા પહોંચી ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળામાંથી ભાવના નામની મહિલાએ કહ્યું કે, ‘આ પોલીસવાળાઓને અહીંથી જવા દેવા નથી. આજે તો પૂરા જ કરી દેવા છે’ આ દરમિયાન ચિરાગ નામના યુવકે લાકડાના દંડાથી જાનથી મારી નાખવાના ઈરાદે માથા પર એક ફટકો માર્યો અને બીજો ફટકો મારવા જતા ASI અરવિંદસિંહે હાથ આગળ કરતા હાથ પર દંડો માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ભેગા મળીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ છોડવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. અરવિંદસિંહને માથાના ભાગે દંડો વાગ્યો હોવાથી લોહી નીકળી રહ્યું હતું જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


14 લોકો સામે કાર્યવાહી


પોલીસ પર હુમલા બાદ પોલીસે ગરબા આયોજક, ચાર મહિલાઓ સહિત 14 લોકો સામે પોલીસ પર હુમલો કરવા બદલ કલમ 307, 332, 353, 186, 143, 147, 149, 135(1) મુજબ ગુનો નોધોવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી 14 આરોપીઓ પૈકી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


શાહીબાગમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના


ઉલ્લેખનિય છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને તે ગંભીર બાબત કહીં શકાય.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.