આ સમય બાદ નહીં ફોડી શકાય ફટાકડા, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:03:51

દિવાળીનો તહેવાર એટલે મીઠાઈ અને ફટાકડાનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરિના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીને લઈ આ વર્ષે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ અધિક કલેક્ટરે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે રાત્રિના 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા દરમિયાન ફટાકડા નહીં ફોળી શકાય.  

Two killed in explosion during Deepavali celebrations in Hyderabad's old  city | The News Minute


રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

કોરોના કાળ દરમિયાન દિવાળીની ઉજવણી સીમીત રીતે થતી હતી. પ્રતિબંધો સાથે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યા જેને કારણે દિલ ખોલીને લોકો દિવાળીના તહેવારમાં આનંદ કરી શક્શે. ત્યારે ફટાકડાને લઈ રાજકોટ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનું વેચાણ અથવા તો ઓર્ડર નહીં લઈ શકાય તેમજ જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પણ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે