વિકાસ સપ્તાહ અંતર્ગત રેડકોર્સ અને માહિતી ખાતા દ્વારા રાજ્યભરમાં 'ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા' કાર્યક્રમ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-10-09 10:47:24

 

અત્યારના સમયમાં તમે અને હું જે રીતે જીવી રહ્યા છીએ જેવી આપણી લાઈફ સ્ટાઈલ છે આપણે જો રિપોર્ટ કરાવીએ તો અનેક બીમારી સાથે આપણે જીવીએ છીએ એ આપણે ખ્યાલ આવે!, એમાં પણ અમુક ફિલ્ડમાં કામ કરતાં લોકો જે દિવસ રાત કામ કરતાં હોય જમવાનો સમય ન હોય અને એવી હેક્ટિક લાઈફમાં અલગ અલગ બીમારીના ભોગ એ બનતા હોય છે અને એવીજ એક ફિલ્ડ એટલે મીડિયા.. મીડિયામાં કામ કરતાં લોકો દિવસ રાત કામ કરતાં હોય છે અને આ બધાની વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે..

 

ત્યારે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયાકેમ્પેઇનના ભાગરૂપે સરકારના માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી દર વર્ષે મીડિયામાં કામ કરતાં કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન જ પત્રકારોના આરોગ્ય અંગે ચકાસણી કરાશે તેમ માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલે ગઈ કાલે જાહેરાત કરી છે

 

 

રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2200 પત્રકારોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી, એમાંથી 264 એવા પત્રકારો હતા જેમને આરોગ્ય વિષયક બાબતોની તકલીફ અંગે પહેલી વખત જાણકારી મળી હતી એમાંથી 44 પત્રકારોને વધુ ગંભીર બીમારી જણાતા આગળની સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન અને ડોનેશન ઉપરાંત બ્લડ રિપોર્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ તેમજ જરૂરી એક્સરે, મહિલાઓને લગતા ચેકઅપને પણ વ્યાપક રીતે હાથ ધરવામાં આવે છે એ પણ અન્ય જાણીતી લેબ્સની સરખામણીએ અત્યંત ઓછી કિંમતે રિપોર્ટ કરવામાં આવે છે. જેનાથી ઘટના બધા લોકોને ફાયદો થાય છે

 

માહિતી નિયામકએ આ બાબતે કહ્યું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. તેના પગલે આ વર્ષે પણ રાજ્યવ્યાપી કેમ્પ કરાઈ રહ્યો છે.


 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.