વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં રૂ. 37,059 કરોડનું FDI આવ્યું, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી મોખરે


  • Published By :
  • Published Date : 2023-06-26 20:30:59

દેશમાં ગુજરાતની ગણના એક ઔદ્યોગિક રાજ્ય તરીકે થાય છે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેના દ્વારા લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જો કે તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં રસપ્રદ હકીકત સામે આવી છે. જે મુજબ ગુજરાત દેશના અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીથી પાછળ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા વિવિધ રાજ્યોમાં નાણાંકીય વર્ષ 2022-23ના FDI ઇનફ્લોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.


વર્ષ 2022-23માં 37,059 કરોડનો FDI ઈન્ફ્લો 


DPIIT દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વર્ષ 2022-23 દરમિયાન સૌથી વધુ FDIનો મૂડીપ્રવાહ મેળવનાર રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં રૂ. 37,059 કરોડનું  FDI આવ્યુ છે, અને ગત વર્ષ કરતા સીધા વિદેશી મૂડીરોકાણમાં 83 ટકાનો વધારો દર્શાવે છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 20,169 કરોડ અને વર્ષ 2020-21માં 1,62,830 કરોડ રૂપિયાનું વિક્રમી સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતુ. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 2,39,025 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે. વર્ષ 2022-23માં ગુજરાતના 33 માંથી માત્ર 15 જિલ્લાઓ FDIને આકર્ષવામાં સફળ રહ્યા છે, રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર, વલસાડ અને સુરતમાં વિદેશી રોકાણ આવ્યું છે.


વર્ષ 2022-23માં 471 કરોડ ડોલરનું  FDI 


ગુજરાતમાં ડોલર સ્વરૂપે આવેલા  FDI ઈન્ફ્લો અંગે વાત કરીયે તો ગુજરાતમાં વર્ષ 2020-21માં 2189 કરોડ ડોલર, વર્ષ 2021-22માં 270 કરોડ ડોલર અને વર્ષ 2022-23માં 471 કરોડ ડોલરનું  FDI આવ્યું છે. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 3190 કરોડ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે.


રાજ્યમાં FDI ઈન્ફ્લો ઉત્તરોત્તર ઘટ્યો


અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં FDI ઈન્ફ્લોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020+21માં વિક્રમી 1.62 કરોડ રૂપિયાનું  FDI હાંસલ કરીને સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવનાર રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જો કે ત્યાર બાદના વર્ષ 2021-22માં માત્ર 20169 કરોડ રૂપિયાનું  FDI આવતા આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવી ગયું હતું.


ધોલેરા SIRમાં સ્થપાશે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ


ગુજરાતમાં સપ્ટેમ્બર 2022માં અમદાવાદ નજીક ધોલેરા SIR ખાતે વેદાંતા-ફોક્સકોનનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનું નક્કી કરાયું છે. આ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ હશે. આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ એ વેદાંત-ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે અને તેમાં 1.54 કરોડ રૂપિયાનું રોકાણ થવાની અપેક્ષા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.