Fire in Kuwait : કુવૈતના એક અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 41 જેટલા લોકોના મોત થયા હોવાની ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-12 16:40:51

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અનેક લોકોના મોત આગ લાગવાને કારણે થતા હોય છે.. એક મોટી દુર્ઘટના કુવૈતમાં સર્જાઈ છે જેમાં અંદાજીત 41 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે..જે લોકો મોતને ભેટ્યા છે તેમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં શ્રમિકો રહેતા હતા.. આ આગ બુધવાર સવારે દક્ષિણ અહમદી પ્રાંતમાં આવેલા મંગાફ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર રસોડામાં આ આગ લાગી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું..

Fire in Kuwait: कुवैत की इमारत में लगी भीषण आग, 41 लोगों की मौत; मृतकों में कई भारतीय भी शामिल


આગ લાગવાની દુર્ઘટનામાં થયા 40 જેટલા લોકોના મોત!

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકોના મોત આગમાં હોમાઈ જવાને કારણે થયા છે. ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા એક અગ્નિકાંડ થયો હતો જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.. ગેમઝોનમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે એક મોટી દુર્ઘટના કુવૈતની એક બિલ્ડિંગમાં સર્જાઈ છે. આ આગમાં 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં અનેક ભારતીયો પણ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઈજાગસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારતના વિદેશમંત્રીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો.

બુધવાર સવારે કુવૈતની દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આવેલી 6 માળ વાળી બિલ્ડીંગમાં આગ લાગી છે. જે બિલ્ડીંગમાં આ દુર્ઘટના સર્જાઈ છે તે બિલ્ડીંગમાં અંદાજીત 160 જેટલા લોકો રહે છે.. આ બિલ્ડીંગમાં શ્રમિકો રહે છે તેવી માહિતી સામે આવી છે... 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને લઈ વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે આને લઈ ટ્વિટ કર્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.