રાજ્યના અનેક વિસ્તારો માટે કરાઈ છે માવઠાની આગાહી! માણાવદર સહિત અનેક જગ્યાઓથી સામે આવ્યા પૂર જેવા દ્રશ્યો! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-03 08:58:58

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે જૂનાગઢમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અણધાર્યા વરસાદને કારણે નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વાહનો પણ તણાઈ ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર એક રિક્ષા પણ આ પૂરમાં તણાઈ ગઈ જેમાં 10થી વધારે લોકો સવાર હતા. અનેક લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે અનેક લોકો હજી પણ લાપતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તાપમાનમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.





માણાવદરમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!

અનેક વખત આપણે જોયું છે કે ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે તો ઉનાળામાં વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેને કારણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માણાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અણધાર્યા વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વગર ચોમાસે ચોમાસાનો અનુભવ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નિચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 


આ જગ્યાઓમાં વરસી શકે છે કમોસમી વરસાદ! 

હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સાબરકાંઠા, પોરબંદરમાં પણ માવઠું આવવાની સંભાવના છે. આવતી કાલે ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પાંચમી મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની સિઝન વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.