Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, જ્વેલર્સની દુકાનમાં બનાવ્યો હતો ચોરીનો પ્લાન, પરંતુ સ્થાનિક લોકોએ પકડી લીધો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:07:43

ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં હિંસક પ્રવૃત્તિઓ ઓછી જોવા મળતી. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં પણ ફાયરિંગ જેવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. ગુજરાતના અનેક શહેરોથી આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને લાગે છે શાંત રહેતું ગુજરાત હવે અશાંતિ તરફ આગળ વધી રહ્યું છે. હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે, ખુલ્લેઆમ લોકોના મર્ડર થઈ રહ્યા છે. પોલીસનો ડર જાણે લોકોને છે જ નહીં તેવું લાગી રહ્યું છે. 

બંદુકની નોક પર કરવી હતી ચોરી 

અમદાવાદ ધીરે ધીરે ક્રાઇમના એક એક લેવલ પાર કરતું જઈ રહ્યું છે. પહેલા ચોર રાત્રે આવીને ચોરી કરતા હતા, હવે ચોર ખુલ્લે આમ બંદૂક બતાવીને ચોરી કરી રહ્યા છે. જી હા આવી ઘટના અમદાવાદના મણિનગરમાં બની છે. મણિનગરમાં યુવક લોડેડ બંદૂક લઈને લૂંટ કરવા આવ્યો હતો. જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધો છે.


સ્થાનિકોએ બતાવી હિંમત અને ચોરને પકડી પોલીસને હવાલે કર્યો 

ચોરીની કોશિશ કરનાર યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેવી રીતે ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઈને જવેલર્સના શો રૂમને લૂંટવાનો પ્રયત્ન કરવા ગયો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. 

 ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. (સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર)

ચોરી કરે તે પહેલા જ પોલીસને હવાલે કરાયો ચોર 

ઘટનાનો જે વીડિયોમાં સામે આવ્યો છે તેમાં દેખાય છે કે આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક છે. જ્યારે તે બંદૂક કાઢે છે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને યુવકને પકડી લે છે અને પોલીસના હવાલે કરી દે છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં યુવકનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો. મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. ચોર ચોરી કરે તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.  આ યુવક પાસે રહેલી બંદૂકને કબજે કરી લેવામાં આવી છે.


સ્થાનિકો દ્વારા બતાવવામાં આવેલી હિંમત પ્રશંસનીય 

કેવું જોરદાર કહેવાય ને કે હવે તો ગુંડા અને લુટારાઓને કોઈનો ડર જ નથી રહ્યો. કાયદા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સતત વધતી ચોરીની ઘટનાને જોતા એવું લાગે કે ચોરી કરવીતો જાણે તેમના માટે રેગ્યુલર થઈ ગયું છે. આ તમામ ઘટનામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવવા જેવી છે. જાગૃત નાગરિક બની, હિંમત બતાવી ચોરીના ઈરાદે આવેલા ચોરને પકડી પાડ્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.