પિતાએ દીકરીના જીવતાજીવ કરી ઉત્તરક્રિયા, જાણો ક્યાંની છે આ ઘટના અને શા માટે પિતાએ લીધો આવ્યો નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-07-01 16:28:30

દીકરો કે દીકરી અવતરે તો કહેવામાં આવે છે કે દીકરો માને વ્હાલો હોય છે અને દીકરી બાપને વ્હાલી હોય છે. બાપ દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ રાખી કાળજા કેરા કટકાને ઉછેરીને મોટી કરે છે. સમાજની વ્યવસ્થા સ્ત્રી વગર અધૂરી છે, સ્ત્રી વગર સર્જન અશક્ય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે દીકરી સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તે વાતનો વિરોધ માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા પણ પિતા દીકરી સાથે કરગરી રહ્યા હતા. ત્યારે આજે એક પિતાએ જીવતી દીકરીની ઉત્તરક્રિયા કરી દીધી.  . 

 જેના કારણે હાલ આ વાત વાયુવેગે પ્રસરી રહી છે.


 સૌરભ ગેલોત, દાહોદ: ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. જે બાદ પણ માતા પિતા સહિત પરિવારજનો તેમ જ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દીકરી આવી ન હતી. જેથી આ પિતાએ દીકરીની જિવતે જીવત ઉત્તરક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે.

બાપાએ મુંડન કરી જીવતી દીકરીની કરી ઉત્તરક્રિયા

આજે એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. વાત એમ હતી કે ગરબાડામાં એક મહિના પહેલા એક દીકરીએ પોતાના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે દરેક પરિવાર કરે છે તેમ આ પરિવારે પણ દીકરીને ઘરે પરત લાવવા પ્રયત્નો કર્યા પણ દીકરી ઘરે પાછી ના આવતા દીકરીના સગા બાપે દીકરી જીવતી હોવા છતાં પણ અંતિમ સંસ્કાર કરી દીધા છે. બાપે મુંડન કરીને સમાજ સામે પ્રસ્થાપિત કર્યું કે દીકરી અમારા માટે મરી ગઈ છે. આ બાબતે સમાજના વ્યક્તિએ સમાજ વતિ સરકારને અપીલ કરીને પોતાની વાત મૂકી હતી. 

Thumbnail image

દીકરીને ઘરે પાછા લાવવા પિતા પગે પડયા 

તે પહેલા પણ થોડા સમય પહેલા બનાસકાંઠાના દીયોદરના રૈયા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી કે છોકરી પોતાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરીને કહ્યું હતું કે અમારી દીકરી ગુમ છે. પોલીસે શોધખોળ કરતા દંપતી મળી હતી. પોલીસે માબાપ અને બંને નવ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરવા માટે અને ઘરે આવવા માટે બાપે પોતાની આબરુ છોડી દીકરીને પગે લાગવા લાગ્યા હતા છતાં પણ દીકરી ટસની મસ નહોતી થઈ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં લોકોએ છોકરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.