Gujaratમાં કાળઝાળ ગરમીનો અહેસાસ, ગરમીથી બચવા માટે આપણી પાસે વ્યવસ્થાઓ છે પરંતુ ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે.


  • Published By :
  • Published Date : 2024-05-24 12:30:30

ગરમીનો પારો સતત વધી રહ્યો છે..પાણી અથવા તો લિક્વીડ પદાર્થો પુષ્કળ માત્રામાં પીવા જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.. પરંતુ જ્યારે આપણે રસ્તા પર જઈએ અને તરસ લાગે ત્યારે? અનેક લોકો પોતાની સાથે પાણીની બોટલ લઈને જતા હોય છે પરંતુ અનેક લોકો પાણી નથી લઈને જતા.. જ્યારે તરસ લાગે છે ત્યારે અનેક જગ્યાઓ પર ઠંડા પાણીની વ્યવસ્થા  સામાન્ય માણસો દ્વારા કરવામાં આવે છે.. કોઈ જગ્યા પર પાણી આપવામાં આવે છે તો કોઈ જગ્યા પર મફતમાં છાશનું વિતરણ કરાય છે.. યથાશક્તિ તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે.. જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે લાગે છે કે માનવતા હજી જીવંત છે...   


કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકો કરે છે કામ! 

ઘણી વખત આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે આપણી આસપાસ શું બને છે, આપણી આસપાસ રહેતી વ્યક્તિ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેની જાણ પણ નથી હોતી.. કાળઝાળ ગરમીનો સામનો હમણા થઈ રહ્યો છે.. ગરમીથી બચવા માટે ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ તેવા લોકોની વાત નથી કરવામાં આવતી જેમનું ઘર જ રસ્તા હોય..! એવા લોકો વિશે ઓછી વાત થાય છે જે આવી કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે.. 



ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે... 

જ્યારે આપણે થોડા સમય માટે ચામડી દઝાડતી ગરમીમાં બહાર નીકળીએ છે ત્યારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોઈએ છીએ.. ક્યારે આપણે ઘરે પહોંચીએ અને એસી ચાલુ કરીને રાહતનો શ્વાસ લઈએ તેના વિચાર કરવા લાગીએ છીએ..નાના બાળકો બિમાર ના પડે તેની કાળજી રાખીએ છીએ પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર રહેતા લોકો, મજૂરી કરતા લોકોને કેટલી ગરમી સહન કરવી પડતી હોય છે.. તેમના પણ બાળકો નાના છે ક્યારેય આપણે એમના માટે વિચાર્યું કે તે કેવી પરિસ્થિતિમાં જીવતા હશે.. અનેક વખત એવા લોકો આપણને રસ્તામાં દેખાતા હોય છે જે આટલી આકરી ગરમીમાં પણ ચપ્પલ વગર ચાલે છે.. 


રોજીરોટી માટે ભર તડકામાં લોકો કરે છે મજૂરી 

જ્યારે આપણે આવા દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણને મનમાં થાય કે આ લોકો તો આવી રીતે ટેવાઈ ગયા છે. આ લોકોને તો આદત છે આવી રીતે જીવવાની.. આ બધા વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે તે પણ માણસ છે.. જ્યારે આપણે આવા લોકોને જોઈએ ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વરે તમને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આ લોકોને નથી મળી..ગરમીની ફરિયાદ કરતા પહેલા એક વખત આવા લોકોનો વિચાર કરવો જોઈએ જે ભર તડકે પોતાની રોજીરોટી માટે કામ કરે છે.. એ પછી સાઈટ પર કામ કરતો કોઈ મજૂર હોય છે કે પછી રસ્તામાં લારીને લઈ જતો વ્યક્તિ હોય..


આપણાથી શક્ય હોય તેટલી મદદ તો કરી શકીએને.. 

આપણે એમના માટે કંઈ ભલે ના કરી શકીએ પરંતુ માનવતાને મહેંકાવવાના પ્રયાસો તો કરી શકીએને.. આપણા ઘરે જ્યારે કોઈ નાનો, સામાન્ય વ્યક્તિ કોઈ પાર્સલ લઈને આવે, ગેસ સિલિન્ડરને લઈ આવે તો તેમને આપણે પાણીનું તો પૂછી જ શકીએને.. તેમને આવકારો તો સારો આપી શકીએને.. શક્ય હોય તેટલી મદદ તો આપણે કરી શકીએને માનવતાને મહેંકાવાની... 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.