પહેલા સંકલન સમિતીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી, હવે Parshottam Rupalaને પદ્મિનીબાએ આપી માફી! સાંભળો શું કહ્યું પદ્મિની બાએ?


  • Published By :
  • Published Date : 2024-05-18 15:09:28

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન... આ મુ્દા પર અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ. અનેક લોકસભા બેઠકો પર વિરોધ પણ થયો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ હતી.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં પણ એવું જ થયું જે બીજા અનેક આંદોલનમાં આપણે જોયું છે..  સમાજના આગેવાનો વચ્ચે બે ફાંટા પડી ગયા એવું કહીએ તો એ અતિશયોક્તિ નથી..

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે હતી ક્ષત્રિય સમાજની માગ 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું.. જે બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.. આંદોલન શરૂ થયો એ માગ સાથે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... ઠેર ઠેર સંમેલનો થયા આ માગ સાથે.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, ચૂંટણી માટે મતદાન પણ પૂર્ણ થઈ ગયું.. આ બધા વચ્ચે 16 મેના રોજ  ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.


શું કહ્યું પદ્મિનીબા વાળાએ? 

આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી અને ચોખ્ખું કહી દીધું કે અમે તો રૂપાલાને માફ કરીએ છીએ.. તેમણે કહ્યું કે "બહેન- દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતી."


સમાજના આગેવાનોમાં પડતા ફાંટા પણ આપણે જોયા છે..

ક્ષત્રિય સમાજના આંદોલન પહેલા આપણે ત્યાં અનેક આંદોલનો થયા છે, તેનો અંત શું આવે છે તે પણ આપણે જોયું છે.. સમાજના આગેવાનોમાં પડતાં ફાંટા જોયા છે. એકબીજા સામે લડતા આગેવાનો પણ જોયા છે અને આ આંદોલન પણ એનુજ એક ઉદાહરણ આ આંદોલન પણ રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો! 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે