Fire in Kuwait : કુવૈતના એક અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 41 જેટલા લોકોના મોત થયા હોવાની ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-12 16:40:51

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અનેક લોકોના મોત આગ લાગવાને કારણે થતા હોય છે.. એક મોટી દુર્ઘટના કુવૈતમાં સર્જાઈ છે જેમાં અંદાજીત 41 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે..જે લોકો મોતને ભેટ્યા છે તેમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં શ્રમિકો રહેતા હતા.. આ આગ બુધવાર સવારે દક્ષિણ અહમદી પ્રાંતમાં આવેલા મંગાફ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર રસોડામાં આ આગ લાગી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું..

Fire in Kuwait: कुवैत की इमारत में लगी भीषण आग, 41 लोगों की मौत; मृतकों में कई भारतीय भी शामिल


આગ લાગવાની દુર્ઘટનામાં થયા 40 જેટલા લોકોના મોત!

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકોના મોત આગમાં હોમાઈ જવાને કારણે થયા છે. ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા એક અગ્નિકાંડ થયો હતો જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.. ગેમઝોનમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે એક મોટી દુર્ઘટના કુવૈતની એક બિલ્ડિંગમાં સર્જાઈ છે. આ આગમાં 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં અનેક ભારતીયો પણ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઈજાગસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારતના વિદેશમંત્રીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો.

બુધવાર સવારે કુવૈતની દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આવેલી 6 માળ વાળી બિલ્ડીંગમાં આગ લાગી છે. જે બિલ્ડીંગમાં આ દુર્ઘટના સર્જાઈ છે તે બિલ્ડીંગમાં અંદાજીત 160 જેટલા લોકો રહે છે.. આ બિલ્ડીંગમાં શ્રમિકો રહે છે તેવી માહિતી સામે આવી છે... 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને લઈ વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે આને લઈ ટ્વિટ કર્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.