આ સમય બાદ નહીં ફોડી શકાય ફટાકડા, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:03:51

દિવાળીનો તહેવાર એટલે મીઠાઈ અને ફટાકડાનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરિના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીને લઈ આ વર્ષે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ અધિક કલેક્ટરે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે રાત્રિના 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા દરમિયાન ફટાકડા નહીં ફોળી શકાય.  

Two killed in explosion during Deepavali celebrations in Hyderabad's old  city | The News Minute


રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

કોરોના કાળ દરમિયાન દિવાળીની ઉજવણી સીમીત રીતે થતી હતી. પ્રતિબંધો સાથે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યા જેને કારણે દિલ ખોલીને લોકો દિવાળીના તહેવારમાં આનંદ કરી શક્શે. ત્યારે ફટાકડાને લઈ રાજકોટ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનું વેચાણ અથવા તો ઓર્ડર નહીં લઈ શકાય તેમજ જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પણ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.