સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અમિત શાહે તરતું મૂક્યું, લંચ અને ડિનર પાછળ કેટલો ખર્ચ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-02 14:15:29

અમદાવાદીઓ સાબરમતી નદીની સહેલગાહની સાથે-સાથે  લંચ અને ડિનરની મજા પણ માણી શકશે. દેશના ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ પાસેથી રિવર ક્રૂઝની શરૂઆત આજે કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રિવર ક્રૂઝ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષર ટ્રાવેલ્સ દ્વારા  શરૂ કરાયેલી આ ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરન્ટ 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.


લંચ અને ડિનર માટે કેટલો ખર્ચ થશે?


સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી અક્ષર રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000 ભાવ નક્કી કરાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે. લગભગ 1.5 કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે. 


 રેસ્ટોરન્ટ ક્રૂઝમાં મળશે આ સુવિધાઓ


અક્ષર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરન્ટ ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરન્ટ ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.