અંતે તથ્ય પટેલે સ્વીકાર્યું કે ગાડી કેટલી સ્પીડમાં ચાલતી હતી.. એક વીડિયો સામે આવ્યો જેમાં તેણે કબૂલ્યું કે ગાડી...


  • Published By :
  • Published Date : 2023-07-21 16:42:35

ગઈકાલથી અમદાવાદમાં બનેલા અકસ્માતની વાતો ચાલી રહી છે. એ ગંભીર અકસ્માતે 9 લોકોના જીવ લીધા હતા. અકસ્માતમાં મરેલા વ્યક્તિઓ કોઈના ઘરનો ચિરાગ હતો, પરિવારનો સહારો હતો. પરંતુ એક ગાડીની ટક્કરે ન માત્ર વ્યક્તિઓને માર્યા છે પરંતુ તેના પરિવારના સભ્યોનો સહારો છીનવી લીધો છે. માતા પિતાનો જે પુત્ર સહારો બનવાનો હતો તેની અર્થીને કાંધ આપતા પિતાની એ પીડાને સમજવી કદાચ અશક્ય હશે. પિતા પોતાના સંતાનને ખભા પર બેસાડે છે પરંતુ જ્યારે તે જ દીકરાની અર્થી પોતાના ખભા પર પિતા ઉપાડે છે તે પીડા કષ્ટદાયક હોતી હશે.  

તથ્યએ સ્વીકાર્યું કે તેની ગાડીની આટલી હતી સ્પીડ 

ઈસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે ઓવરસ્પીડને કારણે આ મોત થયા છે. ગાડીની સ્પીડ અતિશય હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી વાતો આપણે કરતા હતા. પિતા તેમજ વકીલ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે ગાડીની સ્પીડ વધારે ન હતી. ઓછી સ્પીડમાં ગાડી ચાલતી ન હતી. પરંતુ ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગેનો ખુલાસો ખુદ તથ્ય પટેલે કર્યો છે. અકસ્માત બાદ રસ્તા પર જાણે લોહીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર હાજર લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે તથ્ય પટેલને મારવા લાગ્યા. તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે કબુલ કરે છે કે તેના ગાડીની સ્પીડ 120 પ્રતિકલાકની ઝડપની હતી.       



મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં - તથ્ય 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. પોલીસવેન નીચે તે બેઠો છે. આસપાસ ઉભેલા લોકો તેને પૂછી રહ્યા છે કે સાચું બોલ કેટલી સ્પીડમાં ગાડી હતી. તો જવાબમાં તથ્ય બોલે છે કે 120 પર હતી. તે બાદ તથ્ય બોલે છે કે અરે ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં. આ વાત સાચી છે તેણે બ્રેક મારી પરંતુ જ્યારે તે એકદમ નજીક આવી ગયો ત્યારે. એ વાતનું ત્યારે કશું જ મહત્વ નથી. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા 9 લોકોએ ભોગવી. જે વીડિયો સામે આવ્યો છે તે ઘટના તે ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 


પોલીસકર્મીને ભારે દિલે અપાઈ અંતિમ વિદાય 

આ ઘટનામાં જે લોકો મૃત્યું પામ્યા છે તે પરિવારના સભ્યોનું રૂદન દિલમાં ખૂંચે એવું છે. તેમનું કલ્પાંત આપણને અંદરથી હલાઈ દે તેવું છે. હસતા રમતા અનેક પરિવારો અકસ્માતને કારણે વિખેરાઈ ગયા. આજે પણ પોલીસકર્મીના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવારનું દર્દ છલકાઈ આવ્યું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.