પાટણના હારીજમાં ખાતરનું કાળાબજાર, SOG ટીમે યુરિયા ખાતરની 562 બેગ ઝડપી, 4 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-05 11:18:09

રાજ્યમાં ખેડૂતો યુરીયા ખાતર માટે ટળવળી રહ્યા છે, ત્યારે યૂરિયા ખાતરનું કાળાબજારનું મોટું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા જોવા મળે છે તો બીજી તરફ આ ખેડૂતોના ભાગનું યુરીયા ખાતર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. પાટણમાં એસઓજી પોલીસ ટીમે દરોડો પાડીને કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 



11,62,294નો મુદ્દામાલ જપ્ત 


આજે પાટણ જિલ્લાના હારીજમાં  SOG પોલીસ સબસીડીયુક્ત નિમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ એસઓજીએ બાતમીના આધારે હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડીને આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગ માટે આ ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટું કૌંભાડ સામે આવતા  તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતું તે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન  SOG પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો 1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક, 2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર, 3. દેસાઈ ભીખાભાઇ, 4. ઠાકોર મનુંજી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે પાટણ જિલ્લામાંથી પણ ખેડૂતોનો તેમના કૃષિ પાક માટે સમયસર ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સ્થિતીમાં યુરીયા ખાતરનો આટલો મોટો જથ્થો ઝડપાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી