પાટણના હારીજમાં ખાતરનું કાળાબજાર, SOG ટીમે યુરિયા ખાતરની 562 બેગ ઝડપી, 4 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-05 11:18:09

રાજ્યમાં ખેડૂતો યુરીયા ખાતર માટે ટળવળી રહ્યા છે, ત્યારે યૂરિયા ખાતરનું કાળાબજારનું મોટું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ લાઈન લગાવતા જોવા મળે છે તો બીજી તરફ આ ખેડૂતોના ભાગનું યુરીયા ખાતર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. પાટણમાં એસઓજી પોલીસ ટીમે દરોડો પાડીને કૌભાંડને ઝડપી પાડ્યુ છે. શહેરમાંથી બારોબાર વેચાણ થતી યૂરિયા ખાતરની 562 બેગ અને સાથે ચાર આરોપીઓને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 



11,62,294નો મુદ્દામાલ જપ્ત 


આજે પાટણ જિલ્લાના હારીજમાં  SOG પોલીસ સબસીડીયુક્ત નિમકોટેડ યુરીયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ એસઓજીએ બાતમીના આધારે હારીજમાં શ્રી સિધ્ધેશ્વરી જીનિંગ કંપનીના ગોડાઉનમાં દરોડો પાડીને આ યૂરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔદ્યોગિક ઉપયોગ માટે આ ખાતરનું વેચાણ કરવામાં આવતું હતું. પાટણમાંથી યૂરિયા ખાતરનું બારોબાર થતું મોટું કૌંભાડ સામે આવતા  તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હારીજમાં ગેરકાયદે રીતે યૂરિયા ખાતરનું વેચાણ થતું તે જગ્યાએ અચાનક SOG પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન  SOG પોલીસે 562 થેલી યૂરિયા ખાતર ઝડપી પાડ્યુ હતુ. આ સાથે SOG પોલીસની ટીમે ગેર કાયદેસર રીતે યૂરિયા ખાતરનું વેચાણ કરતાં 4 ઇસમો 1, બારોટ ચેતનભાઈ, ગોડાઉન માલિક, 2, મુંજીબુર રહેમાન ઉસ્માન, યૂરિયાનો જથ્થો વેચનાર, 3. દેસાઈ ભીખાભાઇ, 4. ઠાકોર મનુંજી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલા દરોડામાં 562 થેલી યૂરિયા ખાતર, આઈસર ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 11 લાખ 62 હજાર 294 ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે પાટણ જિલ્લામાંથી પણ ખેડૂતોનો તેમના કૃષિ પાક માટે સમયસર ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે સ્થિતીમાં યુરીયા ખાતરનો આટલો મોટો જથ્થો ઝડપાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.