વિકાસ સપ્તાહ અંતર્ગત રેડકોર્સ અને માહિતી ખાતા દ્વારા રાજ્યભરમાં 'ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા' કાર્યક્રમ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-10-09 10:47:24

 

અત્યારના સમયમાં તમે અને હું જે રીતે જીવી રહ્યા છીએ જેવી આપણી લાઈફ સ્ટાઈલ છે આપણે જો રિપોર્ટ કરાવીએ તો અનેક બીમારી સાથે આપણે જીવીએ છીએ એ આપણે ખ્યાલ આવે!, એમાં પણ અમુક ફિલ્ડમાં કામ કરતાં લોકો જે દિવસ રાત કામ કરતાં હોય જમવાનો સમય ન હોય અને એવી હેક્ટિક લાઈફમાં અલગ અલગ બીમારીના ભોગ એ બનતા હોય છે અને એવીજ એક ફિલ્ડ એટલે મીડિયા.. મીડિયામાં કામ કરતાં લોકો દિવસ રાત કામ કરતાં હોય છે અને આ બધાની વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે..

 

ત્યારે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયાકેમ્પેઇનના ભાગરૂપે સરકારના માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી દર વર્ષે મીડિયામાં કામ કરતાં કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન જ પત્રકારોના આરોગ્ય અંગે ચકાસણી કરાશે તેમ માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલે ગઈ કાલે જાહેરાત કરી છે

 

 

રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2200 પત્રકારોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી, એમાંથી 264 એવા પત્રકારો હતા જેમને આરોગ્ય વિષયક બાબતોની તકલીફ અંગે પહેલી વખત જાણકારી મળી હતી એમાંથી 44 પત્રકારોને વધુ ગંભીર બીમારી જણાતા આગળની સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન અને ડોનેશન ઉપરાંત બ્લડ રિપોર્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ તેમજ જરૂરી એક્સરે, મહિલાઓને લગતા ચેકઅપને પણ વ્યાપક રીતે હાથ ધરવામાં આવે છે એ પણ અન્ય જાણીતી લેબ્સની સરખામણીએ અત્યંત ઓછી કિંમતે રિપોર્ટ કરવામાં આવે છે. જેનાથી ઘટના બધા લોકોને ફાયદો થાય છે

 

માહિતી નિયામકએ આ બાબતે કહ્યું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. તેના પગલે આ વર્ષે પણ રાજ્યવ્યાપી કેમ્પ કરાઈ રહ્યો છે.


 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.