બિહારના બેતિયામાં મિરઝાપુરવાળી, ધાંય.. ધાંય.. ગોળીઓ છૂટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:23:24

બિહારના પશ્ચિમ પંચારણના બેતિયામાં ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં અપરાધીઓએ સાત લોકોને ગોળી મારી દીધી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત લોકોમાંથી અમુકની હાલત ગંભીર છે. 


મીરઝાપુર સિરીઝની જેમ ધાંય... ધાંય... ગોળીઓ છૂટી

બિહાર રાજ્યના અહીરૌલી ગામની આ ઘટના છે જેમાં 3 હથિયારબંધ અપરાધીઓએ ફાયરિંગ પર ફાયરિંગ કરીને સાત લોકોને ઘાયલ કરી દીધા હતા. અહરૌલીના રાજા બાબુ પટેલના ઘરમાં ઘુસીને આરોપીઓએ મીરઝાપુર સીરીઝની જેમ સાત લોકો પર ફાયરિંગ કર્યું હતું. 


અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું

આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા. લોકોએ આરોપીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતની અંદર ત્રણ બંદૂકધારી શખ્સોએ 7 લોકોને ગોળીઓ મારી હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .