Tamil Naduમાં ભીષણ રોડ અકસ્માત, ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ફરી વળી ગાડી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-11 16:43:59

થોડા સમય પહેલા અમદાવાદમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તો કોઈ વખત અન્ય કારણોસર ગાડી પરથી કાબુ જતો રહે અને અંતે અકસ્માત સર્જાય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત તમિલનાડુના તિરૂપથુરમાં સર્જાયો છે, જ્યાં ફુટપાથ પર બેઠેલા લોકો પર વાન ચાલી ગઈ. આ ઘટનામાં 7 જેટલી મહિલાઓના મોત થઈ ગયા છે.


અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો ઘરે પરત ફરશે કે નહીં તેની ગેરંટી નથી. રસ્તા પર સર્જાતા અકસ્માત અનેક વખત લોકોના જીવ લઈ લેતા હોય છે. અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ જતા હોય છે. કોઈની મજા કોઈ માટે સજા સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત તમિલનાડુમાં સર્જાયો છે જેમાં 7 મહિલાઓના મોત ઘટના સ્થળ પર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં કોઈ ખામી સર્જાતા ગાડીને રિપેરિંગ માટે રોડની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી.


મહિલાઓ પર વાહન ફરી વળતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી ઠીક થઈ રહી હતી જેને લઈ ગાડીમાં સવાર મહિલાઓ ફૂટપાટ પર બેઠી. પરંતુ ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ કાળનો કોળિયો બની ગઈ. પાછળથી આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારી અને ફૂટપાટ પર ફરી વળી. ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ટ્રક ફરી વળી હતી અને ટ્રક મહિલાઓને કચડીને લઈ ગઈ,  આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર જે લોકો સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે કર્ણાટકથી ધર્મશાળાની યાત્રા પર જઈ રહ્યા હતા. 


પોલીસે આ મામલે કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

પીડિતો બે વેનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેંગલુરૂ-ચેન્નઈ રાષ્ટ્રીય  રાજમાર્ગ પર નટરામપલ્લીમાં એક વાહનનું ટાયર બગડી ગયું. જેને લઈ યાત્રી રસ્તામાં ફસાઈ ગયા. પેસેન્જરને ઉતાર્યા બાદ કાર ચાલક ગાડીને રિપેર કરી રહ્યો હતો.. તે બાદ બેંગ્લુરૂથી આવી રહેલી ટ્રકે વેનને પાછળથી ટક્કર મારી જેને કારણે વેન સાત મહિલાઓને કચડીને જતી રહી. આ ઘટનાની જાણ થતાં તમિલનાડુના મુખ્યમંત્રીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .