રાજ્યના અનેક વિસ્તારો માટે કરાઈ છે માવઠાની આગાહી! માણાવદર સહિત અનેક જગ્યાઓથી સામે આવ્યા પૂર જેવા દ્રશ્યો! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-03 08:58:58

રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે જૂનાગઢમાં જાણે ચોમાસુ બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અણધાર્યા વરસાદને કારણે નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વાહનો પણ તણાઈ ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર એક રિક્ષા પણ આ પૂરમાં તણાઈ ગઈ જેમાં 10થી વધારે લોકો સવાર હતા. અનેક લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો જ્યારે અનેક લોકો હજી પણ લાપતા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તાપમાનમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.





માણાવદરમાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!

અનેક વખત આપણે જોયું છે કે ચોમાસાની સિઝન દરમિયાન નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ આ વખતે તો ઉનાળામાં વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી જેને કારણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માણાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અણધાર્યા વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વગર ચોમાસે ચોમાસાનો અનુભવ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નિચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. 


આ જગ્યાઓમાં વરસી શકે છે કમોસમી વરસાદ! 

હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. આગામી 4 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે જૂનાગઢમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત સાબરકાંઠા, પોરબંદરમાં પણ માવઠું આવવાની સંભાવના છે. આવતી કાલે ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ ભાવનગર, અમરેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. પાંચમી મેના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં માવઠું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની સિઝન વગર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.