Maharastraમાં બની ફાયરિંગની ઘટના, ઉદ્ધવ જૂથના નેતા પર કરાઈ ફાયરિંગ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 19:41:27

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ગોળી મારવાની ઘટના સામે આવી હતી. નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે ફરી બની હતી.  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગુરૂવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. એવી માહિતી સામે આવી છે કે આ હુમલામાં અભિષેક ઘોસાલકરને ત્રણ ગોળી વાગી છે. સારવાર હેઠળ જ્યારે નેતા હતા તે વખતે તેમનું નિધન થઈ ગયું છે અને તેવી માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. 

ફેસબુક લાઈવ દરમિયાન કરાઈ ફાયરિંગ! 

હિંસાની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ફાયરિંગની ઘટના બની છે તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ગોળીબારી કરવામાં આવી હતી ગુરૂવાર રાત્રે. ફેસબુક લાઈવ દરમિયાન ફાયરિંગ કરાયું હતું.એવી માહિતી સામે આવી છે કે જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું તે વ્યક્તિએ પણ પોતાને ગોળી મારી દીધી છે. 


અભિષેકને વાગી 3 ગોળી !  

સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મોટી સંખ્યામાં અભિષેક ઘોસાલકરના સમર્થકો હોસ્પિટલ બહાર આવી પહોંચ્યા હતા. મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવાર સાંજે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણકારી અનુસાર, આ હુમલામાં અભિષેકને 3 ગોળી વાગી હતી. તેમના પર હુમલો કરનારા શખ્સનું નામ મોરિસ ભાઈ હોવાનું કહેવાય છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.