આ સમય બાદ નહીં ફોડી શકાય ફટાકડા, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:03:51

દિવાળીનો તહેવાર એટલે મીઠાઈ અને ફટાકડાનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરિના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીને લઈ આ વર્ષે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ અધિક કલેક્ટરે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે રાત્રિના 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા દરમિયાન ફટાકડા નહીં ફોળી શકાય.  

Two killed in explosion during Deepavali celebrations in Hyderabad's old  city | The News Minute


રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

કોરોના કાળ દરમિયાન દિવાળીની ઉજવણી સીમીત રીતે થતી હતી. પ્રતિબંધો સાથે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યા જેને કારણે દિલ ખોલીને લોકો દિવાળીના તહેવારમાં આનંદ કરી શક્શે. ત્યારે ફટાકડાને લઈ રાજકોટ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનું વેચાણ અથવા તો ઓર્ડર નહીં લઈ શકાય તેમજ જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પણ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.