બનાસકાંઠાના આ ગામમાં પતંગબાજી પર છે પ્રતિબંધ, નિયમ તોડનારાને થાય છે 11 હજારનો દંડ, જાણો શા માટે


  • Published By :
  • Published Date : 2023-01-15 13:37:35

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર યુવાનોમાં સૌથી વધું લોકપ્રિય છે. લોકો પતંગબાજી માટે કાતિલ ઠંડીમાં પણ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ચઢી જાય છે. જો  કે રાજ્યનું એક ગામ એવું પણ છે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે.  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં જો કોઈ પતંગ ચઢાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.


વર્ષ 1991થી જ છે પ્રતિબંધ 


ફતેપુરા  ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર નક્કી કરવામાં આવી છે અને તે ઉપરાંત 5 બોરી અનાજનો ધર્માદો પણ કરવો પડે છે.


શા માટે છે કડક નિયમ


ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે. વળી વીજ કરંટ લાગવાથી અને ધાબા પરથી પડી જવાથી ભૂતકાળમાં કેટલાક લોકોના મોત પણ થયા થે. આ કારણે ગામ લોકોએ સર્વસંમતિથી ગામમાં પતંગ નહીં ચઢાવવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનું આજે પણ પાલન કરવામાં આવે છે. 


ઉત્તરાયણ કેવી રીતે માનાવાય છે?


ફતેપુરા ગામમાં ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી લોકો પતંગ ચઢાવવાના બદલે  યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે. જ્યારે ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.