કાર્યકાળને પાંચ વર્ષ બાકી હતા અને UPSCના ચેરમેન મનોજ સોનીએ આપી દીધું રાજીનામું! રાજીનામું આપ્યા પાછળ આ કારણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-07-20 12:32:33

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે upscના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામું આપતા અનેક સવાલો ઊભા થયા છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. મળતી માહિતી મુજબ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે જૂનના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેમના રાજીનામનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી. 2029માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. 

અંગત કારણોસર રાજીનામું આપ્યા હોવાની ચર્ચા

મનોજ સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો, જે પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. 2017માં મનોજ સોની UPSCના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માનવામાં એવું આવે છે કે મનોજ સોની ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. અને આ કારણે તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હોવું જોઈએ..  


મનોજ સોનીને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે!

જોકે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે જોડાવામાં આવી રહ્યો છે પણ એવું નથી.. ડો.સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. 2005માં તેઓ દેશના સૌથી યુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. મનોજ સોની વડાપ્રધાન મોદીના નજીકના ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે મોદીએ સોનીને 2005માં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની નિમણૂંક સમયે સોનીની ઉંમર માત્ર 40 વર્ષની હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જોડાતા પહેલા મનોજ સોની ત્રણ ટર્મ માટે ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.


રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂંક પર ઉઠાવ્યા હતા સવાલ 

થોડા સમય પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મનોજ સોનીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે સોનીની યુપીએસસી ચેરમેન તરીકે નિમણૂંકને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે સોનીને આરએસએસના નજીકના ગણાવ્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મનોજ સોનીના અધ્યક્ષ બનવાનો અર્થ એ છે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે યુનિયન પ્રચારક સંઘ કમિશન બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે. તો હવે upscને નવા અધ્યક્ષ ક્યારે મળશે તે જોવાનું રહ્યું..  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .