બિહારના બેતિયામાં મિરઝાપુરવાળી, ધાંય.. ધાંય.. ગોળીઓ છૂટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:23:24

બિહારના પશ્ચિમ પંચારણના બેતિયામાં ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં અપરાધીઓએ સાત લોકોને ગોળી મારી દીધી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત લોકોમાંથી અમુકની હાલત ગંભીર છે. 


મીરઝાપુર સિરીઝની જેમ ધાંય... ધાંય... ગોળીઓ છૂટી

બિહાર રાજ્યના અહીરૌલી ગામની આ ઘટના છે જેમાં 3 હથિયારબંધ અપરાધીઓએ ફાયરિંગ પર ફાયરિંગ કરીને સાત લોકોને ઘાયલ કરી દીધા હતા. અહરૌલીના રાજા બાબુ પટેલના ઘરમાં ઘુસીને આરોપીઓએ મીરઝાપુર સીરીઝની જેમ સાત લોકો પર ફાયરિંગ કર્યું હતું. 


અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું

આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ ભાગી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા. લોકોએ આરોપીને પોલીસને સોંપ્યા હતા. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતની અંદર ત્રણ બંદૂકધારી શખ્સોએ 7 લોકોને ગોળીઓ મારી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે