પહેલા સંકલન સમિતીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી, હવે Parshottam Rupalaને પદ્મિનીબાએ આપી માફી! સાંભળો શું કહ્યું પદ્મિની બાએ?


  • Published By :
  • Published Date : 2024-05-18 15:09:28

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન... આ મુ્દા પર અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ. અનેક લોકસભા બેઠકો પર વિરોધ પણ થયો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ હતી.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં પણ એવું જ થયું જે બીજા અનેક આંદોલનમાં આપણે જોયું છે..  સમાજના આગેવાનો વચ્ચે બે ફાંટા પડી ગયા એવું કહીએ તો એ અતિશયોક્તિ નથી..

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે હતી ક્ષત્રિય સમાજની માગ 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું.. જે બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.. આંદોલન શરૂ થયો એ માગ સાથે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... ઠેર ઠેર સંમેલનો થયા આ માગ સાથે.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, ચૂંટણી માટે મતદાન પણ પૂર્ણ થઈ ગયું.. આ બધા વચ્ચે 16 મેના રોજ  ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.


શું કહ્યું પદ્મિનીબા વાળાએ? 

આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી અને ચોખ્ખું કહી દીધું કે અમે તો રૂપાલાને માફ કરીએ છીએ.. તેમણે કહ્યું કે "બહેન- દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતી."


સમાજના આગેવાનોમાં પડતા ફાંટા પણ આપણે જોયા છે..

ક્ષત્રિય સમાજના આંદોલન પહેલા આપણે ત્યાં અનેક આંદોલનો થયા છે, તેનો અંત શું આવે છે તે પણ આપણે જોયું છે.. સમાજના આગેવાનોમાં પડતાં ફાંટા જોયા છે. એકબીજા સામે લડતા આગેવાનો પણ જોયા છે અને આ આંદોલન પણ એનુજ એક ઉદાહરણ આ આંદોલન પણ રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો! 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે