બનાસકાંઠાના આ ગામમાં પતંગબાજી પર છે પ્રતિબંધ, નિયમ તોડનારાને થાય છે 11 હજારનો દંડ, જાણો શા માટે


  • Published By :
  • Published Date : 2023-01-15 13:37:35

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર યુવાનોમાં સૌથી વધું લોકપ્રિય છે. લોકો પતંગબાજી માટે કાતિલ ઠંડીમાં પણ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ચઢી જાય છે. જો  કે રાજ્યનું એક ગામ એવું પણ છે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે.  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં જો કોઈ પતંગ ચઢાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.


વર્ષ 1991થી જ છે પ્રતિબંધ 


ફતેપુરા  ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર નક્કી કરવામાં આવી છે અને તે ઉપરાંત 5 બોરી અનાજનો ધર્માદો પણ કરવો પડે છે.


શા માટે છે કડક નિયમ


ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે. વળી વીજ કરંટ લાગવાથી અને ધાબા પરથી પડી જવાથી ભૂતકાળમાં કેટલાક લોકોના મોત પણ થયા થે. આ કારણે ગામ લોકોએ સર્વસંમતિથી ગામમાં પતંગ નહીં ચઢાવવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનું આજે પણ પાલન કરવામાં આવે છે. 


ઉત્તરાયણ કેવી રીતે માનાવાય છે?


ફતેપુરા ગામમાં ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી લોકો પતંગ ચઢાવવાના બદલે  યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે. જ્યારે ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.