આવી ગઈ બાપાની સવારી! Maharastraના લાલબાગચા રાજાની પહેલી ઝાંખી આવી સામે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 14:12:38

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. ભારતને ઉત્સવાનો દેશ પણ કહેવાય છે. વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો ભારતભરમાં પ્રચલિત થઈ જતા હોય છે. જેમ ગુજરાતની નવરાત્રી ફેમસ છે તેમ મહારાષ્ટ્રનો ગણપતિ મહોત્સવ ફેમસ છે. રાજસ્થાનમાં ગણગોર તો બંગાળમાં દુર્ગાપૂજા ફેમસ છે. ત્ચારે હવે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. 

લાલબાગના રાજાની પ્રથમ ઝાંખી જોવા મળી 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થવાની છે. બાપાનું સ્વાગત કરવા ભક્તો ઉત્સાહિત છે. ભક્તોનો ઉત્સાહ ત્યારે બમણો થયો જ્યારે મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝાંખી સામે આવી. આ પંડાલમાં વર્ષોવર્ષથી લાંબી કતારો જોવા મળતી હોય છે. આ પંડાલમાં ભક્તોની આસ્થા અતૂટ છે જેને કારણે જ લાલબાગ ગણપતિના દર્શન કરવા સામાન્ય માણસથી લઈ મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ આવતા હોય છે. બાપાની પ્રથમ ઝાંખી જોઈ ભક્તોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે.            



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.