આવી ગઈ બાપાની સવારી! Maharastraના લાલબાગચા રાજાની પહેલી ઝાંખી આવી સામે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 14:12:38

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. ભારતને ઉત્સવાનો દેશ પણ કહેવાય છે. વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો ભારતભરમાં પ્રચલિત થઈ જતા હોય છે. જેમ ગુજરાતની નવરાત્રી ફેમસ છે તેમ મહારાષ્ટ્રનો ગણપતિ મહોત્સવ ફેમસ છે. રાજસ્થાનમાં ગણગોર તો બંગાળમાં દુર્ગાપૂજા ફેમસ છે. ત્ચારે હવે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. 

લાલબાગના રાજાની પ્રથમ ઝાંખી જોવા મળી 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થવાની છે. બાપાનું સ્વાગત કરવા ભક્તો ઉત્સાહિત છે. ભક્તોનો ઉત્સાહ ત્યારે બમણો થયો જ્યારે મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝાંખી સામે આવી. આ પંડાલમાં વર્ષોવર્ષથી લાંબી કતારો જોવા મળતી હોય છે. આ પંડાલમાં ભક્તોની આસ્થા અતૂટ છે જેને કારણે જ લાલબાગ ગણપતિના દર્શન કરવા સામાન્ય માણસથી લઈ મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ આવતા હોય છે. બાપાની પ્રથમ ઝાંખી જોઈ ભક્તોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે.            



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.