અમદાવાદના સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડ્યા, પોલીસને આપી ચેલેન્જ


  • Published By :
  • Published Date : 2022-10-26 08:58:02

દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવું લાગી રહ્યું છે. 


નબીરાઓએ જાહેરમાં ફોરવ્હીલ પર ફટાકડા ફોડ્યા


અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. જે રીતે વીડિયોમાં નબીરાઓ ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. અને જો ડર હશે તો પણ બાપ પાસે પૈસા હશે ને બાપ પૈસા આપી છોડાવી લેશે તેવો એટિટ્યૂડ આ લોકોના મોઢા પર દેખાઈ રહ્યો છે.


GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયોનો આતંક

અમદાવાદનો સિંધુભવન રોડ આમ પણ અમીર બાપની ઔલાદો માટે જાણિતો છે. અવારનવાર રૂપિયાવાળા બાપના પુત્રો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ વિસ્તાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તે તાજ હોટલ નજીકનો છે. આ વીડિયોમાં GJ-8-BS-9 નંબરની બ્લેક સ્કોર્પીયોમાં નબીરાઓ જાહેરમાં ફટાકડા ફોડી હિરોગીરી દેખાડી રહ્યા છે. જાહેરમાં આ લોકો એવી રીતે ફટાકડા ફોડી રહ્યા છે જેનાથી પસાર થતા લોકોને પણ તકલીફો પડી રહી હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો બનાવ છે. લુખ્ખા તત્વો આ વીડિયોમાં ફટાકડા ફોડી રહ્યા છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ, વસ્ત્રાપુર પોલીસ વિસ્તારની હદમાં, આ જવિસ્તારમાં ડ્રગ્સની ઘટનાઓ ઘટે છે. જાહેર રોડ પર આતિશબાજી કરી રહ્યા છે. ન કોઈની બીક છે ના શરમ છે. કેવી રીતે મરજી મુજબ કાયદા સાથે રમી રહ્યા છે. GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયો ગાડી છે. આ દિવાળી રમવાની રીત નથી આ હિરોગીરી દેખાડવાની રીત છે. વધી વધીને શું કરી લેશે પોલીસ પકડશે જેલમાં નાખશે બાપા પાસે પૈસા બહું છે છોડાવી લેશે. 


પોલીસ કહે છે અમારી તપાસ ચાલુ છે


અમદાવાદના સિંધુ ભવન રોડ પર સરખેજ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન બંનેની હદ લાગે છે. આ તાજ હોટલવાળો વિસ્તાર છે માટે આમાં સરખેજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે. ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે વીડિયો મામલે પ્રતિક્રિયા આપી હતી કે, સમગ્ર બાબતની નોંધ લેવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ગાડી સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ ઘટના કેવી રીતે ઘટી તેના વિશે તપાસ કરવામાં આવશે અને આ ઘટના મામલે તમામ નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.