Finance Minister Nirmala Sitharamanએ આ કારણોસર લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર! કારણ જાણીને તમે ચોંકી જશો...!


  • Published By :
  • Published Date : 2024-03-29 11:57:15

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓને પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. મળતી માહિતી અનુસાર નિર્મલા સીતારમણને ભારતીય જનતા પાર્ટીએ આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુથી ચૂંટણી લડવા માટે ઓપ્શન આપ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી.. નાણા મંત્રીએ એક ઈન્ટરવ્યું દરમિયાન આ વાતની સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી....

nirmala sitharaman declines bjp offer to contest lok sabha elections dont have money


વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર!  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે. અનેક નેતાઓ એવા છે જેમણે સામેથી ચૂંટણી ના લડવાની વાત કરી છે. ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારથી આ વાત વિત્તમંત્રી દ્વારા કરવામાં આવી ત્યારથી અનેક સવાલો થયા હતા. શા માટે તેમણે ચૂંટણી લડવાની ઓફરને નકારી હતી. આ બધા વચ્ચે તેમણે એક ઈન્ટરવ્યુમાં નિર્મલા સીતારમણે આનું કારણ જણાવ્યું છે.  



શા માટે ચૂંટણી લડવાની ના પાડી તેનો આપ્યો જવાબ?

એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે 'એક અઠવાડિયા સુધી તેના વિશે વિચાર કર્યા પછી જ્યારે મને ઓફર મળી, મેં તેને નકારી કાઢી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મને બીજી સમસ્યા પણ છે. આંધ્ર પ્રદેશ હોય કે તમિલનાડુ, જીતવા માટે ઘણા અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું. હું ખૂબ જ આભારી છું કે તેમણે મારી અરજી સ્વીકારી. એટલા માટે હું ચૂંટણી લડી રહી નથી.'



વિત્ત મંત્રી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી!

વધુમાં તેમણે કહ્યું કે મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પણ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ, આવતીકાલની જેમ હું રાજીવ ચંદ્રશેખરના પ્રચારમાં જઈશ. હું અભિયાનનો ભાગ બનીશ. મહત્વનું છે કે નિર્મલા સીતારમણે ભલે ચૂંટણી લડવાની ના પાડી હોય પરંતુ ભાજપે પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા વર્તમાન રાજ્યસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .