ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-20 11:41:19

આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઘરોમાં આગ લાગવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V બ્લોકમાં આગ લાગી હતી. આ ઘટના ચોથા માળે લાગી હતી અને મળતી માહિતી અનુસાર આ આગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

Ahmedabad: One more person dead in fire in highrise building ahmedabada Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત, 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો બીજો બનાવ

ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત 

આજકાલ આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ફરી એક અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી છે.  ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં એક વ્યક્તિનું મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


ભારે મહેનત બાદ ફાયર વિભાગને મળી સફળતા   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા એક કલાક સુધી પ્રયાસો કરાયા હતા. પાણીનો મારો સતત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


શાહીબાગમાં પણ બની હતી આગ લાગવાની ઘટના 

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમાં માળે આગ લાગી હતી. આ આગમાં એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં બીજી વખત હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.