પાકિસ્તાન બોર્ડર નજીકના કચ્છમાં જ્વલનશીલ પ્રવાહી મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 16:38:52


કચ્છ ભારતની સરહદ વિસ્તારનો જિલ્લો છે જ્યાંથી ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય વસ્તુઓ દેશમાં ઘુસતી હોય છે. પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી હોય છે જેથી કચ્છની સરહદનો વિસ્તાર સંવેદનશીલ હોય છે.  ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કચ્છના ગાંધીધામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી પકડી પાડ્યું છે. 


બાતમીના આધારે કંપની પર પાડી રેડ 

પોલીસે ગાંધીધામ તાલુકાના GIDCની નર્મદરાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના માલિક રાજેશ કન્સલને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ ગરબડ ચાલી રહી છે. તેના આધારે પોલીસે કાફલા સાથે રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી.


કોઈ પણ સેફ્ટી વગર થઈ રહી હતી કામગીરી 

નર્મદારાજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ અને વેપાર કરવામાં આવી રહ્યો હતો. કંપની પાસે કોઈ એનઓસી અને લાયસન્સ પણ નહોતા. કંપનીમાં કર્મચારીઓ કોઈ પણ સેફ્ટી વગર કામગીરી કરી રહ્યા હતા.  


પોલીસે શું કાર્યવાહી કરી?

ગાંધીધામ પોલીસે 92 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં નાઈજીરિયા સોયા લેશેથીન, મસ્ટર્ડ ઓઈલ, સોયા સોપ સ્ટોક અને એક વાહન સહિત 92 લાખ 2 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.