શાહીબાગમાં આવેલી ઓર્ચિડ ગ્રીન ફ્લેટ બિલ્ડીંગમાં આગ, આગમાં ફસાયેલ સગીરા મોતને ભેટી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-07 12:16:59

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર આગ લાગવાને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. શાહીબાગ વિસ્તારના ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી જેમાં 5 વ્યક્તિઓ ફસાયા હતા. ઘરમાં ફસાયેલ 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેનું અંતે મોત થયું છે. 

એમ્બ્યુલન્સ સહિત 15 ગાડીઓ સ્થળ પર



આગમાં ફસાયેલી સગીરા



ફાયર બ્રિગેડની 15 ટીમોએ મેળવ્યો આગ પર કાબુ  

છેલ્લા અનેક દિવસોથી આગ લાગવાને કારણે લોકોને નુકસાન થાય છે ઉપરાંત અનેક લોકોના મોત પણ થતા હોય છે. થોડા દિવસો પહેલા શાહપુર વિસ્તારમાં આવેલા ઘરમાં આગ લાગી હતી જ્યારે એના થોડા દિવસો પહેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બંને આગની ઘટનામાં લોકોના મોત થયા છે.ત્યારે આજે શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 5 લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાને કારણે 4 સભ્યો ઘરની બહાર નીકળી ગયા પરંતુ સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.    



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.