ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ! જાણો વાતાવરણને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-31 10:20:14

જો કોઈ તમને પૂછે કે હમણાં કઈ સીઝન ચાલી રહી છે તો તમે કહેશો કે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે આકરો તડકો હોય છે. તડકો એટલો હોય છે લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. સાચી વાત છે સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે તાપ લાગવા લાગે છે. સામાન્ય રીતે શિયાળાના સમયે આવતો તડકો લોકોને પસંદ હોય છે, ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તડકો શોધતા હોય છે પરંતુ હમણાં બપોરના સમયે જે પ્રમાણે તડકો પડે છે તે આકરો હોય છે. ત્યારે આવનાર દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



આવનાર દિવસોમાં થઈ શકે છે બેવડી ઋતુનો અહેસાસ 

જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી. શિયાળાની શરૂઆત થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અમુભવ ન થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી સાંભળતા જ ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. આખો દિવસ તાપમાન ઠંડુ રહેતું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત પહેલા બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે તડકાની રાહ શિયાળાના દિવસોમાં જોવાતી હતી તે હવે આકરો લાગવા લાગ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઉંચકાઈ શકે છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, વડોદરાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી, વલસાડનું 14.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. સુરતનું તાપમાન 17 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટનું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. 



અંબાલાલ પટેલે કરી આ આગાહી... 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ફ્રેબુઆરીમાં જાન્યુઆરી મહિના કરતા વધારે ઠંડી પડશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.