મોંઘવારી ત્રસ્ત લોકોએ ફટાકડાની ખદીદી ઘટાડી, ભાવમાં પણ 40 ટકાનો વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 22:18:40

તહેવારોની સીઝનમાં લોકો જીવન જરૂરીયાતની ચીજોના વધેલા ભાવ ત્રસ્ત છે. અનાજ, કઠોળ, ગેસ સિલિન્ડર, સીંગતેલ, શાકભાજી સહિતની ચીજોની કિંમત આસમાને પહોંચી છે. દિવાળીના તહેવારમાં લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે પણ ફટાકડાના ભાવ પણ 40 ટકા જેટલા વધ્યા છે. ફટાકડાના ભાવમાં દર વર્ષે સામાન્ય રીતે  પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જો કે આ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 


રાજ્યના વિવિધ શહેરોમાં ફટાકડાના વેચાણ પર અસર


ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ફટાકડાની ખરીદી ઓછી જોવા મળી છે. વેપારીના કહેવા પ્રમાણે લોકો ફટાકડા ખરીદવા આવે છે પણ ભાવ સાંભળીને ખરીદી ટાળે છે. કેટલાક લોકો ફટકડાની ઓછી ખરીદી કરી રહ્યા છે.  લોકો ટેટા, સુતર બોમ્બ, આતિશબાજી, શંભુ સહિતના ફટાકડાઓ ખરીદી રહ્યા છે. તો નાના બાળકો તારા મંડળ, કોઠી, ચકેડી, પેન્સિલ, ફેન્સી આઈટમ, ગોલ્ડન લાયન કોઠીની ખરીદી પર પસંદગી ઉતારી રહ્યાં છે. જો કે એ પણ સાચું છે  કે લોકો જરૂર કરતા અડધા જ ફટાકડા ખરીદે છે. આ વર્ષે ફટાકડા ફોડવામાં જાગૃતિ આવી છે. લોકો ઓછું પ્રદૂષણ કરનારા ગ્રીન ફટાકડાની વધુ ખરીદી કરી રહ્યા છે. 


શા માટે ફટાકડાના ભાવ વધ્યા?


ફટાકડાના ભાવમાં આટલો જબદસ્ત વધારો થવાનું કારણ રો મટેરિયલના કિંમતમાં વધારો, તમિલનાડુના શિવાકાશીમાં વરસાદના કારણે ફટાકડાનું ઓછું ઉત્પાદન થતાં ફટાકડાની અછત સર્જાતા ભાવમાં આટલો તોતિંગ વધારો થયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.