પ્રદુષણ નિયંત્રણ માટે કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:48:25

દિલ્હીની કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય લેતા રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે માહિતી આપતું એક કર્યું છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરથી ચિંતિત સરકારે લોકોને બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. 


દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ / ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.


દિલ્હી સરકારે મંગળવારે વિન્ટર એક્શન પ્લાન પર બેઠક કરી હતી. આ અંગે ગોપાલ રાયે કહ્યું હતું કે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા તૈયાર કરાયેલા 15 ફોકસ પોઈન્ટ પર વિગતવાર યોજનાઓ તૈયાર કરવાનું કામ લગભગ 30 વિભાગોને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિભાગોના અહેવાલો લઈને પર્યાવરણ વિભાગને વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .