વિકાસ સપ્તાહ અંતર્ગત રેડકોર્સ અને માહિતી ખાતા દ્વારા રાજ્યભરમાં 'ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા' કાર્યક્રમ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-10-09 10:47:24

 

અત્યારના સમયમાં તમે અને હું જે રીતે જીવી રહ્યા છીએ જેવી આપણી લાઈફ સ્ટાઈલ છે આપણે જો રિપોર્ટ કરાવીએ તો અનેક બીમારી સાથે આપણે જીવીએ છીએ એ આપણે ખ્યાલ આવે!, એમાં પણ અમુક ફિલ્ડમાં કામ કરતાં લોકો જે દિવસ રાત કામ કરતાં હોય જમવાનો સમય ન હોય અને એવી હેક્ટિક લાઈફમાં અલગ અલગ બીમારીના ભોગ એ બનતા હોય છે અને એવીજ એક ફિલ્ડ એટલે મીડિયા.. મીડિયામાં કામ કરતાં લોકો દિવસ રાત કામ કરતાં હોય છે અને આ બધાની વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે..

 

ત્યારે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયાકેમ્પેઇનના ભાગરૂપે સરકારના માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી દર વર્ષે મીડિયામાં કામ કરતાં કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન જ પત્રકારોના આરોગ્ય અંગે ચકાસણી કરાશે તેમ માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલે ગઈ કાલે જાહેરાત કરી છે

 

 

રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2200 પત્રકારોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી, એમાંથી 264 એવા પત્રકારો હતા જેમને આરોગ્ય વિષયક બાબતોની તકલીફ અંગે પહેલી વખત જાણકારી મળી હતી એમાંથી 44 પત્રકારોને વધુ ગંભીર બીમારી જણાતા આગળની સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન અને ડોનેશન ઉપરાંત બ્લડ રિપોર્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ તેમજ જરૂરી એક્સરે, મહિલાઓને લગતા ચેકઅપને પણ વ્યાપક રીતે હાથ ધરવામાં આવે છે એ પણ અન્ય જાણીતી લેબ્સની સરખામણીએ અત્યંત ઓછી કિંમતે રિપોર્ટ કરવામાં આવે છે. જેનાથી ઘટના બધા લોકોને ફાયદો થાય છે

 

માહિતી નિયામકએ આ બાબતે કહ્યું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. તેના પગલે આ વર્ષે પણ રાજ્યવ્યાપી કેમ્પ કરાઈ રહ્યો છે.


 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.