અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો, તહેવારોની સીઝનમાં ડુંગળી લોકોને રડાવશે


  • Published By :
  • Published Date : 2023-06-30 15:57:09

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ,ટામેટા અને હવે ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે. દેશમાં ડુંગળીની અછતના કારણે આગામી તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવમાં હજુ વધારો થઈ શકે છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીની કિંમત વધી શકે છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે ચોમાસાના કારણે ડુંગળીના પુરવઠા પર અસર પડી છે, જેના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.


મહારાષ્ટ્રમાં પણ ડુંગળીના ભાવમાં થયો વધારો


દેશમાં ડુંગળીનું જ્યા મહત્તમ ઉત્પાદન થાય છે તે મહારાષ્ટ્રના પાંચ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો કે આ ભાવ ગયા વર્ષ કરતા ઓછા છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં વર્ષ 2020માં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 35.88 રૂપિયા હતી, 2021માં સરેરાશ છૂટક કિંમત 32.52 રૂપિયા હતી અને 2022માં તે 28.00 રૂપિયા પ્રતિ કિલો હતી. તે જ સમયે, વર્ષ 2023 માં ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. જો કે આગામી મહિનાઓમાં તેની કિંમત વધી શકે છે.


કેન્દ્ર પાસે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક 


કેન્દ્ર સરકારે લગભગ બે મહિના પહેલા ખેડૂતો પાસેથી લગભગ 0.14 મિલિયન ટન ડુંગળીનો સ્ટોક ખરીદ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એપ્રિલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24ની સિઝન માટે 3 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખશે. અને છેલ્લી સિઝન 2022-23 માટે 2.51 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં રાખવામાં આવી હતી. બીજી તરફ, ભારત સરકારે આ મહિનાની શરૂઆતમાં રિપોર્ટ આપ્યો હતો કે 2021-22માં ડુંગળીનું ઉત્પાદન 31.69 મિલિયન ટનથી ઘટીને 31.01 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.


ટામેટાના ભાવ 100ને પાર


દેશભરમાં પહેલા ઉંચી ગરમી અને પછી અવિરત વરસાદને કારણે ટામેટાના ભાવને અસર થઈ છે. વરસાદ અને અતિશય ગરમીને કારણે પાક નિષ્ફળ જવાને કારણે ભારતમાં પુરવઠાની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ટામેટાંના ભાવ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોથી 80 થી 100 રૂપિયા સુધી વધી ગયા છે. એટલે કે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. હવામાનના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં ટામેટાં ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.