દ્વારકા પોલીસના કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:40:10

લોકોનું કહેવું છે કે ગુજરાત આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અમુક ઘટનાઓ ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાના લીરાં ઉડાડતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાળથર ગામમાં બે જૂથ વચ્ચે અંગત કારણોસર મારામારી થઈ હતી જેના પરિણામે ભાળથર ગામમાં ધોળા દિવસે બંદૂકની ગોળીઓ છૂટી હતી. 


પોલીસની કાયદા વ્યવસ્થાના લીરાં ઉડ્યાં

ભાળથર ગામના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. આ બંને જૂથ વચ્ચે ધોકા અને પાઈપ વડે એકબીજા સામે ઝઘડો થયો હતો. બંને જૂથે ધોકા અને પાઈપ સાથે એકબીજા પર હુમલા કર્યા હતા. આ ઝઘડામાં બે રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું હતું. 


પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા 

મારામારી અને ફાયરિંગની ઘટના ઘટ્યા બાદ દ્વારકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા. ફાયરિંગની ઘટના થયા બાદ ખંભાળિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે કસૂરવાર સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહેશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.