વિકાસ સપ્તાહ અંતર્ગત રેડકોર્સ અને માહિતી ખાતા દ્વારા રાજ્યભરમાં 'ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા' કાર્યક્રમ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-10-09 10:47:24

 

અત્યારના સમયમાં તમે અને હું જે રીતે જીવી રહ્યા છીએ જેવી આપણી લાઈફ સ્ટાઈલ છે આપણે જો રિપોર્ટ કરાવીએ તો અનેક બીમારી સાથે આપણે જીવીએ છીએ એ આપણે ખ્યાલ આવે!, એમાં પણ અમુક ફિલ્ડમાં કામ કરતાં લોકો જે દિવસ રાત કામ કરતાં હોય જમવાનો સમય ન હોય અને એવી હેક્ટિક લાઈફમાં અલગ અલગ બીમારીના ભોગ એ બનતા હોય છે અને એવીજ એક ફિલ્ડ એટલે મીડિયા.. મીડિયામાં કામ કરતાં લોકો દિવસ રાત કામ કરતાં હોય છે અને આ બધાની વચ્ચે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે..

 

ત્યારે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયાકેમ્પેઇનના ભાગરૂપે સરકારના માહિતી ખાતા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના સહયોગથી દર વર્ષે મીડિયામાં કામ કરતાં કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે હાલ ચાલી રહેલા વિકાસ સપ્તાહ દરમિયાન જ પત્રકારોના આરોગ્ય અંગે ચકાસણી કરાશે તેમ માહિતી નિયામક કે.એલ. બચાણી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલે ગઈ કાલે જાહેરાત કરી છે

 

 

રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2200 પત્રકારોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી, એમાંથી 264 એવા પત્રકારો હતા જેમને આરોગ્ય વિષયક બાબતોની તકલીફ અંગે પહેલી વખત જાણકારી મળી હતી એમાંથી 44 પત્રકારોને વધુ ગંભીર બીમારી જણાતા આગળની સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન અને ડોનેશન ઉપરાંત બ્લડ રિપોર્ટ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ તેમજ જરૂરી એક્સરે, મહિલાઓને લગતા ચેકઅપને પણ વ્યાપક રીતે હાથ ધરવામાં આવે છે એ પણ અન્ય જાણીતી લેબ્સની સરખામણીએ અત્યંત ઓછી કિંમતે રિપોર્ટ કરવામાં આવે છે. જેનાથી ઘટના બધા લોકોને ફાયદો થાય છે

 

માહિતી નિયામકએ આ બાબતે કહ્યું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. તેના પગલે આ વર્ષે પણ રાજ્યવ્યાપી કેમ્પ કરાઈ રહ્યો છે.


 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.