Spainના આ શહેરમાં લાગી ભીષણ આગ, નાઈટ ક્લબમાં દુર્ઘટના સર્જાતા જીવતી હોમાઈ આટલી જીંદગી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 08:59:37

આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આગમાં જીવતા હોમાઈ જાય છે. આગ લાગવાના કિસ્સાઓ અનેક વખત આપણી સમક્ષ આવે છે. ત્યારે આગ લાગવાની  દુર્ઘટના સ્પેનમાં સર્જાઈ છે.  સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે જેમાં અનેક લોકો જીવતા ભૂંજાયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોતના થઈ ચૂક્યા છે. આ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના પણ  છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયો છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.


આગ લાગવાને કારણે અંદાજીત 11 જેટલા લોકોના થયા મોત

સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે. રવિવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બચાવ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ શહેરમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. શહેરના મેયર જોસ બેલેસ્ટાએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં ત્રણ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. આ આગ કેવી રીતે લાગી તેની તપાસ થઈ રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે ઉપરાંત નાઈટ ક્લબમાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી. આ દુર્ઘટનામાં આ ગ્રુપના અનેક લોકો મર્યા હોય તેવી માહિતી સામે આવી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.