ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-20 11:41:19

આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઘરોમાં આગ લાગવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V બ્લોકમાં આગ લાગી હતી. આ ઘટના ચોથા માળે લાગી હતી અને મળતી માહિતી અનુસાર આ આગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

Ahmedabad: One more person dead in fire in highrise building ahmedabada Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત, 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો બીજો બનાવ

ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત 

આજકાલ આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ફરી એક અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી છે.  ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં એક વ્યક્તિનું મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


ભારે મહેનત બાદ ફાયર વિભાગને મળી સફળતા   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા એક કલાક સુધી પ્રયાસો કરાયા હતા. પાણીનો મારો સતત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


શાહીબાગમાં પણ બની હતી આગ લાગવાની ઘટના 

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમાં માળે આગ લાગી હતી. આ આગમાં એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં બીજી વખત હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.