AAP-Congress વચ્ચે ગઠબંધન ફાઈનલ! ગુજરાત-દિલ્હી સહિત આ રાજ્યોમાં ગઠબંધન અંતર્ગત લડાશે ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2024-02-24 10:50:48

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. સીટોની વહેંચીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આજે ગઠબંધનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવવાની છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેમાં ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.   


ગુજરાતની બે લોકસભા સીટો પર હશે આપના ઉમેદવાર!

વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધન હેઠળ રાજ્યોમાં સીટોની ફાળવણીને લઈ ચર્ચા થઈ રહી છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં દેશના વિવિધ રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતની બે સીટો પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે 24 જેટલી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.


આ રાજ્યો માટે થઈ શકે છે ટિકિટ ફાળવણી અંગે જાહેરાત

ન માત્ર ગુજરાતની સીટોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા રાજ્યો માટે પણ સીટોની ફાળવણી અંગેની જાહેરાત થઈ શકે છે. સત્તાવાર રીતે થોડી વારમાં જાહેરાત થઈ શકે છે. સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.