તહેવારોની સીઝનમાં બસ સ્ટેશનોમાં મોટી ભીડ, બસ ન મળતા અને રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:30

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને વળી દિવાળી વેકેશનનો પણ પ્રારંભ થઈ ગયો છે. તહેવારોને લઈ રાજ્યના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરાથી મોટા પ્રમાણમાં લોકો પોતાના ગામ જવા માટે ઉમટી રહ્યા છે. જો કે બસ સ્ટેશનમાં પુરતી સંખ્યામાં બસ ન હોવાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને રાજ્ય સરકાર પર માંછલા ધોયા હતા.


બસનું રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધારાનાની બસ દોડવાઈ રહી છે. જો કે તેમ છતાં પણ લોકોને બસમાં જગ્યા ન મળતા તેમણે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક મુસાફરોએ 15 દિવસ પહેલા બસનું રિઝર્વશન કરાવી રાખ્યું હતું તેમ છતાં છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.


તમામ બસ મુસાફરોથી ભરચક 


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો દિવાળી આવતા વતનની વાટ પકડી રહ્યા છે. જો કે તમામ મોટા બસ સ્ટેશનોમાં કીડીયારૂ ઉભરાયું હોય તેમ મુસાફરોના ટોળા જોવા મળી રહ્યા છે. તમામ રૂટની બસો મુસાફરોથી ભરચક જતી હોવાથી પરિવાર સાથે નિકળેલા લોકોની હાલત કફોળી થઈ હતી.  અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ હતી. ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા હતાં. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.