Mehsanaમાં ફટાકડાના તણખલાને કારણે લાગી આગ, આ ઘટનામાં 30 લોકો દાઝ્યા, જાણો ક્યાં બની દુર્ઘટના?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 16:01:49

ફટાકડાને કારણે આગ લાગવાના કિસ્સાઓ દિવાળી દરમિયાન અનેક વખત સામે આવ્યા છે. ફટાકડાની જ્વાળાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દિવાળી વખતે ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. 


ફુગ્ગામાં લાગી આગ!

ઊંઝામાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં આજે ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો દાઝ્યા છે.  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.