જ્ઞાન સહાયક ભરતી યોજનાનો ઉગ્ર વિરોધઃ ગાંધીનગરમાં ધરણા કરી રહેલા TET-TAT પાસ ઉમેદવારોની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-11-09 16:16:21

રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. TET-TAT પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં. આજે ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉમેદવારો ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર શિક્ષણ સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા સુત્રોચ્ચારો કર્યા હતા.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.


પોલીસે કરી અટકાયત


TET-TAT પાસ ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા ઉમેદવારોની ટિંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો જણાવે છે કે, સરકારને વિનંતિ કે કાયમી શિક્ષકોની ભરતી કરો આ જ્ઞાન સહાયકના ગતકડાં નહી ચાલે. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. તેમણે કહ્યું કે અમે ભાવિ શિક્ષકો છે. અમે આતંકવાદી નથી અમારી સાથે આવું વર્તન ના કરો. આવી રીતે અમારા શર્ટ ફાડી, ઢસડીને લઈ આવો છો. પોલીસને આગળ કરો છો. શું સરકારમાં આટલી મર્દાનગી નથી કે અમારા સવાલો સાંભળે. બિહારમાં આપણી ટેટ પરિક્ષા પુર્ણ થઈ પછી ટેટની પરિક્ષા લેવાઈ ત્યાં નિયુક્તિ પણ મળી ગઈ છે. અહીં અમને રોડ પર ઢસેડવામાં આવે છે. ભાવી શિક્ષકો સામે જ કાયદાનો કોરડો ઉગામતાં સરકાર સામે પણ સવાલો ઉભા થયાં છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી