શાહીબાગમાં આવેલી ઓર્ચિડ ગ્રીન ફ્લેટ બિલ્ડીંગમાં આગ, આગમાં ફસાયેલ સગીરા મોતને ભેટી


  • Published By :
  • Published Date : 2023-01-07 12:16:59

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર આગ લાગવાને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. શાહીબાગ વિસ્તારના ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી જેમાં 5 વ્યક્તિઓ ફસાયા હતા. ઘરમાં ફસાયેલ 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેનું અંતે મોત થયું છે. 

એમ્બ્યુલન્સ સહિત 15 ગાડીઓ સ્થળ પર



આગમાં ફસાયેલી સગીરા



ફાયર બ્રિગેડની 15 ટીમોએ મેળવ્યો આગ પર કાબુ  

છેલ્લા અનેક દિવસોથી આગ લાગવાને કારણે લોકોને નુકસાન થાય છે ઉપરાંત અનેક લોકોના મોત પણ થતા હોય છે. થોડા દિવસો પહેલા શાહપુર વિસ્તારમાં આવેલા ઘરમાં આગ લાગી હતી જ્યારે એના થોડા દિવસો પહેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બંને આગની ઘટનામાં લોકોના મોત થયા છે.ત્યારે આજે શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 5 લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાને કારણે 4 સભ્યો ઘરની બહાર નીકળી ગયા પરંતુ સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.