ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ! જાણો વાતાવરણને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-31 10:20:14

જો કોઈ તમને પૂછે કે હમણાં કઈ સીઝન ચાલી રહી છે તો તમે કહેશો કે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે આકરો તડકો હોય છે. તડકો એટલો હોય છે લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. સાચી વાત છે સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે તાપ લાગવા લાગે છે. સામાન્ય રીતે શિયાળાના સમયે આવતો તડકો લોકોને પસંદ હોય છે, ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તડકો શોધતા હોય છે પરંતુ હમણાં બપોરના સમયે જે પ્રમાણે તડકો પડે છે તે આકરો હોય છે. ત્યારે આવનાર દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



આવનાર દિવસોમાં થઈ શકે છે બેવડી ઋતુનો અહેસાસ 

જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી. શિયાળાની શરૂઆત થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અમુભવ ન થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી સાંભળતા જ ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. આખો દિવસ તાપમાન ઠંડુ રહેતું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત પહેલા બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે તડકાની રાહ શિયાળાના દિવસોમાં જોવાતી હતી તે હવે આકરો લાગવા લાગ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઉંચકાઈ શકે છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, વડોદરાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી, વલસાડનું 14.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. સુરતનું તાપમાન 17 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટનું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. 



અંબાલાલ પટેલે કરી આ આગાહી... 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ફ્રેબુઆરીમાં જાન્યુઆરી મહિના કરતા વધારે ઠંડી પડશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. 




મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. એ ખેતરમાં મહેનત કરે છે તેના કારણ કે જ આપણી થાળીમાં અન્ન પહોંચે છે. ત્યારે સાહિત્યના સમીપમાં ખેડૂતોને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...