Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, જ્વેલર્સની દુકાનમાં બનાવ્યો હતો ચોરીનો પ્લાન, પરંતુ સ્થાનિક લોકોએ પકડી લીધો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:07:43

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં હિંસક પ્રવૃત્તિઓ ઓછી જોવા મળતી. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં પણ ફાયરિંગ જેવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને લાગે છે શાંત રહેતું ગુજરાત હવે અશાંતિ તરફ આગળ વધી રહ્યું છે. હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે, ખુલ્લેઆમ લોકોના મર્ડર થઈ રહ્યા છે. પોલીસનો ડર જાણે લોકોને છે જ નહીં તેવું લાગી રહ્યું છે. 

બંદુકની નોક પર કરવી હતી ચોરી 

અમદાવાદ ધીરે ધીરે ક્રાઇમના એક એક લેવલ પાર કરતું જઈ રહ્યું છે. પહેલા ચોર રાત્રે આવીને ચોરી કરતા હતા, હવે ચોર ખુલ્લે આમ બંદૂક બતાવીને ચોરી કરી રહ્યા છે. જી હા આવી ઘટના અમદાવાદના મણિનગરમાં બની છે. મણિનગરમાં યુવક લોડેડ બંદૂક લઈને લૂંટ કરવા આવ્યો હતો. જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધો છે.


સ્થાનિકોએ બતાવી હિંમત અને ચોરને પકડી પોલીસને હવાલે કર્યો 

ચોરીની કોશિશ કરનાર યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઈને જવેલર્સના શો રૂમને લૂંટવાનો પ્રયત્ન કરવા ગયો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. 

 ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. (સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર)

ચોરી કરે તે પહેલા જ પોલીસને હવાલે કરાયો ચોર 

ઘટનાનો જે વીડિયોમાં સામે આવ્યો છે તેમાં દેખાય છે કે આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક છે. જ્યારે તે બંદૂક કાઢે છે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને યુવકને પકડી લે છે અને પોલીસના હવાલે કરી દે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં યુવકનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો. મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. ચોર ચોરી કરે તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.  આ યુવક પાસે રહેલી બંદૂકને કબજે કરી લેવામાં આવી છે.


સ્થાનિકો દ્વારા બતાવવામાં આવેલી હિંમત પ્રશંસનીય 

કેવું જોરદાર કહેવાય ને કે હવે તો ગુંડા અને લુટારાઓને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સતત વધતી ચોરીની ઘટનાને જોતા એવું લાગે કે ચોરી કરવીતો જાણે તેમના માટે રેગ્યુલર થઈ ગયું છે. આ તમામ ઘટનામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવા જેવી છે. જાગૃત નાગરિક બની, હિંમત બતાવી ચોરીના ઈરાદે આવેલા ચોરને પકડી પાડ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.