કાર્યકાળને પાંચ વર્ષ બાકી હતા અને UPSCના ચેરમેન મનોજ સોનીએ આપી દીધું રાજીનામું! રાજીનામું આપ્યા પાછળ આ કારણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-07-20 12:32:33

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે upscના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. 2029માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. 

અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા

મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, જે પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. 2017માં મનોજ સોની UPSCના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં એવું આવે છે કે મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. અને આ કારણે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોવું જોઈએ..  


મનોજ સોનીને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે!

જોકે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે જોડાવામાં આવી રહ્યો છે પણ એવું નથી.. ડો.સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2005માં તેઓ દેશના સૌથી યુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. મનોજ સોની વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે મોદીએ સોનીને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂંક સમયે સોનીની ઉંમર માત્ર 40 વર્ષની હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાતા પહેલા મનોજ સોની ત્રણ ટર્મ માટે ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.


રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂંક પર ઉઠાવ્યા હતા સવાલ 

થોડા સમય પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે સોનીની યુપીએસસી ચેરમેન તરીકે નિમણૂંકને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે સોનીને આરએસએસના નજીકના ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મનોજ સોનીના અધ્યક્ષ બનવાનો અર્થ એ છે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે યુનિયન પ્રચારક સંઘ કમિશન બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. તો હવે upscને નવા અધ્યક્ષ ક્યારે મળશે તે જોવાનું રહ્યું..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.