મહેસાણાના યુગલે કેનેડામાં કર્યા પ્રેમલગ્ન, યુવતીના પરિવારજનોનો યુવકના માતા-પિતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-07-17 19:30:52

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલિયા ગામના યુવકે બાજુના બાજુના ગામ ગવાડાની યુવતી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કરી લેતાં મામલો વણસ્યો હતો. યુવકે પ્રેમ લગ્ન કરી લીધા તે બાબતની અદાવત રાખી યુવતીના પરિવારના 15થી વધુ લોકોનું ટોળું યુવકના ઘરે પહોંચ્યું હતું તેમણે યુવકના મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. આ લોકો યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા.  તોફાની તત્વોએ માતા-પિતાને ઢોર માર માર્યો હતો અને ઘરનો સામાન તોડી નાંખ્યો હતો. યુવકના પિતા દ્વારા બનાવ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


સમગ્ર મામલો શું હતો?


આ ઘટનાની વિગતો કોઈ સરસ ફિલ્મી લવસ્ટોરી જેવી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગવાડા ગામના ચિરાગ પટેલની દીકરી પણ કેનેડામાં રહે છે, આ બંને યુવક-યુવતી પરિચયમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમ લગ્નથી ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનો 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા. તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે એમ કહી યુવકના ઘરમાં ઘૂસી માતા-પિતા પર હૂમલો કર્યો હતો. યુવતીના પરિવારજનોએ મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. યુવકના પિતાને લોખંડની પાઈપથી ફટકાર્યા હતા જો કે પોલીસ આવી જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો. 


પોલીસે શું કહ્યું ?


બિલિયા ગામની આ સમગ્ર ઘટના મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના પરિવારજનો સામે-સામે ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસ સ્ટેશનના PSIએ મીડિયાને જણાવ્યું કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો હતો.સમગ્ર મામલામાં કેનેડામાં યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતાં અમે તપાસ કરી હતી, અમે ત્યાં કેનેડામાં યુવતીનો સંપર્ક કરતાં કેનેડામાં યુવક-યુવતી સહી સલામત હોવાની વિગતો સામે આવી હતી. યુવકનાં માતા-પિતા પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.