આવી ગઈ બાપાની સવારી! Maharastraના લાલબાગચા રાજાની પહેલી ઝાંખી આવી સામે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 14:12:38

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. ભારતને ઉત્સવાનો દેશ પણ કહેવાય છે. વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો ભારતભરમાં પ્રચલિત થઈ જતા હોય છે. જેમ ગુજરાતની નવરાત્રી ફેમસ છે તેમ મહારાષ્ટ્રનો ગણપતિ મહોત્સવ ફેમસ છે. રાજસ્થાનમાં ગણગોર તો બંગાળમાં દુર્ગાપૂજા ફેમસ છે. ત્ચારે હવે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. 

લાલબાગના રાજાની પ્રથમ ઝાંખી જોવા મળી 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થવાની છે. બાપાનું સ્વાગત કરવા ભક્તો ઉત્સાહિત છે. ભક્તોનો ઉત્સાહ ત્યારે બમણો થયો જ્યારે મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝાંખી સામે આવી. આ પંડાલમાં વર્ષોવર્ષથી લાંબી કતારો જોવા મળતી હોય છે. આ પંડાલમાં ભક્તોની આસ્થા અતૂટ છે જેને કારણે જ લાલબાગ ગણપતિના દર્શન કરવા સામાન્ય માણસથી લઈ મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ આવતા હોય છે. બાપાની પ્રથમ ઝાંખી જોઈ ભક્તોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે.            



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.