Mehsanaમાં ફટાકડાના તણખલાને કારણે લાગી આગ, આ ઘટનામાં 30 લોકો દાઝ્યા, જાણો ક્યાં બની દુર્ઘટના?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 16:01:49

ફટાકડાને કારણે આગ લાગવાના કિસ્સાઓ દિવાળી દરમિયાન અનેક વખત સામે આવ્યા છે. ફટાકડાની જ્વાળાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દિવાળી વખતે ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. 


ફુગ્ગામાં લાગી આગ!

ઊંઝામાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં આજે ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો દાઝ્યા છે.  



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.