તહેવારોની સીઝન પહેલા ભેળસેળિયા તત્વો બેફામ, ગીર સોમનાથમાં SOGના દરોડા, નકલી ઘીના 121 ડબ્બા જપ્ત


  • Published By :
  • Published Date : 2023-08-24 18:34:47

રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં લઇ લેભાગુ અને ભેળસેળિયા તત્વો પણ ભેળસેળ યુક્ત સામાન માર્કેટમાં ઠાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવવાનું શરૂ કરી દીધું છે. ગીર સોમનાથમાં SOGએ નકલી ઘીના (fake ghee) કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 100થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.


નકલી ઘીના 121 ડબ્બા જપ્ત 


ગીર સોમનાથ SOGને નકલી ઘીના કારોબારની બાતમી મળતી ટીમે દરોડોની કામગીરી શરૂ કરી હતી. જેમાં ગતરોજ બુધવારે વેરાવળના ડારી ગામ અને વખારિયા બજારમાં દરોડા કરવામાં આવ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન કુલ 121 ડબ્બા શંકાસ્પદ ઘી સાથે મીની કારખાના ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.એ ડારી ગામ ખાતે આવેલી શ્યામ દિવેલ નામની પેઢીમાં દરોડો પાડી 52 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું. બીજી તરફ એસ.ઓ.જી.એ વેરાવળના વખારીયા બજારમાં પણ દરોડો કર્યો હતો જ્યાંથી 69 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની સામગ્રીઓ સાથે કુલ  કુલ રૂપિયા 2,34,205નો લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘીના નમૂનાઓ એકત્ર કર્યા. પોલીસની કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.


ઘીના સેમ્પલ મોકલાયા


પોલીસે ઝડપાયેલા શંકાસ્પદ ઘીના નમૂના અને પૃથ્થકરણની કામગીરી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ પહેલા પણ ગીર સોમનાથના ઉના ખાતેથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે ગીર સોમનાથનમાં નકલી ઘીનો કારોબાર ફુલીફાલી રહ્યો હોય તેવી સ્થિતી જણાય રહી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.