Gujaratમાં કાળઝાળ ગરમીનો અહેસાસ, ગરમીથી બચવા માટે આપણી પાસે વ્યવસ્થાઓ છે પરંતુ ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે.


  • Published By :
  • Published Date : 2024-05-24 12:30:30

ગરમીનો પારો સતત વધી રહ્યો છે..પાણી અથવા તો લિક્વીડ પદાર્થો પુષ્કળ માત્રામાં પીવા જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.. પરંતુ જ્યારે આપણે રસ્તા પર જઈએ અને તરસ લાગે ત્યારે? અનેક લોકો પોતાની સાથે પાણીની બોટલ લઈને જતા હોય છે પરંતુ અનેક લોકો પાણી નથી લઈને જતા.. જ્યારે તરસ લાગે છે ત્યારે અનેક જગ્યાઓ પર ઠંડા પાણીની વ્યવસ્થા  સામાન્ય માણસો દ્વારા કરવામાં આવે છે.. કોઈ જગ્યા પર પાણી આપવામાં આવે છે તો કોઈ જગ્યા પર મફતમાં છાશનું વિતરણ કરાય છે.. યથાશક્તિ તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે.. જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે લાગે છે કે માનવતા હજી જીવંત છે...   


કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકો કરે છે કામ! 

ઘણી વખત આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે આપણી આસપાસ શું બને છે, આપણી આસપાસ રહેતી વ્યક્તિ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેની જાણ પણ નથી હોતી.. કાળઝાળ ગરમીનો સામનો હમણા થઈ રહ્યો છે.. ગરમીથી બચવા માટે ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ તેવા લોકોની વાત નથી કરવામાં આવતી જેમનું ઘર જ રસ્તા હોય..! એવા લોકો વિશે ઓછી વાત થાય છે જે આવી કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે.. 



ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે... 

જ્યારે આપણે થોડા સમય માટે ચામડી દઝાડતી ગરમીમાં બહાર નીકળીએ છે ત્યારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોઈએ છીએ.. ક્યારે આપણે ઘરે પહોંચીએ અને એસી ચાલુ કરીને રાહતનો શ્વાસ લઈએ તેના વિચાર કરવા લાગીએ છીએ..નાના બાળકો બિમાર ના પડે તેની કાળજી રાખીએ છીએ પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર રહેતા લોકો, મજૂરી કરતા લોકોને કેટલી ગરમી સહન કરવી પડતી હોય છે.. તેમના પણ બાળકો નાના છે ક્યારેય આપણે એમના માટે વિચાર્યું કે તે કેવી પરિસ્થિતિમાં જીવતા હશે.. અનેક વખત એવા લોકો આપણને રસ્તામાં દેખાતા હોય છે જે આટલી આકરી ગરમીમાં પણ ચપ્પલ વગર ચાલે છે.. 


રોજીરોટી માટે ભર તડકામાં લોકો કરે છે મજૂરી 

જ્યારે આપણે આવા દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણને મનમાં થાય કે આ લોકો તો આવી રીતે ટેવાઈ ગયા છે. આ લોકોને તો આદત છે આવી રીતે જીવવાની.. આ બધા વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે તે પણ માણસ છે.. જ્યારે આપણે આવા લોકોને જોઈએ ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વરે તમને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આ લોકોને નથી મળી..ગરમીની ફરિયાદ કરતા પહેલા એક વખત આવા લોકોનો વિચાર કરવો જોઈએ જે ભર તડકે પોતાની રોજીરોટી માટે કામ કરે છે.. એ પછી સાઈટ પર કામ કરતો કોઈ મજૂર હોય છે કે પછી રસ્તામાં લારીને લઈ જતો વ્યક્તિ હોય..


આપણાથી શક્ય હોય તેટલી મદદ તો કરી શકીએને.. 

આપણે એમના માટે કંઈ ભલે ના કરી શકીએ પરંતુ માનવતાને મહેંકાવવાના પ્રયાસો તો કરી શકીએને.. આપણા ઘરે જ્યારે કોઈ નાનો, સામાન્ય વ્યક્તિ કોઈ પાર્સલ લઈને આવે, ગેસ સિલિન્ડરને લઈ આવે તો તેમને આપણે પાણીનું તો પૂછી જ શકીએને.. તેમને આવકારો તો સારો આપી શકીએને.. શક્ય હોય તેટલી મદદ તો આપણે કરી શકીએને માનવતાને મહેંકાવાની... 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.