પહેલા સંકલન સમિતીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી, હવે Parshottam Rupalaને પદ્મિનીબાએ આપી માફી! સાંભળો શું કહ્યું પદ્મિની બાએ?


  • Published By :
  • Published Date : 2024-05-18 15:09:28

લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ મુદ્દો ચર્ચામાં રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન... આ મુ્દા પર અનેક વખત રાજનીતિ પણ ગરમાઈ. અનેક લોકસભા બેઠકો પર વિરોધ પણ થયો. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ હતી.. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં પણ એવું જ થયું જે બીજા અનેક આંદોલનમાં આપણે જોયું છે..  સમાજના આગેવાનો વચ્ચે બે ફાંટા પડી ગયા એવું કહીએ તો એ અતિશયોક્તિ નથી..

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય તે હતી ક્ષત્રિય સમાજની માગ 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું.. જે બાદ ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.. આંદોલન શરૂ થયો એ માગ સાથે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે... ઠેર ઠેર સંમેલનો થયા આ માગ સાથે.. વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, ચૂંટણી માટે મતદાન પણ પૂર્ણ થઈ ગયું.. આ બધા વચ્ચે 16 મેના રોજ  ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.


શું કહ્યું પદ્મિનીબા વાળાએ? 

આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી અને ચોખ્ખું કહી દીધું કે અમે તો રૂપાલાને માફ કરીએ છીએ.. તેમણે કહ્યું કે "બહેન- દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતી."


સમાજના આગેવાનોમાં પડતા ફાંટા પણ આપણે જોયા છે..

ક્ષત્રિય સમાજના આંદોલન પહેલા આપણે ત્યાં અનેક આંદોલનો થયા છે, તેનો અંત શું આવે છે તે પણ આપણે જોયું છે.. સમાજના આગેવાનોમાં પડતાં ફાંટા જોયા છે. એકબીજા સામે લડતા આગેવાનો પણ જોયા છે અને આ આંદોલન પણ એનુજ એક ઉદાહરણ આ આંદોલન પણ રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો! 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.