આખરે State Bank Of Indiaએ Election Commission Of Indiaને Electoral Bond વિશે આપવી પડી માહિતી!


  • Published By :
  • Published Date : 2024-03-13 12:30:53

ચૂંટણી બોન્ડને લઈ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ચૂંટણી બોન્ડને લઈ સંપૂર્ણ જાણકારી આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો હતો. અને તે મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે બધી જ જાણકારી આપી દીધી છે. મહત્વનું છે કે ચૂંટણી ટાંણે જ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીની ૧૫ તારીખના રોજ ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂકી દીધો હતો . 

સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ કરી હતી અરજી 

થોડા દિવસ પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં દલીલ ચાલી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી કારણ કે એસબીઆઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે મુજબ ડેટા જાહેર કરવા માટે સમય જોઈતો હતો. ૧૧ તારીખના રોજ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી હતી કેમ કે SBIએ એવું કીધું હતું કે , અમને ૩૦ જૂન સુધીનો ટાઈમ આપો કારણકે SBI એ ઈલેક્ટોરલ બોન્ડની આખી પ્રોસેસ reverse કરી આ બધા આંકડાઓ જાહેર કરવા પડશે . સુપ્રીમ કોર્ટે  એસબીઆઈની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તત્કાલીન રીતે ચૂંટણી બોન્ડની તમામ માહિતી ૧૨ માર્ચના રોજ ઇલેકશન કમિશનને જમા કરાવવામાં આવે.


ટૂંક સમયમાં આખી માહિતી આવી જશે વેબસાઈટ પર  

હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ તમામ માહિતી ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને જમા કરાવી દીધી હતી. હવે તારીખ ૧૫ સુધીમાં આ બધી જ માહિતી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આવી જશે. ત્યારે આજે સમજીએ કે શા માટે આ મુદ્દે આટલી ચર્ચાઓ થઈ રહી છે.  

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ આપવામાં આવતા હતા ચૂંટણી બોન્ડ 

આ ઈલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૦૧૭ના બજેટમાં જાહેર કરવામાં આવી . આ માટેનું નોટિફિકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ , નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું. ફેબ્રુઆરી ૧૫  સુધી , એટલે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ નહોતો આવ્યો ત્યાં સુધી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ issue કરી શકતી હતી. આ બોન્ડ ૧૦૦૦ના ગુણાંકમાં જ છાપી શકાય છે, તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી . આ બોન્ડ તમે દરેક નાણાકીય એટલકે financial quarterના પેહલા મહિનાના ૧૦ દિવસ માટેજ ખરીદી શકો છો. જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ , ઓક્ટોબર. 

SBI ના ગ્રાહકો FD સામે સરળતાથી લઈ શકે છે લોન, જાણો કેટલું ચૂકવવું પડશે  વ્યાજ અને શું છે Process? - Gujarati News | SBI customers can easily take  loan against FD, know

ભાગીદારીમાં અથવા તો એક વ્યક્તિ ખરીદી શકે છે બોન્ડ

પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા ૩૦ દિવસ માટે પણ SBI દ્વારા વહેંચી શકાય છે . આ બોન્ડ તમે કાંતો ૧ વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા . અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે , આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છે જે , Representation ઓફ People એક્ટ , ૧૯૫૧ અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાનસભામાં ૧ ટકા કરતા વધુ મત મળેલા હોવા જોઈએ .હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે , આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે , ઉપરાંત આનાથી કાળા નાણાંનું કદ ઘટશે , અને દાન કરનારને right to Privacy એટલેકે ગોપનીયતાનો અધિકાર આપે  છે . 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.