ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવો ભારે પડ્યો, અમદાવાદમાં પતંગબાજ સામે સૌપ્રથમ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-06 12:15:18

ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ ઘાતક ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ જાય છે. આ જીવલેણ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ પતંગના શોખીનો તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જો કે હવે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ અને પતંગબાજો સામે પણ આકરૂ વલણ અપનાવ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. સૌપ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.  


અમદાવાદના યુવાન સામે ફરિયાદ


અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે  કે,  રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.


વડોદરામાં 10 વેપારીઓની ધરપકડ 


ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ સામે ઉત્તરાયણ પહેલા વડોદરા જિલ્લા પોલીસે દરોડા પાડ્યા છે. વડોદરા જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 10 વેપારીઓની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી 1.90 લાખની 663 નંગ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી છે. સાવલી પોલીસે 1 આરોપી પાસેથી 72 નંગ ચાઇનીઝ દોરીની રીલ, વરણામાં પોલીસે 2 આરોપીઓ પાસેથી 90 નંગ ચાઇનીઝ દોરીની રીલ, ડભોઈ અને SOG પોલીસે 5 આરોપીઓ પાસેથી 456 નંગ ચાઇનીઝ દોરીની રીલ અને મંજુસર પોલીસે 1 આરોપી પાસેથી 15 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.