મોંઘવારી ત્રસ્ત લોકોએ ફટાકડાની ખદીદી ઘટાડી, ભાવમાં પણ 40 ટકાનો વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 22:18:40

તહેવારોની સીઝનમાં લોકો જીવન જરૂરીયાતની ચીજોના વધેલા ભાવ ત્રસ્ત છે. અનાજ, કઠોળ, ગેસ સિલિન્ડર, સીંગતેલ, શાકભાજી સહિતની ચીજોની કિંમત આસમાને પહોંચી છે. દિવાળીના તહેવારમાં લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે પણ ફટાકડાના ભાવ પણ 40 ટકા જેટલા વધ્યા છે. ફટાકડાના ભાવમાં દર વર્ષે સામાન્ય રીતે  પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જો કે આ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. 


રાજ્યના વિવિધ શહેરોમાં ફટાકડાના વેચાણ પર અસર


ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં ફટાકડાની ખરીદી ઓછી જોવા મળી છે. વેપારીના કહેવા પ્રમાણે લોકો ફટાકડા ખરીદવા આવે છે પણ ભાવ સાંભળીને ખરીદી ટાળે છે. કેટલાક લોકો ફટકડાની ઓછી ખરીદી કરી રહ્યા છે.  લોકો ટેટા, સુતર બોમ્બ, આતિશબાજી, શંભુ સહિતના ફટાકડાઓ ખરીદી રહ્યા છે. તો નાના બાળકો તારા મંડળ, કોઠી, ચકેડી, પેન્સિલ, ફેન્સી આઈટમ, ગોલ્ડન લાયન કોઠીની ખરીદી પર પસંદગી ઉતારી રહ્યાં છે. જો કે એ પણ સાચું છે  કે લોકો જરૂર કરતા અડધા જ ફટાકડા ખરીદે છે. આ વર્ષે ફટાકડા ફોડવામાં જાગૃતિ આવી છે. લોકો ઓછું પ્રદૂષણ કરનારા ગ્રીન ફટાકડાની વધુ ખરીદી કરી રહ્યા છે. 


શા માટે ફટાકડાના ભાવ વધ્યા?


ફટાકડાના ભાવમાં આટલો જબદસ્ત વધારો થવાનું કારણ રો મટેરિયલના કિંમતમાં વધારો, તમિલનાડુના શિવાકાશીમાં વરસાદના કારણે ફટાકડાનું ઓછું ઉત્પાદન થતાં ફટાકડાની અછત સર્જાતા ભાવમાં આટલો તોતિંગ વધારો થયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.