વિસાવદરમાં ભાજપે કોળી સમાજના આગેવાનોને સોંપી જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-29 14:04:50

ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

ECI announces by -polls for 5 Constituencies spread across four states -

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર થઇ ચુકી છે. ૧૯મી જૂનના રોજ વિસાવદરની બેઠક પર મતદાન યોજાશે જયારે ૨૩મી જૂનના રોજ તેના પરિણામ આવશે. આ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપે આ માટે તેના બે કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળીયા અને હીરા સોલંકીને જવાબદારી સોંપી છે . આ સાથે જ બે મંત્રીઓ જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ અહીં ચૂંટણી જીતવા માટે કોઈ પણ કસર છોડવા માંગતું નથી . એવી પણ સંભાવના છે કે , ભાજપ અહીં પાટીદાર સમાજના આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે. આ માટે થોડાક સમય પેહલા જ ભાજપના નિરીક્ષકો ગૌતમ ગેડીયા , મોહન કુંડારીયા અને અમી પારેખએ સેન્સ પ્રક્રિયા પુરી કરી છે. 

Aap Aadmi Party Fields Gopal Italia As Its Candidate For Visavadar Assembly  By-elections In Gujarat - Amar Ujala Hindi News Live - By-elections:गुजरात  में विसावदर विधानसभा उपचुनाव के लिए आप ने उतारा

જૂનાગઢની વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે , ભાજપને ૨૦૦૭ પછી સફળતા હાંસલ નથી થઇ. એક સમયે આ બેઠક પરથી ભાજપના કદાવર નેતા કેશુભાઈ પટેલ ચૂંટાતા હતા . ૨૦૧૪ની પેટાચૂંટણીમાં હર્ષદ રિબડીયાની જીત થઈ  હતી આ પછી ૨૦૧૭માં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા અને ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી અહીંથી ચૂંટાયા છે. આ માટે સરકારે હવે ત્રણ મંત્રીઓને કામગીરી સોંપી છે જગદીશ પંચાલ , કુંવરજી બાવળીયા અને રાઘવજી પટેલ . આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. હવે સમજીએ કે વિસાવદરમાં જ્ઞાતિ સમીકરણ કઈ રીતે છે. અંદાજે ૫૦૦૦૦ જેટલા પાટીદાર સમાજના મત છે  , બીજા નંબરે કોળી સમાજના મત છે ત્યારબાદ નાની નાની જ્ઞાતિઓ આવે છે. એટલે તમે કોળી સમાજના મતનું મહત્વ સમજી શકો છો. આજે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે જેમાં વિસાવદર માટે ઉમેદવાર નક્કી થશે . આ માટે ભાજપમાંથી કિરીટ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો , તેણે ગોપાલ ઇટાલિયાને પેહલાથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેઓ ૩૧મી તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવન્ત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે. 




ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે.

ભારતમાં કોરોનાના નવા બે વેરિયન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો .