પિતાએ દીકરીના જીવતાજીવ કરી ઉત્તરક્રિયા, જાણો ક્યાંની છે આ ઘટના અને શા માટે પિતાએ લીધો આવ્યો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-01 16:28:30

દીકરો કે દીકરી અવતરે તો કહેવામાં આવે છે કે દીકરો માને વ્હાલો હોય છે અને દીકરી બાપને વ્હાલી હોય છે. બાપ દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ રાખી કાળજા કેરા કટકાને ઉછેરીને મોટી કરે છે. સમાજની વ્યવસ્થા સ્ત્રી વગર અધૂરી છે, સ્ત્રી વગર સર્જન અશક્ય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે દીકરી સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તે વાતનો વિરોધ માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા પણ પિતા દીકરી સાથે કરગરી રહ્યા હતા. ત્યારે આજે એક પિતાએ જીવતી દીકરીની ઉત્તરક્રિયા કરી દીધી.  . 

 જેના કારણે હાલ આ વાત વાયુવેગે પ્રસરી રહી છે.


 સૌરભ ગેલોત, દાહોદ: ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. જે બાદ પણ માતા પિતા સહિત પરિવારજનો તેમ જ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દીકરી આવી ન હતી. જેથી આ પિતાએ દીકરીની જિવતે જીવત ઉત્તરક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે.

બાપાએ મુંડન કરી જીવતી દીકરીની કરી ઉત્તરક્રિયા

આજે એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. વાત એમ હતી કે ગરબાડામાં એક મહિના પહેલા એક દીકરીએ પોતાના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે દરેક પરિવાર કરે છે તેમ આ પરિવારે પણ દીકરીને ઘરે પરત લાવવા પ્રયત્નો કર્યા પણ દીકરી ઘરે પાછી ના આવતા દીકરીના સગા બાપે દીકરી જીવતી હોવા છતાં પણ અંતિમ સંસ્કાર કરી દીધા છે. બાપે મુંડન કરીને સમાજ સામે પ્રસ્થાપિત કર્યું કે દીકરી અમારા માટે મરી ગઈ છે. આ બાબતે સમાજના વ્યક્તિએ સમાજ વતિ સરકારને અપીલ કરીને પોતાની વાત મૂકી હતી. 

Thumbnail image

દીકરીને ઘરે પાછા લાવવા પિતા પગે પડયા 

તે પહેલા પણ થોડા સમય પહેલા બનાસકાંઠાના દીયોદરના રૈયા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી કે છોકરી પોતાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરીને કહ્યું હતું કે અમારી દીકરી ગુમ છે. પોલીસે શોધખોળ કરતા દંપતી મળી હતી. પોલીસે માબાપ અને બંને નવ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરવા માટે અને ઘરે આવવા માટે બાપે પોતાની આબરુ છોડી દીકરીને પગે લાગવા લાગ્યા હતા છતાં પણ દીકરી ટસની મસ નહોતી થઈ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં લોકોએ છોકરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.