ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ! જાણો વાતાવરણને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-31 10:20:14

જો કોઈ તમને પૂછે કે હમણાં કઈ સીઝન ચાલી રહી છે તો તમે કહેશો કે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે આકરો તડકો હોય છે. તડકો એટલો હોય છે લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. સાચી વાત છે સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે તાપ લાગવા લાગે છે. સામાન્ય રીતે શિયાળાના સમયે આવતો તડકો લોકોને પસંદ હોય છે, ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તડકો શોધતા હોય છે પરંતુ હમણાં બપોરના સમયે જે પ્રમાણે તડકો પડે છે તે આકરો હોય છે. ત્યારે આવનાર દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



આવનાર દિવસોમાં થઈ શકે છે બેવડી ઋતુનો અહેસાસ 

જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી. શિયાળાની શરૂઆત થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અમુભવ ન થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી સાંભળતા જ ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. આખો દિવસ તાપમાન ઠંડુ રહેતું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત પહેલા બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે તડકાની રાહ શિયાળાના દિવસોમાં જોવાતી હતી તે હવે આકરો લાગવા લાગ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઉંચકાઈ શકે છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, વડોદરાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી, વલસાડનું 14.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. સુરતનું તાપમાન 17 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટનું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. 



અંબાલાલ પટેલે કરી આ આગાહી... 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ફ્રેબુઆરીમાં જાન્યુઆરી મહિના કરતા વધારે ઠંડી પડશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.