રાજ્યના અનેક વિસ્તારો માટે કરાઈ છે માવઠાની આગાહી! માણાવદર સહિત અનેક જગ્યાઓથી સામે આવ્યા પૂર જેવા દ્રશ્યો! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-03 08:58:58

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે જૂનાગઢમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અણધાર્યા વરસાદને કારણે નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વાહનો પણ તણાઈ ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર એક રિક્ષા પણ આ પૂરમાં તણાઈ ગઈ જેમાં 10થી વધારે લોકો સવાર હતા. અનેક લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે અનેક લોકો હજી પણ લાપતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તાપમાનમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.





માણાવદરમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!

અનેક વખત આપણે જોયું છે કે ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે તો ઉનાળામાં વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેને કારણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માણાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અણધાર્યા વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વગર ચોમાસે ચોમાસાનો અનુભવ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નિચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 


આ જગ્યાઓમાં વરસી શકે છે કમોસમી વરસાદ! 

હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સાબરકાંઠા, પોરબંદરમાં પણ માવઠું આવવાની સંભાવના છે. આવતી કાલે ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પાંચમી મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની સિઝન વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.