શાહીબાગમાં આવેલી ઓર્ચિડ ગ્રીન ફ્લેટ બિલ્ડીંગમાં આગ, આગમાં ફસાયેલ સગીરા મોતને ભેટી


  • Published By :
  • Published Date : 2023-01-07 12:16:59

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર આગ લાગવાને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. શાહીબાગ વિસ્તારના ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી જેમાં 5 વ્યક્તિઓ ફસાયા હતા. ઘરમાં ફસાયેલ 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેનું અંતે મોત થયું છે. 

એમ્બ્યુલન્સ સહિત 15 ગાડીઓ સ્થળ પર



આગમાં ફસાયેલી સગીરા



ફાયર બ્રિગેડની 15 ટીમોએ મેળવ્યો આગ પર કાબુ  

છેલ્લા અનેક દિવસોથી આગ લાગવાને કારણે લોકોને નુકસાન થાય છે ઉપરાંત અનેક લોકોના મોત પણ થતા હોય છે. થોડા દિવસો પહેલા શાહપુર વિસ્તારમાં આવેલા ઘરમાં આગ લાગી હતી જ્યારે એના થોડા દિવસો પહેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બંને આગની ઘટનામાં લોકોના મોત થયા છે.ત્યારે આજે શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 5 લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાને કારણે 4 સભ્યો ઘરની બહાર નીકળી ગયા પરંતુ સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.