ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સની હાર બાદ ચાહકોમાં આક્રોશ, રાજધાની પેરીસ સહિત અનેક શહેરોમાં હિંસા


  • Published By :
  • Published Date : 2022-12-19 13:44:55

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સ અને અર્જેન્ટિના ટકારાયા હતા. જો કે ફ્રાન્સનો કારમો પરાજય થતા રાજધાની પેરિસ સહિત દેશના અન્ય ભાગોમાં જોરદાર હિંસા ફાટી નિકળી હતી. હજારો ફુટબોલ ચાહકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો કરવા લાગ્યો હતા. તેમના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસના નાકે દમ આવી ગયો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા.  


લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો


મીડિયા રિપોર્ટસ મુજબ પેરિસ અને અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ફુટબોલ પ્રમીઓ મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બારમાં એકત્રિત થયા હતા. જો કે ફ્રાન્સની હાર બાદ લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, અને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પાણીનો મારો અને આંસુ ગેસ છોડીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.


સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ


ફ્રાન્સના વિવિધ શહેરોમાં તોફાની તત્વોએ તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓએ માર્ગો પરના સ્ટોલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક લોકોએ ગોળ ફટાકડાં અને પથ્થરોથી પોલીસકર્મીઓ પણ હુમલા કર્યા હતા. રાજધાની પેરીસ ઉપરાંત લ્યોન અને નીસ શહેરમાં પણ મોટાપ્રમાણાં તોફાનો થયા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.