દ્વારકા પોલીસના કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:40:10

લોકોનું કહેવું છે કે ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અમુક ઘટનાઓ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના લીરાં ઉડાડતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાળથર ગામમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર મારામારી થઈ હતી જેના પરિણામે ભાળથર ગામમાં ધોળા દિવસે બંદૂકની ગોળીઓ છૂટી હતી. 


પોલીસની કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં

ભાળથર ગામના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. આ બંને જૂથ વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા સામે ઝઘડો થયો હતો. બંને જૂથે ધોકા અને પાઈપ સાથે એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઝઘડામાં બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું હતું. 


પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા 

મારામારી અને ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા. ફાયરિંગની ઘટના થયા બાદ ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે કસૂરવાર સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહેશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.