પિતાએ દીકરીના જીવતાજીવ કરી ઉત્તરક્રિયા, જાણો ક્યાંની છે આ ઘટના અને શા માટે પિતાએ લીધો આવ્યો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-01 16:28:30

દીકરો કે દીકરી અવતરે તો કહેવામાં આવે છે કે દીકરો માને વ્હાલો હોય છે અને દીકરી બાપને વ્હાલી હોય છે. બાપ દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ રાખી કાળજા કેરા કટકાને ઉછેરીને મોટી કરે છે. સમાજની વ્યવસ્થા સ્ત્રી વગર અધૂરી છે, સ્ત્રી વગર સર્જન અશક્ય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે દીકરી સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તે વાતનો વિરોધ માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા પણ પિતા દીકરી સાથે કરગરી રહ્યા હતા. ત્યારે આજે એક પિતાએ જીવતી દીકરીની ઉત્તરક્રિયા કરી દીધી.  . 

 જેના કારણે હાલ આ વાત વાયુવેગે પ્રસરી રહી છે.


 સૌરભ ગેલોત, દાહોદ: ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. જે બાદ પણ માતા પિતા સહિત પરિવારજનો તેમ જ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દીકરી આવી ન હતી. જેથી આ પિતાએ દીકરીની જિવતે જીવત ઉત્તરક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે.

બાપાએ મુંડન કરી જીવતી દીકરીની કરી ઉત્તરક્રિયા

આજે એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. વાત એમ હતી કે ગરબાડામાં એક મહિના પહેલા એક દીકરીએ પોતાના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે દરેક પરિવાર કરે છે તેમ આ પરિવારે પણ દીકરીને ઘરે પરત લાવવા પ્રયત્નો કર્યા પણ દીકરી ઘરે પાછી ના આવતા દીકરીના સગા બાપે દીકરી જીવતી હોવા છતાં પણ અંતિમ સંસ્કાર કરી દીધા છે. બાપે મુંડન કરીને સમાજ સામે પ્રસ્થાપિત કર્યું કે દીકરી અમારા માટે મરી ગઈ છે. આ બાબતે સમાજના વ્યક્તિએ સમાજ વતિ સરકારને અપીલ કરીને પોતાની વાત મૂકી હતી. 

Thumbnail image

દીકરીને ઘરે પાછા લાવવા પિતા પગે પડયા 

તે પહેલા પણ થોડા સમય પહેલા બનાસકાંઠાના દીયોદરના રૈયા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી કે છોકરી પોતાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરીને કહ્યું હતું કે અમારી દીકરી ગુમ છે. પોલીસે શોધખોળ કરતા દંપતી મળી હતી. પોલીસે માબાપ અને બંને નવ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરવા માટે અને ઘરે આવવા માટે બાપે પોતાની આબરુ છોડી દીકરીને પગે લાગવા લાગ્યા હતા છતાં પણ દીકરી ટસની મસ નહોતી થઈ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં લોકોએ છોકરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.