ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ, 24 હજાર કિલોનો જથ્થો જપ્ત, પશુઆહાર હોવાનો વેપારીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-12-11 21:33:14

રાજ્યમાં નકલીની મોસમ પૂરબહારમાં ખીલી છે, નકલી ટોલ પ્લાઝા, નકલી સરકારી કચેરી, નકલી પીએ બાદ હવે નકલી જીરાની ફેક્ટરી ઝડપાઇ છે. મહેસાણા ફૂડ વિભાગે ઉંઝાના ગંગાપુરા રોડ પર એક ફેક્ટરીમાંથી નકલી જીરુનો 24 હજાર કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે સફળ રેડ કરી શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાંથી રૂ. 89 લાખની કિંમતનો 24 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરુ બનાવવામાં આવતું હતું. નકલી જીરૂ બનાવવા માટે વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ થતો હતો. 


બાતમીના આધારે રેડ


ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી અંગે વિગતો આપતાં ફૂડ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્સ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ મામલે ફુડ વિભાગ દ્વારા ગહન તપાસ ચાલી રહી છે.


ફેકટરીના માલિકનો ફૂડ વિભાગ પર આક્ષેપ


જો કે ફેક્ટરી માલિક ફૂડ વિભાગની રેડ જાણે મજાક હોય તેમ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો કે આ પશુઆહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અધિકારીઓએ ચા -પાણીના પૈસા માંગ્યા હતા પણ આ ભાગ બટાઈમાં કયા વાંધો પડ્યો એટલે તેમણે અમારી ફેક્ટરીમાં રેડ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.