દ્વારકા પોલીસના કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:40:10

લોકોનું કહેવું છે કે ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અમુક ઘટનાઓ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના લીરાં ઉડાડતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાળથર ગામમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર મારામારી થઈ હતી જેના પરિણામે ભાળથર ગામમાં ધોળા દિવસે બંદૂકની ગોળીઓ છૂટી હતી. 


પોલીસની કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં

ભાળથર ગામના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. આ બંને જૂથ વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા સામે ઝઘડો થયો હતો. બંને જૂથે ધોકા અને પાઈપ સાથે એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઝઘડામાં બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું હતું. 


પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા 

મારામારી અને ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા. ફાયરિંગની ઘટના થયા બાદ ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે કસૂરવાર સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહેશે. 




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.