Finance Minister Nirmala Sitharamanએ આ કારણોસર લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર! કારણ જાણીને તમે ચોંકી જશો...!


  • Published By :
  • Published Date : 2024-03-29 11:57:15

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓને પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. મળતી માહિતી અનુસાર નિર્મલા સીતારમણને ભારતીય જનતા પાર્ટીએ આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુથી ચૂંટણી લડવા માટે ઓપ્શન આપ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી.. નાણા મંત્રીએ એક ઈન્ટરવ્યું દરમિયાન આ વાતની સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી....

nirmala sitharaman declines bjp offer to contest lok sabha elections dont have money


વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર!  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે. અનેક નેતાઓ એવા છે જેમણે સામેથી ચૂંટણી ના લડવાની વાત કરી છે. ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારથી આ વાત વિત્તમંત્રી દ્વારા કરવામાં આવી ત્યારથી અનેક સવાલો થયા હતા. શા માટે તેમણે ચૂંટણી લડવાની ઓફરને નકારી હતી. આ બધા વચ્ચે તેમણે એક ઈન્ટરવ્યુમાં નિર્મલા સીતારમણે આનું કારણ જણાવ્યું છે.  



શા માટે ચૂંટણી લડવાની ના પાડી તેનો આપ્યો જવાબ?

એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે 'એક અઠવાડિયા સુધી તેના વિશે વિચાર કર્યા પછી જ્યારે મને ઓફર મળી, મેં તેને નકારી કાઢી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મને બીજી સમસ્યા પણ છે. આંધ્ર પ્રદેશ હોય કે તમિલનાડુ, જીતવા માટે ઘણા અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું. હું ખૂબ જ આભારી છું કે તેમણે મારી અરજી સ્વીકારી. એટલા માટે હું ચૂંટણી લડી રહી નથી.'



વિત્ત મંત્રી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી!

વધુમાં તેમણે કહ્યું કે મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પણ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ, આવતીકાલની જેમ હું રાજીવ ચંદ્રશેખરના પ્રચારમાં જઈશ. હું અભિયાનનો ભાગ બનીશ. મહત્વનું છે કે નિર્મલા સીતારમણે ભલે ચૂંટણી લડવાની ના પાડી હોય પરંતુ ભાજપે પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા વર્તમાન રાજ્યસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.