Spainના આ શહેરમાં લાગી ભીષણ આગ, નાઈટ ક્લબમાં દુર્ઘટના સર્જાતા જીવતી હોમાઈ આટલી જીંદગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 08:59:37

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આગમાં જીવતા હોમાઈ જાય છે. આગ લાગવાના કિસ્સાઓ અનેક વખત આપણી સમક્ષ આવે છે. ત્યારે આગ લાગવાની  દુર્ઘટના સ્પેનમાં સર્જાઈ છે.  સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે જેમાં અનેક લોકો જીવતા ભૂંજાયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોતના થઈ ચૂક્યા છે. આ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના પણ  છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયો છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.


આગ લાગવાને કારણે અંદાજીત 11 જેટલા લોકોના થયા મોત

સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે. રવિવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બચાવ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ શહેરમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. શહેરના મેયર જોસ બેલેસ્ટાએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં ત્રણ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. આ આગ કેવી રીતે લાગી તેની તપાસ થઈ રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે ઉપરાંત નાઈટ ક્લબમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી. આ દુર્ઘટનામાં આ ગ્રુપના અનેક લોકો મર્યા હોય તેવી માહિતી સામે આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.