બનાસકાંઠાના આ ગામમાં પતંગબાજી પર છે પ્રતિબંધ, નિયમ તોડનારાને થાય છે 11 હજારનો દંડ, જાણો શા માટે


  • Published By :
  • Published Date : 2023-01-15 13:37:35

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર યુવાનોમાં સૌથી વધું લોકપ્રિય છે. લોકો પતંગબાજી માટે કાતિલ ઠંડીમાં પણ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ચઢી જાય છે. જો  કે રાજ્યનું એક ગામ એવું પણ છે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે.  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં જો કોઈ પતંગ ચઢાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.


વર્ષ 1991થી જ છે પ્રતિબંધ 


ફતેપુરા  ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર નક્કી કરવામાં આવી છે અને તે ઉપરાંત 5 બોરી અનાજનો ધર્માદો પણ કરવો પડે છે.


શા માટે છે કડક નિયમ


ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે. વળી વીજ કરંટ લાગવાથી અને ધાબા પરથી પડી જવાથી ભૂતકાળમાં કેટલાક લોકોના મોત પણ થયા થે. આ કારણે ગામ લોકોએ સર્વસંમતિથી ગામમાં પતંગ નહીં ચઢાવવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનું આજે પણ પાલન કરવામાં આવે છે. 


ઉત્તરાયણ કેવી રીતે માનાવાય છે?


ફતેપુરા ગામમાં ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી લોકો પતંગ ચઢાવવાના બદલે  યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે. જ્યારે ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.