અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો, તહેવારોની સીઝનમાં ડુંગળી લોકોને રડાવશે


  • Published By :
  • Published Date : 2023-06-30 15:57:09

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ,ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે. દેશમાં ડુંગળીની અછતના કારણે આગામી તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમત વધી શકે છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.


મહારાષ્ટ્રમાં પણ ડુંગળીના ભાવમાં થયો વધારો


દેશમાં ડુંગળીનું જ્યા મહત્તમ ઉત્પાદન થાય છે તે મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો કે આ ભાવ ગયા વર્ષ કરતા ઓછા છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં વર્ષ 2020માં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી. તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. જો કે આગામી મહિનાઓમાં તેની કિંમત વધી શકે છે.


કેન્દ્ર પાસે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક 


કેન્દ્ર સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે. અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં રિપોર્ટ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.


ટામેટાના ભાવ 100ને પાર


દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.