નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બર્ડ હિટને કારણે લાગી આગ! એન્જિનમાં આગ લાગતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ!


  • Published By :
  • Published Date : 2023-04-25 08:59:23

નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. સોમવારે વિમાને ઉડાન ભરી હતી પરંતુ થોડી જ વારમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પ્લેન સાથે પક્ષી ભટકાવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી અને જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનનું ચેકિંગ કરી ફ્લાઈટે ફરી દુબઈ જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે 159 જેટલા લોકો સવાર હતા,


પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત!

છેલ્લા ઘણા સમયથી વિમાનો ચર્ચામાં રહ્યા છે. ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે નેપાળના કાઠમંડુથી ઉડાન ભરેલી ફ્લાઈટનું આગ લાગવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્લાઈ દુબઈ ફ્લાઈટ 576 સાથે પક્ષી ટકરાઈ ગયું હતું જેને કારણે પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 159 જેટલા લોકો આ પ્લેનમાં મુસાફરી કરૂ રહ્યા હતા. 


પ્લેને દુબઈ જવા ફરી ભરી લીધી હતી ઉડાન!

આ ઘટનાને લઈ નેપાળના પર્યટન મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 જેટલા વિદેશી મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટના એન્જિનમાં સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે બાદ ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં ફ્લાઈટે દુબઈ જવા માટે ફરી ઉડાન ભરી લીધી હતી.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.