વિસાવદરમાં ભાજપે કોળી સમાજના આગેવાનોને સોંપી જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-29 14:04:50

ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

ECI announces by -polls for 5 Constituencies spread across four states -

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર થઇ ચુકી છે. ૧૯મી જૂનના રોજ વિસાવદરની બેઠક પર મતદાન યોજાશે જયારે ૨૩મી જૂનના રોજ તેના પરિણામ આવશે. આ માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપે આ માટે તેના બે કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળીયા અને હીરા સોલંકીને જવાબદારી સોંપી છે . આ સાથે જ બે મંત્રીઓ જગદીશ પંચાલ અને રાઘવજી પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ અહીં ચૂંટણી જીતવા માટે કોઈ પણ કસર છોડવા માંગતું નથી . એવી પણ સંભાવના છે કે , ભાજપ અહીં પાટીદાર સમાજના આગેવાનને મેદાનમાં ઉતારી શકે છે. આ માટે થોડાક સમય પેહલા જ ભાજપના નિરીક્ષકો ગૌતમ ગેડીયા , મોહન કુંડારીયા અને અમી પારેખએ સેન્સ પ્રક્રિયા પુરી કરી છે. 

Aap Aadmi Party Fields Gopal Italia As Its Candidate For Visavadar Assembly  By-elections In Gujarat - Amar Ujala Hindi News Live - By-elections:गुजरात  में विसावदर विधानसभा उपचुनाव के लिए आप ने उतारा

જૂનાગઢની વિસાવદર બેઠક એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે , ભાજપને ૨૦૦૭ પછી સફળતા હાંસલ નથી થઇ. એક સમયે આ બેઠક પરથી ભાજપના કદાવર નેતા કેશુભાઈ પટેલ ચૂંટાતા હતા . ૨૦૧૪ની પેટાચૂંટણીમાં હર્ષદ રિબડીયાની જીત થઈ  હતી આ પછી ૨૦૧૭માં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા અને ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી અહીંથી ચૂંટાયા છે. આ માટે સરકારે હવે ત્રણ મંત્રીઓને કામગીરી સોંપી છે જગદીશ પંચાલ , કુંવરજી બાવળીયા અને રાઘવજી પટેલ . આ ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. હવે સમજીએ કે વિસાવદરમાં જ્ઞાતિ સમીકરણ કઈ રીતે છે. અંદાજે ૫૦૦૦૦ જેટલા પાટીદાર સમાજના મત છે  , બીજા નંબરે કોળી સમાજના મત છે ત્યારબાદ નાની નાની જ્ઞાતિઓ આવે છે. એટલે તમે કોળી સમાજના મતનું મહત્વ સમજી શકો છો. આજે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે જેમાં વિસાવદર માટે ઉમેદવાર નક્કી થશે . આ માટે ભાજપમાંથી કિરીટ પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. વાત કરીએ આમ આદમી પાર્ટીની તો , તેણે ગોપાલ ઇટાલિયાને પેહલાથી જ ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેઓ ૩૧મી તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવન્ત માનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે. 




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.