અમદાવાદના સિંધુભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડ્યા, પોલીસને આપી ચેલેન્જ


  • Published By :
  • Published Date : 2022-10-26 08:58:02

દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવું લાગી રહ્યું છે. 


નબીરાઓએ જાહેરમાં ફોરવ્હીલ પર ફટાકડા ફોડ્યા


અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. જે રીતે વીડિયોમાં નબીરાઓ ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. અને જો ડર હશે તો પણ બાપ પાસે પૈસા હશે ને બાપ પૈસા આપી છોડાવી લેશે તેવો એટિટ્યૂડ આ લોકોના મોઢા પર દેખાઈ રહ્યો છે.


GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયોનો આતંક

અમદાવાદનો સિંધુભવન રોડ આમ પણ અમીર બાપની ઔલાદો માટે જાણિતો છે. અવારનવાર રૂપિયાવાળા બાપના પુત્રો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ વિસ્તાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તે તાજ હોટલ નજીકનો છે. આ વીડિયોમાં GJ-8-BS-9 નંબરની બ્લેક સ્કોર્પીયોમાં નબીરાઓ જાહેરમાં ફટાકડા ફોડી હિરોગીરી દેખાડી રહ્યા છે. જાહેરમાં આ લોકો એવી રીતે ફટાકડા ફોડી રહ્યા છે જેનાથી પસાર થતા લોકોને પણ તકલીફો પડી રહી હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો બનાવ છે. લુખ્ખા તત્વો આ વીડિયોમાં ફટાકડા ફોડી રહ્યા છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ, વસ્ત્રાપુર પોલીસ વિસ્તારની હદમાં, આ જવિસ્તારમાં ડ્રગ્સની ઘટનાઓ ઘટે છે. જાહેર રોડ પર આતિશબાજી કરી રહ્યા છે. ન કોઈની બીક છે ના શરમ છે. કેવી રીતે મરજી મુજબ કાયદા સાથે રમી રહ્યા છે. GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયો ગાડી છે. આ દિવાળી રમવાની રીત નથી આ હિરોગીરી દેખાડવાની રીત છે. વધી વધીને શું કરી લેશે પોલીસ પકડશે જેલમાં નાખશે બાપા પાસે પૈસા બહું છે છોડાવી લેશે. 


પોલીસ કહે છે અમારી તપાસ ચાલુ છે


અમદાવાદના સિંધુ ભવન રોડ પર સરખેજ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન બંનેની હદ લાગે છે. આ તાજ હોટલવાળો વિસ્તાર છે માટે આમાં સરખેજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે. ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે વીડિયો મામલે પ્રતિક્રિયા આપી હતી કે, સમગ્ર બાબતની નોંધ લેવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ગાડી સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ ઘટના કેવી રીતે ઘટી તેના વિશે તપાસ કરવામાં આવશે અને આ ઘટના મામલે તમામ નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.