અંતે તથ્ય પટેલે સ્વીકાર્યું કે ગાડી કેટલી સ્પીડમાં ચાલતી હતી.. એક વીડિયો સામે આવ્યો જેમાં તેણે કબૂલ્યું કે ગાડી...


  • Published By :
  • Published Date : 2023-07-21 16:42:35

ગઈકાલથી અમદાવાદમાં બનેલા અકસ્માતની વાતો ચાલી રહી છે. એ ગંભીર અકસ્માતે 9 લોકોના જીવ લીધા હતા. અકસ્માતમાં મરેલા વ્યક્તિઓ કોઈના ઘરનો ચિરાગ હતો, પરિવારનો સહારો હતો. પરંતુ એક ગાડીની ટક્કરે ન માત્ર વ્યક્તિઓને માર્યા છે પરંતુ તેના પરિવારના સભ્યોનો સહારો છીનવી લીધો છે. માતા પિતાનો જે પુત્ર સહારો બનવાનો હતો તેની અર્થીને કાંધ આપતા પિતાની એ પીડાને સમજવી કદાચ અશક્ય હશે. પિતા પોતાના સંતાનને ખભા પર બેસાડે છે પરંતુ જ્યારે તે જ દીકરાની અર્થી પોતાના ખભા પર પિતા ઉપાડે છે તે પીડા કષ્ટદાયક હોતી હશે.  

તથ્યએ સ્વીકાર્યું કે તેની ગાડીની આટલી હતી સ્પીડ 

ઈસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે ઓવરસ્પીડને કારણે આ મોત થયા છે. ગાડીની સ્પીડ અતિશય હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી વાતો આપણે કરતા હતા. પિતા તેમજ વકીલ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે ગાડીની સ્પીડ વધારે ન હતી. ઓછી સ્પીડમાં ગાડી ચાલતી ન હતી. પરંતુ ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગેનો ખુલાસો ખુદ તથ્ય પટેલે કર્યો છે. અકસ્માત બાદ રસ્તા પર જાણે લોહીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર હાજર લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે તથ્ય પટેલને મારવા લાગ્યા. તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે કબુલ કરે છે કે તેના ગાડીની સ્પીડ 120 પ્રતિકલાકની ઝડપની હતી.       



મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં - તથ્ય 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. પોલીસવેન નીચે તે બેઠો છે. આસપાસ ઉભેલા લોકો તેને પૂછી રહ્યા છે કે સાચું બોલ કેટલી સ્પીડમાં ગાડી હતી. તો જવાબમાં તથ્ય બોલે છે કે 120 પર હતી. તે બાદ તથ્ય બોલે છે કે અરે ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં. આ વાત સાચી છે તેણે બ્રેક મારી પરંતુ જ્યારે તે એકદમ નજીક આવી ગયો ત્યારે. એ વાતનું ત્યારે કશું જ મહત્વ નથી. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા 9 લોકોએ ભોગવી. જે વીડિયો સામે આવ્યો છે તે ઘટના તે ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 


પોલીસકર્મીને ભારે દિલે અપાઈ અંતિમ વિદાય 

આ ઘટનામાં જે લોકો મૃત્યું પામ્યા છે તે પરિવારના સભ્યોનું રૂદન દિલમાં ખૂંચે એવું છે. તેમનું કલ્પાંત આપણને અંદરથી હલાઈ દે તેવું છે. હસતા રમતા અનેક પરિવારો અકસ્માતને કારણે વિખેરાઈ ગયા. આજે પણ પોલીસકર્મીના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવારનું દર્દ છલકાઈ આવ્યું છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.