પાકિસ્તાન બોર્ડર નજીકના કચ્છમાં જ્વલનશીલ પ્રવાહી મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 16:38:52


કચ્છ ભારતની સરહદ વિસ્તારનો જિલ્લો છે જ્યાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય વસ્તુઓ દેશમાં ઘુસતી હોય છે. પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેથી કચ્છની સરહદનો વિસ્તાર સંવેદનશીલ હોય છે.  ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કચ્છના ગાંધીધામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પકડી પાડ્યું છે. 


બાતમીના આધારે કંપની પર પાડી રેડ 

પોલીસે ગાંધીધામ તાલુકાના GIDCની નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક રાજેશ કન્સલને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ ગરબડ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાફલા સાથે રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.


કોઈ પણ સેફ્ટી વગર થઈ રહી હતી કામગીરી 

નર્મદારાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેપાર કરવામાં આવી રહ્યો હતો. કંપની પાસે કોઈ એનઓસી અને લાયસન્સ પણ નહોતા. કંપનીમાં કર્મચારીઓ કોઈ પણ સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા.  


પોલીસે શું કાર્યવાહી કરી?

ગાંધીધામ પોલીસે 92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં નાઈજીરિયા સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સોયા સોપ સ્ટોક અને એક વાહન સહિત 92 લાખ 2 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.