પાટણના હારીજમાં ખાતરનું કાળાબજાર, SOG ટીમે યુરિયા ખાતરની 562 બેગ ઝડપી, 4 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-05 11:18:09

રાજ્યમાં ખેડૂતો યુરીયા ખાતર માટે ટળવળી રહ્યા છે, ત્યારે યૂરિયા ખાતરનું કાળાબજારનું મોટું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા જોવા મળે છે તો બીજી તરફ આ ખેડૂતોના ભાગનું યુરીયા ખાતર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. પાટણમાં એસઓજી પોલીસ ટીમે દરોડો પાડીને કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 



11,62,294નો મુદ્દામાલ જપ્ત 


આજે પાટણ જિલ્લાના હારીજમાં  SOG પોલીસ સબસીડીયુક્ત નિમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ એસઓજીએ બાતમીના આધારે હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડીને આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગ માટે આ ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટું કૌંભાડ સામે આવતા  તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતું તે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન  SOG પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો 1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક, 2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર, 3. દેસાઈ ભીખાભાઇ, 4. ઠાકોર મનુંજી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે પાટણ જિલ્લામાંથી પણ ખેડૂતોનો તેમના કૃષિ પાક માટે સમયસર ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સ્થિતીમાં યુરીયા ખાતરનો આટલો મોટો જથ્થો ઝડપાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.