નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બર્ડ હિટને કારણે લાગી આગ! એન્જિનમાં આગ લાગતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ!


  • Published By :
  • Published Date : 2023-04-25 08:59:23

નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. સોમવારે વિમાને ઉડાન ભરી હતી પરંતુ થોડી જ વારમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પ્લેન સાથે પક્ષી ભટકાવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી અને જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનનું ચેકિંગ કરી ફ્લાઈટે ફરી દુબઈ જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે 159 જેટલા લોકો સવાર હતા,


પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત!

છેલ્લા ઘણા સમયથી વિમાનો ચર્ચામાં રહ્યા છે. ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે નેપાળના કાઠમંડુથી ઉડાન ભરેલી ફ્લાઈટનું આગ લાગવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્લાઈ દુબઈ ફ્લાઈટ 576 સાથે પક્ષી ટકરાઈ ગયું હતું જેને કારણે પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 159 જેટલા લોકો આ પ્લેનમાં મુસાફરી કરૂ રહ્યા હતા. 


પ્લેને દુબઈ જવા ફરી ભરી લીધી હતી ઉડાન!

આ ઘટનાને લઈ નેપાળના પર્યટન મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 જેટલા વિદેશી મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટના એન્જિનમાં સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે બાદ ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં ફ્લાઈટે દુબઈ જવા માટે ફરી ઉડાન ભરી લીધી હતી.        



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.