રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો, 5 ટન અખાદ્ય માવો ઝડપ્યો, 150 કિલો મીઠાઈ અને 60 કિલો વાસી શિખંડનો જથ્થો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-03 20:20:45

દેશ અને રાજ્યમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે લેભાગુ વેપારીઓ ભેળસેળવાળો માવો વેચી રહ્યા છે. લોકોના આરોગ્યની પરવા કર્યા વગર આ લોકો હાનિકારક માવો તથા માવામાંથી બનતી વિવિધ પ્રકારની મિઠાઈઓ વેચી રહ્યા છે. આજે રાજકોટમાં ફૂડ વિભાગ માવાના વેપારીઓની દુકાનોમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અધિકારીઓને મોટી સફળતા મળી હતી. ફૂડ વિભાગના અધિકારીઓએ રાજકોટમાંથી 5 ટન જેટલો અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માવાનો જથ્થો મોરબી રૉડ પર આવેલી સીતારામ ડેરાના ફાર્મ હાઉસમાંથી મળી આવ્યો હતો. માનવ આરોગ્ય માટે હાનિકારક એવા આ માવાના જથ્થાનો ઉપયોગ અલગ અલગ પ્રકારની મીઠાઇઓ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.  


બાતમીના આધારે દરોડો પાડ્યો


રાજકોટમાં આજે ફૂડ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી રોડ ઉપર રાધિકા પાર્કમાં આવેલી સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડો પાડી ગોડાઉનમાંથી સંગ્રહ કરેલ 4500 કિલો નકલી માવો તથા ફરી વખત ઉપયોગ થઈ શકે તેવી વાસી મીઠાઈનો 150 કિલો જથ્થો અને 60 કિલો વાસી શિખંડ સહિતનો 4700 કિલો મીઠાઈનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો. તેમજ ગોડાઉનના માલિક અશોકભાઈ પરસોતમભાઈ સંખાવડા વિરુદ્ધ ફૂડ એન્ડ સેફ્ટી નિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્વારા આજ રોજ મોરબી રોડ ઉપર રાજ લક્ષ્મી એવન્યું પાસે રેલવે ફાટકની અંદર બ્રીજ નીચે આવેલ સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહીત કરેલ મીઠા માવાનું ચેકીંગ કરતા પેકેટ ઉપર એફએસએસએ મુજબના લેબીંગ પ્રોવિઝન મુજબ વિગત દર્શાવેલ ન હતી. તેમજ ઉત્પાદન અંગેની વિગત પણ દર્શાવી ન હતી. આ પેકેટ ખોલતા તેમાં ફૂગનો ગ્રોથ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તમામ પેકેટ વજન 4500 કિલો મીઠોમાવો નકલી હોવાનું સાબિત થતા તેનો સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો. ફૂડ વિભાગે ફરી વખત ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલ 150 કિલો વાસી ફૂગ રહીત મીઠાઈ તેમજ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલ વાસી શ્રીખંડ 60 કિલો સહિતનો 47 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર નાશ કરવામા આવ્યો હતો. 


આગામી દિવસોમાં  મીઠાઈની દુકાનો પર તવાઈ


અખાદ્ય માવો ઝડપાયો  તે મામલે રાજકોટ મનપાના ફૂડ ઈન્સ્પેક્ટર હાર્દિક મેતાના જણાવ્યા મુજબ, શહેરની મોટાભાગની ડેરીઓમાં અને મીઠાઈની દુકાનોમાં મોરબી રોડ ઉપર આવેલ મીઠાઈના ગોડાઉનમાંથી જથ્થો સપ્લાય કરવામા આવી રહ્યો છે. તેમાં ડુપ્લીકેટ માવાનો ઉપયોગ થતો હોવાની જાણકારી પ્રાપ્ત થતા આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા રાધિકાપાર્કમાં આવેલ સીતારામ ડેરીના માલીક અશોકભાઈ પરસોતમભાઈ સંખાવડાના ઉત્પાદન સ્થળ અને ગોડાઉનમાં દરોડોપાડવામાં આવ્યો હતો.જ્યાંથી ફૂગ ચડેલી વાસી અખાદ્ય અને ખાવામાં ઉપયોગ ન કરી શકાય તે પ્રકારનો 4500 કિલો મીઠો માવો તથા રિપ્લેસમાં આવેલ અને ફરી વખત ઉપયોગ થઈ શકે તે પ્રકારની વાસી 150 કિલો અલગ અલગ પ્રકારની માવાની મીઠાઈ તેમજ વાસી થઈ ગયેલી 60 કિલો શિખંડના જથ્થા સહિત 4700 કિલો જથ્થો જપ્ત કરવામા આવ્યો હતો. આ મીઠોમાવો શહેરની અલગ-અલગ ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં સપ્લાય કરાતો હોવાનું ખુલતા આગામી દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.