મહેસાણાના યુગલે કેનેડામાં કર્યા પ્રેમલગ્ન, યુવતીના પરિવારજનોનો યુવકના માતા-પિતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-07-17 19:30:52

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલિયા ગામના યુવકે બાજુના બાજુના ગામ ગવાડાની યુવતી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કરી લેતાં મામલો વણસ્યો હતો. યુવકે પ્રેમ લગ્ન કરી લીધા તે બાબતની અદાવત રાખી યુવતીના પરિવારના 15થી વધુ લોકોનું ટોળું યુવકના ઘરે પહોંચ્યું હતું તેમણે યુવકના મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. આ લોકો યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા.  તોફાની તત્વોએ માતા-પિતાને ઢોર માર માર્યો હતો અને ઘરનો સામાન તોડી નાંખ્યો હતો. યુવકના પિતા દ્વારા બનાવ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


સમગ્ર મામલો શું હતો?


આ ઘટનાની વિગતો કોઈ સરસ ફિલ્મી લવસ્ટોરી જેવી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગવાડા ગામના ચિરાગ પટેલની દીકરી પણ કેનેડામાં રહે છે, આ બંને યુવક-યુવતી પરિચયમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમ લગ્નથી ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનો 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા. તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે એમ કહી યુવકના ઘરમાં ઘૂસી માતા-પિતા પર હૂમલો કર્યો હતો. યુવતીના પરિવારજનોએ મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. યુવકના પિતાને લોખંડની પાઈપથી ફટકાર્યા હતા જો કે પોલીસ આવી જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો. 


પોલીસે શું કહ્યું ?


બિલિયા ગામની આ સમગ્ર ઘટના મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના પરિવારજનો સામે-સામે ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસ સ્ટેશનના PSIએ મીડિયાને જણાવ્યું કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો હતો.સમગ્ર મામલામાં કેનેડામાં યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતાં અમે તપાસ કરી હતી, અમે ત્યાં કેનેડામાં યુવતીનો સંપર્ક કરતાં કેનેડામાં યુવક-યુવતી સહી સલામત હોવાની વિગતો સામે આવી હતી. યુવકનાં માતા-પિતા પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.