ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સની હાર બાદ ચાહકોમાં આક્રોશ, રાજધાની પેરીસ સહિત અનેક શહેરોમાં હિંસા


  • Published By :
  • Published Date : 2022-12-19 13:44:55

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સ અને અર્જેન્ટિના ટકારાયા હતા. જો કે ફ્રાન્સનો કારમો પરાજય થતા રાજધાની પેરિસ સહિત દેશના અન્ય ભાગોમાં જોરદાર હિંસા ફાટી નિકળી હતી. હજારો ફુટબોલ ચાહકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો કરવા લાગ્યો હતા. તેમના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસના નાકે દમ આવી ગયો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા.  


લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો


મીડિયા રિપોર્ટસ મુજબ પેરિસ અને અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ફુટબોલ પ્રમીઓ મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બારમાં એકત્રિત થયા હતા. જો કે ફ્રાન્સની હાર બાદ લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, અને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પાણીનો મારો અને આંસુ ગેસ છોડીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.


સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ


ફ્રાન્સના વિવિધ શહેરોમાં તોફાની તત્વોએ તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓએ માર્ગો પરના સ્ટોલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક લોકોએ ગોળ ફટાકડાં અને પથ્થરોથી પોલીસકર્મીઓ પણ હુમલા કર્યા હતા. રાજધાની પેરીસ ઉપરાંત લ્યોન અને નીસ શહેરમાં પણ મોટાપ્રમાણાં તોફાનો થયા હતા.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.