કાર્યકાળને પાંચ વર્ષ બાકી હતા અને UPSCના ચેરમેન મનોજ સોનીએ આપી દીધું રાજીનામું! રાજીનામું આપ્યા પાછળ આ કારણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-07-20 12:32:33

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે upscના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. 2029માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. 

અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા

મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, જે પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. 2017માં મનોજ સોની UPSCના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં એવું આવે છે કે મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. અને આ કારણે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોવું જોઈએ..  


મનોજ સોનીને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે!

જોકે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે જોડાવામાં આવી રહ્યો છે પણ એવું નથી.. ડો.સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2005માં તેઓ દેશના સૌથી યુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. મનોજ સોની વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે મોદીએ સોનીને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂંક સમયે સોનીની ઉંમર માત્ર 40 વર્ષની હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાતા પહેલા મનોજ સોની ત્રણ ટર્મ માટે ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.


રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂંક પર ઉઠાવ્યા હતા સવાલ 

થોડા સમય પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે સોનીની યુપીએસસી ચેરમેન તરીકે નિમણૂંકને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે સોનીને આરએસએસના નજીકના ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મનોજ સોનીના અધ્યક્ષ બનવાનો અર્થ એ છે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે યુનિયન પ્રચારક સંઘ કમિશન બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. તો હવે upscને નવા અધ્યક્ષ ક્યારે મળશે તે જોવાનું રહ્યું..  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.