નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બર્ડ હિટને કારણે લાગી આગ! એન્જિનમાં આગ લાગતા કરાયું ઈમરજન્સી લેન્ડિંગ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-25 08:59:23

નેપાળના કાઠમંડુથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટને અકસ્માત નડ્યો છે. સોમવારે વિમાને ઉડાન ભરી હતી પરંતુ થોડી જ વારમાં પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પ્લેન સાથે પક્ષી ભટકાવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી અને જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનનું ચેકિંગ કરી ફ્લાઈટે ફરી દુબઈ જવા માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ક્રૂ મેમ્બર્સની સાથે 159 જેટલા લોકો સવાર હતા,


પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત!

છેલ્લા ઘણા સમયથી વિમાનો ચર્ચામાં રહ્યા છે. ઈમરજન્સીને કારણે અનેક વખત ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે નેપાળના કાઠમંડુથી ઉડાન ભરેલી ફ્લાઈટનું આગ લાગવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્લાઈ દુબઈ ફ્લાઈટ 576 સાથે પક્ષી ટકરાઈ ગયું હતું જેને કારણે પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 159 જેટલા લોકો આ પ્લેનમાં મુસાફરી કરૂ રહ્યા હતા. 


પ્લેને દુબઈ જવા ફરી ભરી લીધી હતી ઉડાન!

આ ઘટનાને લઈ નેપાળના પર્યટન મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવી છે. આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 જેટલા વિદેશી મુસાફરો સવાર હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટના એન્જિનમાં સોમવાર રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જે બાદ ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્થિતિ સામાન્ય થતાં ફ્લાઈટે દુબઈ જવા માટે ફરી ઉડાન ભરી લીધી હતી.        



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.