Radhanpurના MLA લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-21 10:06:10

ઘણા સમયથી શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય તેમજ કાર્યકરોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થતાં લોકોના મુખે ચર્ચા થતી હોય છે ત્યારે ફરી એક ધારાસભ્યની બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પૂર્વ તાલુકા સદસ્ય સાથે બોલાચાલી કરતા દેખાઈ રહ્યા છે. રાધનપુર ભાજપ દ્વારા આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં જમવા બેસવા બાબતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. 

સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન થઈ તૂં તૂં મેં મેં

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્યની બોલાચાલી પૂર્વ તાલુક સદસ્ય વચ્ચે થઈ હી છે. આ બોલાચાલી રાધનપુર ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં થઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા. તે સમયે ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થવા પામી હતી. 


સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્યની થઈ બોલાચાલી 

રાધનપુર ખાતે ભાજપ દ્વારા કરાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,  પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ તાલુકા સદસ્ય જયંતીજી ઠાકોર વચ્ચે સર્કીટ હાઉસ ખાતે કોઈ કારણોસર શાબ્દિક બોલાચાલી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 


 

હોબાળો થતા ધારાસભ્ય કાર્યક્રમ છોડી જતા રહ્યા

ધારાસભ્ય લવિંગજીના કેટલાય અવનવા વીડિયો અત્યાર સુધી વાયરલ થઇ ચુક્યા છે જેમાં થોડા સમય પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાજીઓ ભાષણ પણ અટકાવી દીધું હતું. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇએ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને ગાડી પરનું સાયરન વગાડીને નીકળી ગયા હતા.


સંતવાણી કાર્યક્રમમાં ધારાસભ્યએ કર્યો હતો પૈસાનો વરસાદ!

આ પહેલા ચૂંટણી વખતે જ્યારે આચાર સંહિતા ચાલી રહી હતી ત્યારે પણ લવિંગજીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સાંતલપુરના વારાહી ગામે સંતવાણી કાર્યક્રમમાં લવિંગજીએ નોટોનો વરસાદ કર્યો હતો.લવિંગજીએ ચૂંટણી આચારસંહિતા ભૂલી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ભાજપના ધારાસભ્યોનો આવા વીડિયો અવાર-નવાર વાયરલ થતાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.