Mehsanaમાં ફટાકડાના તણખલાને કારણે લાગી આગ, આ ઘટનામાં 30 લોકો દાઝ્યા, જાણો ક્યાં બની દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-11-18 16:01:49

ફટાકડાને કારણે આગ લાગવાના કિસ્સાઓ દિવાળી દરમિયાન અનેક વખત સામે આવ્યા છે. ફટાકડાની જ્વાળાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. દિવાળી વખતે ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ત્યારે મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. 


ફુગ્ગામાં લાગી આગ!

ઊંઝામાં આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ફટકાડા ફોડતા દરમિયાન અચાનક ફટાકડાની જ્વાળાઓ ગેસના ફુગ્ગાને અડી જતા ફુગ્ગામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેના પગલે બાળકો-યુવતીઓ સહિત 30 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર મહેસાણાના ઊંઝામાં બ્રાહ્મણવાડામાં આજે ગણપતિ દાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવમાં કેટલીક યુવતીઓ ગેસના ફુગ્ગા પકડીને ઉભી હતી ત્યારે ફટાકડા ફોડતા દરમિયાન ફટકડાની જ્વાળાઓ હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાને અડી જતા એકસાથે ફુગ્ગાઓ ફુટતા ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 30 લોકો દાઝ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.