Maharastraમાં બની ફાયરિંગની ઘટના, ઉદ્ધવ જૂથના નેતા પર કરાઈ ફાયરિંગ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-09 19:41:27

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ગોળી મારવાની ઘટના સામે આવી હતી. નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે ફરી બની હતી.  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગુરૂવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. એવી માહિતી સામે આવી છે કે આ હુમલામાં અભિષેક ઘોસાલકરને ત્રણ ગોળી વાગી છે. સારવાર હેઠળ જ્યારે નેતા હતા તે વખતે તેમનું નિધન થઈ ગયું છે અને તેવી માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. 

ફેસબુક લાઈવ દરમિયાન કરાઈ ફાયરિંગ! 

હિંસાની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ફાયરિંગની ઘટના બની છે તો મહારાષ્ટ્રમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ગોળીબારી કરવામાં આવી હતી ગુરૂવાર રાત્રે. ફેસબુક લાઈવ દરમિયાન ફાયરિંગ કરાયું હતું.એવી માહિતી સામે આવી છે કે જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું તે વ્યક્તિએ પણ પોતાને ગોળી મારી દીધી છે. 


અભિષેકને વાગી 3 ગોળી !  

સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. મોટી સંખ્યામાં અભિષેક ઘોસાલકરના સમર્થકો હોસ્પિટલ બહાર આવી પહોંચ્યા હતા. મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવાર સાંજે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જાણકારી અનુસાર, આ હુમલામાં અભિષેકને 3 ગોળી વાગી હતી. તેમના પર હુમલો કરનારા શખ્સનું નામ મોરિસ ભાઈ હોવાનું કહેવાય છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.