ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવો ભારે પડ્યો, અમદાવાદમાં પતંગબાજ સામે સૌપ્રથમ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-06 12:15:18

ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ ઘાતક ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ જાય છે. આ જીવલેણ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ પતંગના શોખીનો તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જો કે હવે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ અને પતંગબાજો સામે પણ આકરૂ વલણ અપનાવ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. સૌપ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.  


અમદાવાદના યુવાન સામે ફરિયાદ


અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે  કે,  રાજ્યના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.


વડોદરામાં 10 વેપારીઓની ધરપકડ 


ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ સામે ઉત્તરાયણ પહેલા વડોદરા જિલ્લા પોલીસે દરોડા પાડ્યા છે. વડોદરા જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 10 વેપારીઓની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી 1.90 લાખની 663 નંગ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરવામાં આવી છે. સાવલી પોલીસે 1 આરોપી પાસેથી 72 નંગ ચાઇનીઝ દોરીની રીલ, વરણામાં પોલીસે 2 આરોપીઓ પાસેથી 90 નંગ ચાઇનીઝ દોરીની રીલ, ડભોઈ અને SOG પોલીસે 5 આરોપીઓ પાસેથી 456 નંગ ચાઇનીઝ દોરીની રીલ અને મંજુસર પોલીસે 1 આરોપી પાસેથી 15 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.