AAP-Congress વચ્ચે ગઠબંધન ફાઈનલ! ગુજરાત-દિલ્હી સહિત આ રાજ્યોમાં ગઠબંધન અંતર્ગત લડાશે ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2024-02-24 10:50:48

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. સીટોની વહેંચીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આજે ગઠબંધનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવવાની છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેમાં ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.   


ગુજરાતની બે લોકસભા સીટો પર હશે આપના ઉમેદવાર!

વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધન હેઠળ રાજ્યોમાં સીટોની ફાળવણીને લઈ ચર્ચા થઈ રહી છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં દેશના વિવિધ રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતની બે સીટો પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે 24 જેટલી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.


આ રાજ્યો માટે થઈ શકે છે ટિકિટ ફાળવણી અંગે જાહેરાત

ન માત્ર ગુજરાતની સીટોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા રાજ્યો માટે પણ સીટોની ફાળવણી અંગેની જાહેરાત થઈ શકે છે. સત્તાવાર રીતે થોડી વારમાં જાહેરાત થઈ શકે છે. સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે.    



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .