મહેસાણાના યુગલે કેનેડામાં કર્યા પ્રેમલગ્ન, યુવતીના પરિવારજનોનો યુવકના માતા-પિતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-07-17 19:30:52

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલિયા ગામના યુવકે બાજુના બાજુના ગામ ગવાડાની યુવતી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કરી લેતાં મામલો વણસ્યો હતો. યુવકે પ્રેમ લગ્ન કરી લીધા તે બાબતની અદાવત રાખી યુવતીના પરિવારના 15થી વધુ લોકોનું ટોળું યુવકના ઘરે પહોંચ્યું હતું તેમણે યુવકના મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. આ લોકો યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા.  તોફાની તત્વોએ માતા-પિતાને ઢોર માર માર્યો હતો અને ઘરનો સામાન તોડી નાંખ્યો હતો. યુવકના પિતા દ્વારા બનાવ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


સમગ્ર મામલો શું હતો?


આ ઘટનાની વિગતો કોઈ સરસ ફિલ્મી લવસ્ટોરી જેવી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગવાડા ગામના ચિરાગ પટેલની દીકરી પણ કેનેડામાં રહે છે, આ બંને યુવક-યુવતી પરિચયમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમ લગ્નથી ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનો 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા. તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે એમ કહી યુવકના ઘરમાં ઘૂસી માતા-પિતા પર હૂમલો કર્યો હતો. યુવતીના પરિવારજનોએ મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. યુવકના પિતાને લોખંડની પાઈપથી ફટકાર્યા હતા જો કે પોલીસ આવી જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો. 


પોલીસે શું કહ્યું ?


બિલિયા ગામની આ સમગ્ર ઘટના મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના પરિવારજનો સામે-સામે ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસ સ્ટેશનના PSIએ મીડિયાને જણાવ્યું કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો હતો.સમગ્ર મામલામાં કેનેડામાં યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતાં અમે તપાસ કરી હતી, અમે ત્યાં કેનેડામાં યુવતીનો સંપર્ક કરતાં કેનેડામાં યુવક-યુવતી સહી સલામત હોવાની વિગતો સામે આવી હતી. યુવકનાં માતા-પિતા પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.