પાકિસ્તાન બોર્ડર નજીકના કચ્છમાં જ્વલનશીલ પ્રવાહી મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 16:38:52


કચ્છ ભારતની સરહદ વિસ્તારનો જિલ્લો છે જ્યાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય વસ્તુઓ દેશમાં ઘુસતી હોય છે. પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેથી કચ્છની સરહદનો વિસ્તાર સંવેદનશીલ હોય છે.  ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કચ્છના ગાંધીધામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પકડી પાડ્યું છે. 


બાતમીના આધારે કંપની પર પાડી રેડ 

પોલીસે ગાંધીધામ તાલુકાના GIDCની નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક રાજેશ કન્સલને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ ગરબડ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાફલા સાથે રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.


કોઈ પણ સેફ્ટી વગર થઈ રહી હતી કામગીરી 

નર્મદારાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેપાર કરવામાં આવી રહ્યો હતો. કંપની પાસે કોઈ એનઓસી અને લાયસન્સ પણ નહોતા. કંપનીમાં કર્મચારીઓ કોઈ પણ સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા.  


પોલીસે શું કાર્યવાહી કરી?

ગાંધીધામ પોલીસે 92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં નાઈજીરિયા સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સોયા સોપ સ્ટોક અને એક વાહન સહિત 92 લાખ 2 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.   




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..