Fire in Kuwait : કુવૈતના એક અપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 41 જેટલા લોકોના મોત થયા હોવાની ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-06-12 16:40:51

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અનેક લોકોના મોત આગ લાગવાને કારણે થતા હોય છે.. એક મોટી દુર્ઘટના કુવૈતમાં સર્જાઈ છે જેમાં અંદાજીત 41 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે..જે લોકો મોતને ભેટ્યા છે તેમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે. જે બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યાં શ્રમિકો રહેતા હતા.. આ આગ બુધવાર સવારે દક્ષિણ અહમદી પ્રાંતમાં આવેલા મંગાફ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર રસોડામાં આ આગ લાગી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું..

Fire in Kuwait: कुवैत की इमारत में लगी भीषण आग, 41 लोगों की मौत; मृतकों में कई भारतीय भी शामिल


આગ લાગવાની દુર્ઘટનામાં થયા 40 જેટલા લોકોના મોત!

છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકોના મોત આગમાં હોમાઈ જવાને કારણે થયા છે. ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા એક અગ્નિકાંડ થયો હતો જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.. ગેમઝોનમાં આગ લાગવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે એક મોટી દુર્ઘટના કુવૈતની એક બિલ્ડિંગમાં સર્જાઈ છે. આ આગમાં 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં અનેક ભારતીયો પણ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઈજાગસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારતના વિદેશમંત્રીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો.

બુધવાર સવારે કુવૈતની દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આવેલી 6 માળ વાળી બિલ્ડીંગમાં આગ લાગી છે. જે બિલ્ડીંગમાં આ દુર્ઘટના સર્જાઈ છે તે બિલ્ડીંગમાં અંદાજીત 160 જેટલા લોકો રહે છે.. આ બિલ્ડીંગમાં શ્રમિકો રહે છે તેવી માહિતી સામે આવી છે... 41 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાને લઈ વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે આને લઈ ટ્વિટ કર્યું છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.