ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ, 24 હજાર કિલોનો જથ્થો જપ્ત, પશુઆહાર હોવાનો વેપારીનો દાવો


  • Published By :
  • Published Date : 2023-12-11 21:33:14

રાજ્યમાં નકલીની મોસમ પૂરબહારમાં ખીલી છે, નકલી ટોલ પ્લાઝા, નકલી સરકારી કચેરી, નકલી પીએ બાદ હવે નકલી જીરાની ફેક્ટરી ઝડપાઇ છે. મહેસાણા ફૂડ વિભાગે ઉંઝાના ગંગાપુરા રોડ પર એક ફેક્ટરીમાંથી નકલી જીરુનો 24 હજાર કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે સફળ રેડ કરી શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાંથી રૂ. 89 લાખની કિંમતનો 24 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં હલકી ગુણવત્તાની વરિયાળીમાંથી જીરુ બનાવવામાં આવતું હતું. નકલી જીરૂ બનાવવા માટે વરિયાળી, ભુસુ, ગોળની રસી અને પથ્થરનો ઉપયોગ થતો હતો. 


બાતમીના આધારે રેડ


ઉંઝામાં નકલી જીરું બનાવાતી ફેક્ટરી અંગે વિગતો આપતાં ફૂડ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મહેસાણા ટીમ દ્વારા બાતમીના આધારે ઊંઝાના ગંગાપુરા રોડ ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા વેપારી ધર્મેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં મિક્સ પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જણાયું હતું.પ્રાથમિક દ્રષ્ટીએ જીરામાં ભેળસેળ કરતા હોવાનું જણાતા સ્થળ પરથી “ગોળ ની રસી”નો 643 લીટર જથ્થો, “મિક્ષ પાઉડર” નો 258 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 5,298 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 24,718 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.સ્થળ પરથી જીરું, ગોળની રસી (એડલટ્રન્‍ટ), મિક્ષ પાઉડર અને વરિયાળી મળીને કુલ 4 નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે તમામ જથ્થો મળી આશરે રૂ. 89 લાખની કિંમતનો 31,000 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ મામલે ફુડ વિભાગ દ્વારા ગહન તપાસ ચાલી રહી છે.


ફેકટરીના માલિકનો ફૂડ વિભાગ પર આક્ષેપ


જો કે ફેક્ટરી માલિક ફૂડ વિભાગની રેડ જાણે મજાક હોય તેમ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો કે આ પશુઆહાર છે. મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકનો દાવો છે. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અધિકારીઓએ ચા -પાણીના પૈસા માંગ્યા હતા પણ આ ભાગ બટાઈમાં કયા વાંધો પડ્યો એટલે તેમણે અમારી ફેક્ટરીમાં રેડ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.