પાટણના હારીજમાં ખાતરનું કાળાબજાર, SOG ટીમે યુરિયા ખાતરની 562 બેગ ઝડપી, 4 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-05 11:18:09

રાજ્યમાં ખેડૂતો યુરીયા ખાતર માટે ટળવળી રહ્યા છે, ત્યારે યૂરિયા ખાતરનું કાળાબજારનું મોટું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા જોવા મળે છે તો બીજી તરફ આ ખેડૂતોના ભાગનું યુરીયા ખાતર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. પાટણમાં એસઓજી પોલીસ ટીમે દરોડો પાડીને કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 



11,62,294નો મુદ્દામાલ જપ્ત 


આજે પાટણ જિલ્લાના હારીજમાં  SOG પોલીસ સબસીડીયુક્ત નિમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ એસઓજીએ બાતમીના આધારે હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડીને આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગ માટે આ ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટું કૌંભાડ સામે આવતા  તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતું તે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન  SOG પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો 1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક, 2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર, 3. દેસાઈ ભીખાભાઇ, 4. ઠાકોર મનુંજી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે પાટણ જિલ્લામાંથી પણ ખેડૂતોનો તેમના કૃષિ પાક માટે સમયસર ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સ્થિતીમાં યુરીયા ખાતરનો આટલો મોટો જથ્થો ઝડપાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.