અંતે તથ્ય પટેલે સ્વીકાર્યું કે ગાડી કેટલી સ્પીડમાં ચાલતી હતી.. એક વીડિયો સામે આવ્યો જેમાં તેણે કબૂલ્યું કે ગાડી...


  • Published By :
  • Published Date : 2023-07-21 16:42:35

ગઈકાલથી અમદાવાદમાં બનેલા અકસ્માતની વાતો ચાલી રહી છે. એ ગંભીર અકસ્માતે 9 લોકોના જીવ લીધા હતા. અકસ્માતમાં મરેલા વ્યક્તિઓ કોઈના ઘરનો ચિરાગ હતો, પરિવારનો સહારો હતો. પરંતુ એક ગાડીની ટક્કરે ન માત્ર વ્યક્તિઓને માર્યા છે પરંતુ તેના પરિવારના સભ્યોનો સહારો છીનવી લીધો છે. માતા પિતાનો જે પુત્ર સહારો બનવાનો હતો તેની અર્થીને કાંધ આપતા પિતાની એ પીડાને સમજવી કદાચ અશક્ય હશે. પિતા પોતાના સંતાનને ખભા પર બેસાડે છે પરંતુ જ્યારે તે જ દીકરાની અર્થી પોતાના ખભા પર પિતા ઉપાડે છે તે પીડા કષ્ટદાયક હોતી હશે.  

તથ્યએ સ્વીકાર્યું કે તેની ગાડીની આટલી હતી સ્પીડ 

ઈસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે ઓવરસ્પીડને કારણે આ મોત થયા છે. ગાડીની સ્પીડ અતિશય હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી વાતો આપણે કરતા હતા. પિતા તેમજ વકીલ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે ગાડીની સ્પીડ વધારે ન હતી. ઓછી સ્પીડમાં ગાડી ચાલતી ન હતી. પરંતુ ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગેનો ખુલાસો ખુદ તથ્ય પટેલે કર્યો છે. અકસ્માત બાદ રસ્તા પર જાણે લોહીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર હાજર લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે તથ્ય પટેલને મારવા લાગ્યા. તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે કબુલ કરે છે કે તેના ગાડીની સ્પીડ 120 પ્રતિકલાકની ઝડપની હતી.       



મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં - તથ્ય 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. પોલીસવેન નીચે તે બેઠો છે. આસપાસ ઉભેલા લોકો તેને પૂછી રહ્યા છે કે સાચું બોલ કેટલી સ્પીડમાં ગાડી હતી. તો જવાબમાં તથ્ય બોલે છે કે 120 પર હતી. તે બાદ તથ્ય બોલે છે કે અરે ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં. આ વાત સાચી છે તેણે બ્રેક મારી પરંતુ જ્યારે તે એકદમ નજીક આવી ગયો ત્યારે. એ વાતનું ત્યારે કશું જ મહત્વ નથી. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા 9 લોકોએ ભોગવી. જે વીડિયો સામે આવ્યો છે તે ઘટના તે ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 


પોલીસકર્મીને ભારે દિલે અપાઈ અંતિમ વિદાય 

આ ઘટનામાં જે લોકો મૃત્યું પામ્યા છે તે પરિવારના સભ્યોનું રૂદન દિલમાં ખૂંચે એવું છે. તેમનું કલ્પાંત આપણને અંદરથી હલાઈ દે તેવું છે. હસતા રમતા અનેક પરિવારો અકસ્માતને કારણે વિખેરાઈ ગયા. આજે પણ પોલીસકર્મીના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવારનું દર્દ છલકાઈ આવ્યું છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.