ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-20 11:41:19

આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઘરોમાં આગ લાગવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V બ્લોકમાં આગ લાગી હતી. આ ઘટના ચોથા માળે લાગી હતી અને મળતી માહિતી અનુસાર આ આગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

Ahmedabad: One more person dead in fire in highrise building ahmedabada Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત, 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો બીજો બનાવ

ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત 

આજકાલ આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ફરી એક અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી છે.  ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં એક વ્યક્તિનું મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


ભારે મહેનત બાદ ફાયર વિભાગને મળી સફળતા   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા એક કલાક સુધી પ્રયાસો કરાયા હતા. પાણીનો મારો સતત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


શાહીબાગમાં પણ બની હતી આગ લાગવાની ઘટના 

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમાં માળે આગ લાગી હતી. આ આગમાં એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં બીજી વખત હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.