Maharastraમાં બની ફાયરિંગની ઘટના, ઉદ્ધવ જૂથના નેતા પર કરાઈ ફાયરિંગ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 19:41:27

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ગોળી મારવાની ઘટના સામે આવી હતી. નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે ફરી બની હતી.  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગુરૂવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. એવી માહિતી સામે આવી છે કે આ હુમલામાં અભિષેક ઘોસાલકરને ત્રણ ગોળી વાગી છે. સારવાર હેઠળ જ્યારે નેતા હતા તે વખતે તેમનું નિધન થઈ ગયું છે અને તેવી માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. 

ફેસબુક લાઈવ દરમિયાન કરાઈ ફાયરિંગ! 

હિંસાની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ફાયરિંગની ઘટના બની છે તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ગોળીબારી કરવામાં આવી હતી ગુરૂવાર રાત્રે. ફેસબુક લાઈવ દરમિયાન ફાયરિંગ કરાયું હતું.એવી માહિતી સામે આવી છે કે જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું તે વ્યક્તિએ પણ પોતાને ગોળી મારી દીધી છે. 


અભિષેકને વાગી 3 ગોળી !  

સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મોટી સંખ્યામાં અભિષેક ઘોસાલકરના સમર્થકો હોસ્પિટલ બહાર આવી પહોંચ્યા હતા. મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવાર સાંજે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણકારી અનુસાર, આ હુમલામાં અભિષેકને 3 ગોળી વાગી હતી. તેમના પર હુમલો કરનારા શખ્સનું નામ મોરિસ ભાઈ હોવાનું કહેવાય છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.